SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ આધામૃત કે જ્ઞાનીની વાણીની પરીક્ષા કરી શકે. જેને પ્રજ્ઞાસહિત સમ્યક્ત્વ હાય તેને જ ખબર પડે છે. કૃપાળુદેવે ચિદાનંદજી સંબ`ધી ‘ સ્વાદયજ્ઞાત 'ની પ્રસ્તાવનામાં લખ્યુ છે કે, “તેએ મધ્યમ અપ્રમત્તદશામાં પ્રાયે હતા.” (૨૨). જ્ઞાની નથી એાળખાતા તેનું કારણ એ કે ત્યાગવૈરાગ્ય વિશેષ નથી. જીવામાં એટલી શક્તિ નથી. માટે પ્રભુશ્રીજી કહેતા કે આ જ્ઞાની, ફલાણા જ્ઞાની એમ ન કરશે, કૃપાળુદેવને વળગી જાએ.. મધ્યસ્થ રહેવું, નહીં તેા ભૂલા પડશે।. ૭. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ બધા ભેદ પાડયા છે તે ઉપમાવાચક હશે ? એમ ડુંગરશીને લાગવાથી કૃપાળુદેવને લખ્યું. તેના ઉત્તરરૂપે કૃપાળુદેવ લખે છે. મતિજ્ઞાન એટલે પાંચ ઇન્દ્રિય અને મનથી જ્ઞાન થાય તે. એના ઉપર વિશેષ વિચાર તે શ્રુતજ્ઞાન છે. એ એય જ્ઞાન દરેક જીવને એછાવત્તા પ્રમાણમાં હોય છે. એ સભ્યસહિત ન હોય ત્યાંસુધી મિથ્યાજ્ઞાન છે અથવા કુજ્ઞાન છે. અવિધજ્ઞાન પણ સમ્યગ્દન રહિત હોય તેા તે વિભંગ અથવા કુઅવધિ કહેવાય છે. સમ્યક્ત્વસહિત હોય તે અવધિજ્ઞાન કહેવાય. મનઃ૫ વજ્ઞાન તા સમ્યક્ત્વ વિના થાય જ નહી, અવિધજ્ઞાન અને મનઃપય વજ્ઞાન આત્માથી સીધી રીતે રૂપી પદાર્થને જાણે છે. એના સંબંધ રૂપી પદાથ`થી જ છે. મતિ શ્રુત એ બે જ જ્ઞાન હાય તેાય કેવળજ્ઞાન થાય છે. અવિધ, મન:પર્યંત્ર એ એ જ્ઞાન ચારિત્રની વિશુદ્ધતાથી પ્રગટે છે. અવધિજ્ઞાન એ પ્રકારે છે: (૧) ભવપ્રત્યય એટલે નારકી અને દેવાને જન્મતાં જ થાય છે તે. (૨) ગુણપ્રત્યય એટલે ક્ષયાપશમ નિમિત્ત મનુષ્ય અને તિય ́ચને પુરુષાથ થી થાય છે તે. આ કાળમાં એટલી સ્થિરતા થવી મુશ્કેલ છે તેથી એ જ્ઞાન દેખાતાં નથી. ૮. સામાન્ય સ્થિરતા એટલે આત્મજ્ઞાન સહિત ભગવાને કહ્યા પ્રમાણે વ્રત સમિતિ પૂર્વક વર્તે એવું ચારિત્ર પણ દુર્લભ છે. તે પ્રમાણે સ્થિરતા કરવી, મનને રાકવું, સ્થિર કરવું દુભ છે, તા પછી વિશેષ સ્થિરતા તેા કયાંથી થાય ? એવી ચેાગ્યતા જીવામાં નથી તેથી અવધિ, મન:પવ નથી પ્રગટતા. પણ એ જ્ઞાન છે, કલ્પિત નથી. એટલી વિશેષ સ્થિરતા થવી દુર્લભ છે. ચારિત્રમેહ જીવેામાં વિશેષ હાય છે. વખતે કોઈ સકિત પામે, પણ ચારિત્રમેાહ મટાડવાવાળા જીવે દુર્લભ છે. આત્મામાં સ્થિર રહેવુ એ આ કાળમાં દુર્લભ છે, તેા પછી ઉત્કૃષ્ટ ચારિત્ર તેા કયાંથી હોય ? એ જ્ઞાન દેખાતાં નથી માટે નથી એ માન્યતા બરાબર નથી. આત્માનું અચિંત્ય માહાત્મ્ય છે. જેમ જેમ આવરણુ ખસે તેમ તેમ જ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પણ આત્માને પ્રગટે એવું છે, તેા પછી ખીજા જ્ઞાન કેમ ન પ્રગટે. ૯. શાસ્ત્રને પરમાર્થ ન જાણતા હેાય તે બધા કલ્પનાથી બાહ્ય વ્યાખ્યા કરે છે, શાસ્ત્રો પણ જ્ઞાની દ્વારા સમજવાનાં છે. પેાતાની કલ્પનાથી ન સમજાય. જ્ઞાનીપુરુષ દ્વારા જાણે કે અવિધજ્ઞાન કાને કહે છે? મન:પર્યંત્ર જ્ઞાન કાને કહે છે? એમ જો સમજે તે એ જ્ઞાન છે એમ એને લાગે. આ કાળમાં એ જ્ઞાન પ્રગટે એવી સ્થિરતા થવી દુલ ભ છે પશુ એ કલ્પિત નથી. અત્યારે એવા જ્ઞાનવાળા દેખાતા નથી તેથી એ જ્ઞાનેા નથી એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy