SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૮ ૩ દે, કારણ કે એને મનમાં એમ થાય કે પિતે તે ત્યાગ કરતા નથી અને બીજાને ઉપદેશ કરે છે. મુખ્યમાર્ગને વિરોધ થાય એવું લાગતું હોય તે મૌન રહે અથવા ટૂંકામાં કહે. જ્ઞાની પુરુષને ટૂંકામાં જ કહેવું એવું કંઈ નથી. પણું જીવની યોગ્યતા ન હોય તે શું કરે? ૪. બહારથી ગમે તેવું દેખાતું હોય, પણ જેવા ભાવ તેવું ફળ આવે છે. બધું છોડીને સાધુ થયો હોય પણ આત્મદષ્ટિ થવી બહુ મુશ્કેલ છે. પિતાની પરિણતિ તપાસવી. પિતાના ભાવ તપાસીને સુધારે, એવું તે મુનિ થયા હોય છતાં કોઈક જ કરે છે. સાધુપણામાં પણ પિતાના દેષ જઈ ટાળવા મુશ્કેલ છે, તે પછી ગૃહસ્થ અવસ્થામાં તો કેટલું મુશ્કેલ હોય ? લેકે સાધુ કહે પણ સાધક અવસ્થા પર લક્ષ રહે મુશ્કેલ છે. સગાંવહાલાં બધું છેડયું, પણ મન જે બહાર ફરતું હોય તો વેષ કંઈ કર્મ અટકાવી શકે નહીં. પિતાનાં પરિણામ તપાસી દેને દૂર કરવા એ સાધુપણું છે. જ્યારે દેહ છૂટી જશે? તેની ખબર નથી. માટે પ્રમાદ ન કરતાં બને તેટલું આમહિત કરી લેવું. મોક્ષનું કામ બહુ અઘરું છે. મુનિપણામાં તે બની શકે, પણ ગૃહસ્થ અવસ્થામાં તો કેટલાંય કામ હોય તેની વચમાં રહી આત્માને આંચ ન આવે તેમ રાખવો એ બહુ અઘરું છે. એ કૃપાળુદેવ જ કરી શક્યા છે. મોક્ષનું કામ હાથમાં લેવું બહુ અઘરું છે. સમયે સમયે કર્મ બંધાય છે, તે ક્ષણે ક્ષણે પુરુષાર્થ કરવો જોઈએ ને? માટે કામ કેટલું જબરું ભારે આપણે લીધું છે, તે વિચારવું અને તેમ કરવું. મનમાં કેવા વિચાર આવે છે? પીપળાના પાનની પેઠે મન ચંચળ છે– ભટકે છે. એ કેમ સ્થિર થાય? કેવી કેવી ટેવ પડી છે? તે બધું વિચારવું. મુમુક્ષુએ તે કઈ વસ્તુ વગર ન ચાલે એવું ન રાખવું. તપાસે, વિચાર કરે, તે ખબર પડે કે મને આ ખાળે છે. પોતાને વિચાર કરે તે ખબર પડે. કપડાને ડાઘ પડ્યો હોય તે ખરાબ લાગે છે, પણ આત્મા મેલે થાય છે એ ખરાબ લાગતું નથી. ૫. ટૂંકામાં કૃપાળુદેવે કેટલું બધું કહી દીધું? જીવને કલ્યાણ કરવું હોય તો શું કરવું, તે કહે છે. પિતાની શક્તિ ગોપવવી નહીં, પરમાર્થના કામમ–બંધન ઉકેલવામાં વાપરવી. છૂટવું છે, ફરી ન જ જન્મવું, હવે આત્માને ઉદ્ધાર કરે છે, એ લક્ષ રાખીને જેટલી શક્તિ હોય તેટલે પુરુષાર્થ કરે. લેક મૂકે પિક, મારા આત્માનું કરવા દે. લેકમાં સારું દેખાશે, ખાટું દેખાશે, એમ ન કરતાં મારો હવે છેલ્લે દિવસ રહ્યો છે, માટે મારે આત્માનું કામ કરી લેવું. એવું કરવાનું છે. લોકો વખાણે પણ તેથી શું? જીવને કાંઈ એવું કેવળજ્ઞાન જેવું જ્ઞાન પ્રગટ્યું નથી. એટલે હું કંઈ જાણતા નથી એમ કરી પુરુષાર્થ કરે. જેમ મહાવીરસ્વામી કેવળજ્ઞાન થતાં સુધી ઊંધ્યા નહીં, તેમ પુરુષાર્થ કરવાને છે. પિતે પિતાને સમજાવી, જ્ઞાનદર્શનચારિત્રના વિચાર આવે એ માટે રાતદિવસ ફિકર ચિંતા કરવાની છે. આત્મા પર આવરણ વધે નહીં, પણ ટળે એ જ કરવાનું છે. એવું ક્યારે થાય ? અંતર પરિણતિ પર વૃત્તિ થાય તે થાય. જ્ઞાની પુરુષ કહે છે તેમાં એક ઘડીવાર પણ ચિત્ત રાખતા નથી. ખરું કામ તે મનુષ્યભવમાં આત્માની નિર્મળતા કરવાનું છે, તે મૂકી બીજામાં ડહાપણું કરે છે. તે ડહાપણ મૂકી પિતાનું કરવું. સમયે સમયે શું થાય છે, તેની તપાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy