________________
વચનામૃત-વિવેચન
૨૮૫ આ સંસારના વ્યવહારનું સ્વરૂપ એવું છે કે એમાં હર્ષશેક થતાં વાર ન લાગે. જેમ દરિયામાં મજા આડાઅવળી થયાં જ કરે છે, તેમ સંસારમાં હર્ષ કે શેક થયા જ કરે છે. એવો સંસાર છે. એક તો પિતાની વૃત્તિ ચંચળ છે અને બીજા નિમિત્તે એવાં છે. એકલે બેઠા હોય તોય ખાવાપીવાના, સૂંઘવાના, સાંભળવાના, સ્પર્શ કરવાના એમ બધા આડાઅવળી વિચાર કરે. એવા સંસારમાં જે સમદશાથી રહ્યા છે તેમને ધન્ય છે. બીજાને માટે પણ જીવને હર્ષ શેક થયા કરે છે. સંસારના પ્રસંગો એવા છે કે હર્ષ કે શાક, સારું ખોટું થયા જ કરે છે. જ્ઞાનીને જડ તે જડ ને ચેતન તે ચેતન લાગે છે, તેથી હષક ન થાય. ઈષ્ટઅનિષ્ટપણું કરતાં કર્મ બંધાય છે. એવા સંસારમાં જે સમભાવ રાખીને ચાલે છે, તેમને ધન્ય છે. આત્માભણી દષ્ટિ થાય તે સમભાવ થાય, નહીં તે રાગદ્વેષ થયા વિના રહે નહીં. “સર્વ આત્મમાં સમદષ્ટિ ઘ આ વચનને હૃદયે લખો.” તે જ કરવું છે. જેમ જ્ઞાની પુરુષ વર્તે છે તેમ જ આપણે કરવું છે. જ્ઞાનીની દષ્ટિ જેને થાય તેને સમ થાય. દ્રવ્યદષ્ટિથી વસ્તુ સ્થિર છે. પર્યાયદષ્ટિથી અસ્થિર છે. સંસારમાં બધે હર્ષશોક દેખાય છે.
લખનાર અને જેના પર પત્ર લખ્યો છે તે બેય જુદે જુદે સ્થળે છે. મુંબઈને મેહ. મયી સ્થળ કહ્યું. તેમાં કૃપાળુદેવ જાણે કંઈ લેવાદેવા ન હોય તેમ હર્ષશેક રહિત રહ્યા હતા. ખરી ભક્તિ જ્ઞાનીની દશાને વિચાર કરે એ છે. અમે કમે જ્ઞાનીની દશામાં પહોંચવું છે એ લક્ષ રાખવાનું છે. મુમુક્ષુએ શું કરવા જેવું છે, તે કૃપાળુદેવે પત્રોમાં કહ્યું છે. આપણે ચીવટ રાખીને જરૂર સાંભળવું. દષ્ટિ ન ફરે ત્યાંસુધી કલ્યાણ થવાનું નથી. જ્ઞાનીની અપૂર્વતા લાગવી જોઈએ. આત્મસિદ્ધિ જેવી તેવી છે? અક્ષરે અક્ષરે લબ્ધિ પ્રગટે એવું છે. તે આ જીવ ઊંઘતે ઊંઘતો, બીજા વિચાર કરતા કરતા બોલે છે.
વિ. ૭૯]
ર૩૪ શ્રી રા. આ. અગાસ, શ્રાવણ વદ કિ. ૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–નિરાવરણજ્ઞાન હોય તેને આત્મા આત્મારૂપે પરિણમે, પણ જ્યાં સુધી આવરણ હોય ત્યાંસુધી પિતે પિતાપણે પરિણમે નહીં. જે જ્ઞાનમાં દેહાધ્યાસ મહ્યો છે, અહંભાવ મમત્વભાવ મટયા છે, ઉપયોગ આત્મામાં રહે છે, તે નિરાવરજ્ઞાન છે. ઉપગ બીજામાં જાય ત્યાં પિતાપણે પરિણમે નહીં. નિરાવરણશાનમાં દેહાધ્યાસ નથી. કૃપાળુદેવે લખ્યું છે કે “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૨૫). દેહાધ્યાસ જે જ્ઞાનમાં છૂટી ગયેલ છે અને સ્વભાવમાં ઉપયોગ પરિણમે છે તે નિરાવરણુજ્ઞાન છે. જગતને જેવું ન જેવું એમાં સુખદુઃખનું કારણ નથી. મેહ મટે તે સાચું સુખ પ્રાપ્ત થાય. એટલે મેહ મટો તેટલો જીવ સુખી છે. દેહાધ્યાસ જેટલો ગમે તેટલે સુખી છે. ગમે તેટલા પદાર્થોને જાણે છતાં “હું ને મારું એને થાય નહીં. જ્ઞાન ઓછું કે વધારે હોય પણ એમાંથી વિભાવ નીકળી જાય તે સુખી થાય. આત્મા જ્ઞાનસ્વરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org