SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૯૩ ન હોય. બહાર દેખાય એમાં જીવ રાજી થાય છે. સ્થાનકવાસી મહાવીર સ્વામીના ફોટામાં મુહપત્તી બાંધે છે. ૫. જીને પુરુષનું ઓળખાણ છે નહીં, તેથી કહે છે કે એ દુષમકાળના દુર્ભાગી છે ! અહીં આવો. દુષમકાળમાં મોક્ષમાર્ગ પામવો બહુ દુર્લભ છે. જેટલું વીર્ય કમાવામાં મજશોખમાં વાપરે છે તેટલું પરમાર્થમાં વાપરે તે સર્વ કર્મને ક્ષય કરે. કૃપાળુદેવ કહે છે કે આ કાળમાં તમે જમ્યા છે, તેમાં તમારાથી પિતાની મેળે તરાય નહીં, માટે આ હોડીમાં બેસી જાઓ એટલે તરી જશે. કલ્યાણ કરવું હોય તો સાચું શરણ લેવું જોઈએ. આજ્ઞામાં ધર્મ છે. એ આજ્ઞા પડી મૂકી સ્વચ્છેદે જીવ વર્તે છે, તો કયાંથી કલ્યાણ થાય ? ૬. “જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીને કળશે અત્રે હોય, તો તેથી તૃષા છીપે” (૪૬૬) તેમ મહાવીર ભૂતકાળમાં થઈ ગયા, તે કંઈ કહેવા આવે નહીં, પણ જે વર્તમાનમાં વિદ્યમાન છે એવા પ્રત્યક્ષ જ્ઞાનીથી કલ્યાણ છે. કૃપાળુદેવ પાસે અમૃત છે તેથી કહે છે કે અમૃત પીવું હોય તે આવો. જેને ગરજ હોય તે આવે. સંસારથી ત્રાસ પામ્યા છે અને દુઃખ લાગ્યું હોય તે આ બાજુ આવે એટલે અમૃત પીવાડીએ. જેને પરમાર્થ પર પ્રેમ હોય તે આવો તો અમૃત મળશે. * તનસે મનસે ધનસે સબસે, ગુદેવકી આન સ્વઆત્મ સં; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમ ઘને. ગમે તેટલા રેગ થયા હોય, પણ એક ટીપું અમૃતનું મૂકે તો મટી જાય. એમની પાસે તો આખે સાગર છે. ખૂટે એવું નથી. માટે તમે આ બાજુ આવો. એ રસ્તો છે. કેવી દશા પ્રાપ્ત કરી છે. સંસારની બધી વિટંબણા એમણે દૂર કરી છે. તમે આત્મસુખ જાયું નથી તેથી બળે છે. અમે અમૃતસાગર છીએ માટે અહીં આવો તે ત્રિવિધ તાપ વગેરે બધું મટી જશે. જેને કંઈ મેક્ષની ઈચ્છા હોય તેને સંસાર ઝેર જેવો લાગે. તેવા છોને કૃપાળુદેવ બોલાવે છે કે અહીં આવે. ૭. જેને કલ્યાણ કરવું છે તેને કલ્યાણ મળશે. દેવલોકમાં જે ક૯૫વૃક્ષ છે તે તે મેક્ષ ન આપે. અમે મોક્ષના કપવૃક્ષ છીએ. હે જીવ! અહીં આવો. જ્ઞાની કલ્પવૃક્ષ જેવા છે. મોક્ષનાં જે જે સાધન જોઈ એ તે જ્ઞાની પાસે બધાં મળે. ૮. હે રામને ભજનારાઓ ! રામને ભજવા હોય તે અહીં આવે. હે મહાવીરને ભજનારાઓ ! મહાવીરને ભજવા હેય તે અહીં આવે. ક્ષણમાં રાગ, ક્ષણમાં દ્રષ, એ સંસાર છે; પણ અમારામાં ઊંચું નીચું થતું નથી. “જગત સાવ સોનાનું થાય તો પણ અમને તૃગુવત્ છે.” (૨૧૪). રામ, વીર બધા પરમાત્મસ્વરૂપમાં લીન થયા છે અને અમે પણ પરમાત્મસ્વરૂપ થયા છીએ, તેથી આ કાળમાં અમે જ રામ અને અમે જ મહાવીર છીએ, એમ બેધડક કહીએ છીએ. આ કાળમાં કૃપાળુ દેવ અપવાદરૂપ પુરુષ થયા છે. જ્ઞાનનું ઓળખાણ થવું બહુ મુશ્કેલ છે. દયાને લઈને જ્ઞાની કહે છે. પ્રભુશ્રીજી કહેતા “ક્યા કહીએ? કહ્યા વિના બને ન કછુ, જે કહિયે તો લજજઈએ.દેહ છતાં દેહાતીત દશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy