SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ર૦૧ [વ ૬૮૦]. ર૩૫ શ્રી. રાત્રે આ અગાસ, શ્રાવણ વદ ૯, ૨૦૦૯ પૂજ્યશ્રી—ચત્ર સુદ ૧૦ને દિવસે મહાવીરસ્વામીનો જન્મદિવસ છે. તે દિવસે કૃપાળુ દેવે આ વિચારણા કરી છે. “સવિ ઇવ કરું શાસનરસી, ઈસી ભાવદયા મન ઉલ્કસી.(દેવ૦ નાત્રપૂજા.) એવું થાય છે ત્યારે જિનનામકર્મ બંધાય છે. ત્રીજે ભવે એવી ભાવના કરે કે આ જે કર્મથી બળી રહ્યા છે, બચવા જતાં પાછા તેમાં જ પડે છે, તેઓને હું તારું. એવી ભાવના કરવાથી જિનનામકર્મ બંધાય છે. આ પત્ર ચિત્ર મહિને લખે, પછી આસો મહિને આત્મસિદ્ધિ લખી છે. કેવી દશા પામીને આત્મસિદ્ધિ લખી છે તે આ પત્ર પરથી જણાય છે. અખંડસ્વરૂપમાં રમણતા એટલી બધી થયા પછી આત્મસિદ્ધિ લખી છે. એથી એમાં મહાવીરનાં જ વચન છે. સહજસ્વભાવે આત્મસિદ્ધિમાં કહેલું છે. ઠેઠ સુધી કામ આવે એવી છે. બધાથી મૂકાવી આત્મા પર લાવી મૂકે એવી આત્મસિદ્ધિ છે. આ પત્ર સાથે આત્મસિદ્ધિને સંબંધ છે. - ૧. મુમુક્ષુ જીવને મોક્ષ સિવાય બીજી ઈચ્છા હોય નહીં. કૃપાળુદેવને મોક્ષની ઇચ્છા પણ નથી, કેમકે સ્વરૂપમાં સ્થિર રહેવાય છે. મોક્ષની ઈરછા એનું નામ મુમુક્ષતા કહેવાય. આત્માર્થી થયા પછી મોક્ષની રુચિ હતી, તે અખંડ સ્વરૂપ એટલે પરમાત્મસ્વરૂપમાં રમણતા થવાથી ન રહી. છેવટે મોક્ષની ઈચ્છા પણ મૂકવાની છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતો” એ જ મોક્ષ છે. શુદ્ધતા થવાથી મોક્ષની ઈચ્છા જતી રહી. “બિના નયન રમે વર્ષે લખ્યું (૨૫૮). તેમાં લખ્યું કે એ કલ્પના નથી, આ કાળમાં પણ એ અભંગ વસ્તુ પમાય છે. એ જ મોક્ષ છે. “દેહ છતાં જેની દશા, વતે દેહાતીત” જે આત્મામાં રહે છે તેને મોક્ષ જ છે. તો પછી મોક્ષની ઈચ્છા કરવાની શી જરૂર છે? કંઈ નથી જોઈતું. એ જ પરમાનંદ છે. ૨. શરૂઆતમાં મુમુક્ષુદશા હતી ત્યાં સુધી “માત્ર મોક્ષઅભિલાષ” એ દશા હતી. એથી આગળ વધતાં ભગવાનથી અભેદતા થઈ, ત્યાર પછી મોક્ષની ઈચ્છા ન રહી. જ્ઞાનીએએ જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, તેમાં એમને અખંડ રમણતા થઈ, શુદ્ધસ્વરૂપમાં રમણતા થઈ તેથી મોક્ષની ઈચ્છા કયાં રહે? કેવલ નિજ સ્વભાવનું, અખંડ વર્લે જ્ઞાન; કહિએ કેવલજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ” દેહ છતાં મેક્ષ છે. ભગવાન અને ભક્તને ભેદ નીકળી જઈ અભેદ સ્વરૂપમાં લીનતા થઈ. ભગવાનની ભક્તિ કરતાં પરાભક્તિ થવાથી ભગવાનથી ભિન્નતા હવે રહી નહીં. જેવા ભગવાન તેવું જ પિતાનું સ્વરૂપ, એવી જેને અભેદભાવના થઈ છે, પરમાનંદસ્વરૂપમાં રમતા થઈ છે તેને હવે કંઈ લેવું દેવું નથી. ૩. છતાં જગત પ્રત્યે દષ્ટિ દેતાં એમને દયા આવે છે. જગતમાં જે સુખ શોધવા જાય છે તે દુઃખી થાય છે, જગતના સુખમાં લાભ હોતા નથી. જ્ઞાનીએ જે દશા પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy