SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ બધામૃત રાખવી. રાતદિવસ જ્ઞાનદર્શનચારિત્રમાં વૃત્તિ જાય એવું કરવું. એને માટે સત્સંગ જોઈએ. સત્સંગ ન હોય તે સશાસ્ત્ર જોઈએ. સરલતા, જ્ઞાની પ્રત્યે બહુમાનપણું, અપૂર્વતા હોય તે શાસ્ત્ર અને પરિણામ પામે. પિતાના દેષ ન જુએ ત્યાં સુધી જીવ ઠગાય છે. સરલતા હોય નહીં અને શાસ્ત્ર વાંચે તે લકે તે કહે કે અહો ! આ તો આખો દિવસ વાંચ વાંચ કરે છે! તેથી એ માનમાં ચઢી જાય. જ્ઞાની પુરુષ કહે છે તેવી સરલતા હોય, દંભ વગેરે ન હોય, તે ઠેઠ સુધી પહોંચે. ઇન્દ્રિયને જય હોય તો સલ્લાએ પરિણમે. ઇન્દ્રિયના જય સહિત સન્શાસ્ત્ર વાંચવું. પિતાને વૈરાગ્ય હોય, સત્સંગ કરે, સશાસ્ત્ર વાંચે તો ઉપર કહેલે મોક્ષને પુરુષાર્થ થાય. સત્સંગથી જીવને દઢતા થાય છે. એને ગવેષી ઉપાસે. “સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ.” (૪૧) એવી રીતે સત્સંગને ઉપાસ્યો હોય તેમાં કંઈ જ્ઞાનીની આજ્ઞા થઈ હોય તે આજ્ઞા ઉપાસે તે એ ગમે ત્યાં હોય પણ સત્સંગને જ ઉપાસે છે અને સત્સંગને ઉપાસે તે આત્માને ઉપાસે છે. એ બધાં શાને સાર છે. સત્સંગનું માહાત્મ કૃપાળુદેવે કેટલું કહ્યું છે! સસંગે જે કરવાનું હોય તેની પકડ થવી જોઈએ. લૌકિક અભિનિવેશ છેડી જેટલું બળ હોય તેટલું જ્ઞાનદર્શનચારિત્રમાં વાપરવું. ૬એ લૌકિક અભિનિવેશ શું ? તે લખે છે. એનું ચિત્ત લેકે જેને ઈચ્છે છે તેમાં ચોટે તે પિતાને વિચાર ક્યાંથી આવે? મન જે બીજામાં રેકાય તે પુરુષાર્થ કરવાનું ક્યાંથી બને? પિતાના કુળના વિચારો આવતા હોય, જાતિનો મોહ રહ્યા કરતું હોય તે આત્માના ગુણે પ્રગટે નહીં. કારણ એથી પરમાર્થના વિચારો પર આવરણ આવે છે. પિતાનું વિશેષત્વ એટલે બીજાથી હું ઊંચો છું એમ માનવું એ વાત ન છોડે તે ગુણ કેમ પ્રગટે? કુળધર્મ સજજડ થાય તેમ કરે તે એને ગુણ ક્યાંથી પ્રગટે? બધાને એલંઘી ગયા તે અપૂર્વદશાને પામ્યા. ભક્તિ સાચી હોય તો જ્ઞાની પ્રત્યે દષ્ટિ જાય અને જ્ઞાનીના અપૂર્વ ગુણ દેખાય, તેથી એને સ્વછંદ રોકાય અને તેથી એને અપૂર્વ ગુણ પ્રગટે. એ ભક્તિ તે ન હોય અને લૌકિક અભિનિવેશની ભક્તિ હોય તે અપૂવ ગુણ કેમ પ્રગટે? એ ન પ્રગટે. એમાં વિચારની જરૂર નથી. સહેજે સમજાય એવું છે. ૭. જેને કંઈ આત્માનું કામ કરવું હોય તેને આ શિખામણ લખી છે. કૃપાળુદેવ લખે છે કે જેમ જેમ તમારી જિજ્ઞાસા વધશે, તેમ તેમ કોઈ વખતે લખીશુ. વિસ્તારથી પત્ર લખવાની વિનંતિ હતી, તેથી વધારે લખ્યું છે, ખેંચ કરો લખ્યું છે. એ જીવને કંઈ વિરાગ્ય છે એમ જાણ આ બધું લખ્યું છે. [ વ. ૬૭૮] ૨૩૩ શ્રી રા. આઅગાસ, શ્રાવણ વદ ૮, ૨૦૦૯ પૂજ્યશ્રી– શાને કહેતા હશે ? પાંચે પરમેષ્ઠિનું ટૂંકું રૂપ તે ૩% છે. બધાયને સાર “સહજાન્મસ્વરૂપ છે. આત્માને સંભારી બધું લખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy