SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત સિદ્ધિમાં કેવો છે તે બધા અવધિજ્ઞાનથી તીર્થકરના સમવસરણને ત્યાં રહ્યા રહ્યા દેખે છે, ઉપદેશ સાંભળે છે, પ્રશ્ન પૂછે છે અને કેવલી ભગવાન તેમને ઉત્તર આપે છે. કેવળજ્ઞાન સંબંધી વિચાર કરવાયોગ્ય છે, ભાવના કરવાગ્ય છે. “પરમગુરુ નિગ્રંથ સર્વદેવ. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” એ મંત્ર બેલતી વખતે જે એ વિચાર, ભાવના થાય તે જીવને સ્વરૂપ પ્રત્યે રુચિ થાય. આ જ કેવળજ્ઞાન છે એમ માની ન લેવું. શ્રી ડુંગરને એમ રહે છે કે તીર્થંકરની સભામાં કેવલી જેવી દશાવાળા છે. કેવળજ્ઞાન સુધી પહોંચે તે કેવળજ્ઞાન સમજાય. ભૂત ભવિષ્યને જાણે તે કેવળજ્ઞાન એ કેવળજ્ઞાનની વ્યાખ્યા નથી. ભૂતભવિષ્યને અવધિ, મન:પર્યવ પણ જાણે છે. એ તો જેવી પણ જાણી શકે. લેકાલેકને જાણે તે કેવળજ્ઞાન નિશ્ચયથી નથી, પણ સ્વરૂપમાં નિરંતર રહેવાય એ કેવળજ્ઞાન નિશ્ચયથી છે. લેકાલકને જાણે તે કેવળજ્ઞાન વ્યવહારથી કહેવાય છે. મૂળ વસ્તુને બતાવનાર નિશ્ચયનય છે, વ્યવહાર પરને આધારે છે. કેવળજ્ઞાન એટલે નિરાવર જ્ઞાન. જ્ઞાનાવરણ ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાન થાય છે. પછી એને ઉપગ ચંચળ ન રહે. આત્મામાં સ્થિર રહે. કેવળજ્ઞાન કે આત્મસમાધિ લેકોને સરખું લાગે તેથી ભેદ પાડવા કાલકને જાણ નાર કહ્યું. કેવળજ્ઞાન મહાવીરસ્વામીને થયું અને બીજા જીવોને એમની આજ્ઞા આરાધતાં થયું છે, તે તે ઠીક છે. કૃપાળુદેવે લખવાથી શ્રી ડુંગરે કેવળજ્ઞાન સંબંધી આ બધી વિચારણા કરી છે. કેવળજ્ઞાન એટલે ત્રણે કાળનું જ્ઞાન એ લૌકિક વ્યાખ્યામાં ઘણું વિરે લાગે છે તેનું સમાધાન નીચે લખે છે. ૧૩. કેવળજ્ઞાન એટલે આમાં અત્યંત શુદ્ધ અવસ્થાને ભજે તે. કાલેકને જાણવાને જે કેવળજ્ઞાનનો આલય છે, તેમાં પરવસ્તુ પર લક્ષ કરાય છે અને નિર્મળ આત્મા કરે હેય તે રાગદ્વેષ રહિત થઈ રહેવું એ કેવળજ્ઞાન છે, એ વ્યાખ્યા પુરુષાર્થ પ્રેરક છે. પિતાની નિર્મળતા એ જ સાધ્ય છે. જગતનું જ્ઞાન એ લક્ષમાં રાખવાગ્યા છે. કેવળજ્ઞાન થશે તે બધું દેખાશે. કેવળજ્ઞાન કલ્પિત નથી, પણ કેવળજ્ઞાનનું માહાત્મ બાહ્ય વસ્તુઓથી થાય તે કરતાં– “કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહિએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” એવી વ્યાખ્યા કરે તે પિતાને વિશેષ જ્ઞાન થાય. રાગદ્વેષ ઘટાડવાને પુરુષાર્થ જીવ કરે એ માટે કેવળજ્ઞાન કહ્યું છે. ખરે પુરુષાર્થ એ છે. પરવસ્તુને અધ્યાસ થઈ ગયેલ છે તે ટાળે અને આત્મા નિર્મળ થાય તો પછી આગળ શું છે, તે એને સમજાય. જ્ઞાની કેવળજ્ઞાન શાને કહે છે ? તે રાગદ્વેષ મૂકી નિર્મળતા કરે ત્યાર પછી એને સમજાય. ૧૪. કેવળકેટ સંબંધી જે વિચારે શ્રી ડુંગરે કર્યા છે, તેને અભિનિવેશ ન થઈ જાય, તે માટે સ્યાદ્વાદથી વિચારવા કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy