SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮૯ વચનામૃત-વિવેચન ન કહેવું. એટલી સ્થિરતા આ કાળમાં થતી નથી તેથી એ દેખાતાં નથી. કેવળજ્ઞાન થાય એવું ચારિત્ર આ કાળમાં દેખાતું નથી. ૧૦. ત્રણ વસ્તુ કહે છે–પ્રદેશ, પરમાણુ અને સમય. એમાં સમય એ સૂમમાં સૂક્ષ્મ કાળ છે. એ જીવને સમજાવો બહુ મુશ્કેલ છે. જીવને ઉપગ અસંખ્યાત સમયવર્તી છે તેથી એક સમયનું જ્ઞાન ન થાય. એવી રીતે પરમાણુ પણ બહુ સુક્ષમ છે. છે તો રૂપી પણ આંખે દેખાય એવું નથી. નાનામાં નાનો ભાગ તે સમય જે જ્ઞાનીએ કહ્યો છે તે કેવળી જાણે છે. એ પુદ્ગલને ચૂમમાં સૂક્ષ્મ ભાગ પરમાણુ કહેવાય છે. આત્મા અરૂપી પદાર્થ છે તે અત્યારે દેહપ્રમાણ છે પણ વધારેમાં વધારે વ્યાપે તો આખા લેકમાં વ્યાપે તેટલા અસંખ્ય પ્રદેશવાળો છે. પ્રભુશ્રીજી કહેતા કે કેટલીય વાર જીવ નરમાં ગયે પણ એક પ્રદેશ પણ એને ઘસાયે નથી. કાળના અસંખ્યાત અણુ છે. પુદ્ગલપરમાણુ સામાન્ય ગતિથી આકાશના એક પ્રદેશથી બીજે પ્રદેશે જાય તેટલા કાળને સમય કહે છે. પ્રદેશ છે તે અરૂપી આકાશને નાનામાં નાને ભાગ છે. આ વાત કષાયક્ષય વિના સમજાય નહીં. આત્માની શક્તિને રેકનાર મિથ્યાત્વ અને કષાય છે. ઉપગ અત્યંત નિર્મળ થયા વિના એ વિચારી શકાય નહીં. કષાય દૂર થાય તો જ્ઞાન નિર્મળ થાય અને નિર્મળજ્ઞાન એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશને જાણે છે. કષાય ગયા પછી કેવળજ્ઞાન થાય. મન:પર્યવ અને અવધિ બેયના વિષય પુદ્ગલ પદાર્થ છે. પણ અવધિ કરતાં મન:પર્યવમાં વિશુદ્ધિ વિશેષ છે. જ્યાં સુધી એક પ્રદેશ, એક પરમાણું અને એક સમયનું જ્ઞાન ન થાય ત્યાંસુધી કષાય છે. જીવ કષાય રહિત થાય એ માર્ગ કહ્યો છે. કષાય જેમ જેમ મંદા પડે તેમ તેમ ઉપગ સૂમ થતો જાય. શુભેચ્છાથી માંડીને અગી સુધી–આઠે કર્મથી મુક્ત થાય, મન વચન કાયા અલગ થાય, ત્યાં સુધીમાં અનેક ભૂમિકામાં છે. ચૌદ ગુણસ્થાનક વગેરે. તેને આત્માથી જીવ આરાધે છે. “ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણદયા, ત્યાં આત્માર્થ-નિવાસ.” એ આત્માથનાં લક્ષણ કહ્યાં. એવા એ કબીર, સુંદરદાસ વગેરે સાધુપુરુષ હતા. આત્માર્થને જ એમને લક્ષ હતો. જ્ઞાની અને જ્ઞાનીની વાણીનું એાળખાણ જ્ઞાનીને થાય છે, એમ જે આગળ જણાવ્યું હતું તે માટે આ એક અભિપ્રાય આપે. કબીર વગેરે આત્માથી હતા, શુભેચ્છાથી ઉંચી ભૂમિકાવાળા હતા. તે વિશે વિશેષ હાલ જણાવવાનું નથી. અત્યંત આત્મસ્થિતિ થાય એવો પુરુષાર્થ એ કરતા હતા એમ એમના વચન પરથી જણાય છે. ઈચ્છાગ, સામગ અને શાઅયોગ એમાંથી એમણે ઈચ્છાયોગ માંડયો હતે. ખંભાતમાં કૃપાળુદેવ હતા તે વખતે ત્યાં સુંદરદાસનું પુસ્તક હતું. તે વિષે કહ્યું કે સુંદર દાસનું પુસ્તક સુંદર છે, પણ એમાં ક્યાં ભૂલ છે તે અમે જાણીએ છીએ. ૧૨. ડુંગરશીને યથાર્થ વિચાર થવા એવા કેવળજ્ઞાન વગેરેના પ્રશ્ન પૂછતા. સર્વાર્થ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy