________________
વચનામૃત-વિવેચન
૨૮૭ એમ કહ્યું અને એને આમ કહું. કૃપાળુદેવ પાસેથી સાંભળેલું કહીએ છીએ એમ પ્રભુશ્રીજી કહેતા. અમારે ઘરનું કહેવું નથી, એમ કહેતા. અજ્ઞાનીનાં વચનમાં જે અહંભાવમમત્વભાવ હોય તેની બીજાને ખબર ન પડે, પણ જ્ઞાની જાણે કે આ ઉપરઉપરનું છે. જેને તીવ્ર મુમુક્ષતા આવી છે અથવા જ્ઞાનીને વિશેષ સમાગમ થયે છે તે છેતરાય નહીં, પ્રાચે છેતરાય નહીં એમ કહ્યું છે.
૩. જ્ઞાની ગમે તે શબ્દ કહેતા હોય તે પણ એમાં ત્યાગવૈરાગ્ય ઝળકી આવે છે અને પેલાને તો કંઈ પાયો નથી, તેથી ક્યાંય બીજે ઢળી જાય તેની ખબર ન રહે. આમ કહીશું તે બરાબર ગોઠશે, એમ તેને હોય છે, પણ જ્ઞાનીની વાણી તો નિ:શંકપણે અનુભવ સહિત નીકળે છે. જેવું જાણ્યું, અનુભવ્યું, તેવું જ કહે છે. જેણે આત્માને જાણ છે તેને તે તરત ખબર પડે કે આ અનુભવની વાણી છે અને આ ઉપર ઉપરની છે. પ્રભુશ્રીજી દષ્ટાંત આપતા કે ઘર માં કઈ માણસ મરી ગયું તે વખતે એક તો ઘરનાં માણસ રડે અને તેના કરતાં વધારે બહારના બીજા માણસો રડતાં હોય, છાતીમાથાં ફૂટતાં હોય, ડૂસકાં ભરતાં હોય, તેમ છતાં તે બન્નેમાં ઘણે ભેદ હોય છે. તેમ જ્ઞાનીની વાણીમાં ડોળ હોતો નથી. એમને આત્માની સાથે સંબંધ છે.
૪. જ્ઞાનીને જીવોનું કલ્યાણ થાય તેવા શબ્દ સહેજે જ્યુરી આવે છે. બીજાના શબ્દો આત્માના લક્ષવાળા છે કે નહીં? તે જ્ઞાની એળખી જાય. એટલી દશા જોઈએ. એમાં આખું જગત ઠગાય છે.
૫અજ્ઞાનદશા અને જ્ઞાનદશા શું છે? તેનો જેને અંતરમાં ભેદ પડયો છે તેને જ્ઞાની અને અજ્ઞાનીને ભેદ સહેજે સમજાય છે. અજ્ઞાનદશામાં દેહાદિમાં જે જે મોહ હતો તે “હું દેહથી ભિન્ન છું” એમ થતાં મોહ જેને વિરામ પામ્યો છે તેને શુષ્કજ્ઞાનીનાં વચન બ્રાંતિ ન કરે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ ન છેતરાય. મધ્યમદશાને મુમુક્ષુ છેતરાઈ જાય. આત્માર્થ તરફ જેનો લક્ષ થયો હોય તેને આત્મા સંબંધી કશું કહે છે કે નથી કહેતો? એ લક્ષ હોય છે. આત્માથે સાથે ત્યાગવૈરાગ્ય વિશેન હોય તેને બીજા વચન ગમે નહીં. ઉત્કૃષ્ટ મુમુક્ષુને જ્ઞાનનાં વચનની પરીક્ષા કરી શકે એટલું બળ છે તેથી ભૂલે પડે નહીં. જ્ઞાનીની વાણીમાં ડોળ હોતો નથી. સત છે તે કલ્પનાથી પર છે. જ્યાં સુધી કલ્પના છે, ત્યાંસુધી સને સ્પર્શ થયો નથી. જ્ઞાની પુરુષથી અજ્ઞાનીની વાણું છાની રહેતી નથી, ખુલ્લી પડી જાય. બધું હોય પણ શ્રદ્ધાની ખામી હોય તે કંઈ કામનું નથી. ઉપરથી ગમે તેવું હોય પણ શ્રદ્ધા ન હોય તો કાગળનાં ફૂલ જેવું છે. એ ફૂલ સારાં દેખાય પણ સુગંધ રહિત છે, નકલી છે તેથી કંઈ કામનાં નથી. તેમ શ્રદ્ધા વિના બહારથી ગમે તેવું હોય, પણ કંઈ કામનું નથી. જ્ઞાનીનાં વચનની પરીક્ષા કરવાનું જેને બળ સ્થિર થયું છે, તે શુષ્કજ્ઞાનીની વાણીથી ભૂલ ન પડે.
૬. પહેલી વાત જે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તે જ્ઞાનીની વાણી એળખી શકે. હવે જ્ઞાની જ્ઞાનીને ઓળખી શકે છે એમ કહે છે. બધા જ્ઞાનીઓની એવી શક્તિ હોતી નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org