________________
૨૮૨
બેધામૃત છે. એ મને પણ મારી નાખ્યો એ રણમાં ઝઝુમ્યા. આશા, તૃષ્ણા બે સાપિણી સમાન છે. તે છાનીમાની કર્મ બંધાવે છે. આશાતૃણુ પાપ વધારનારી છે. તેને પણ મારી નાખી. એ બધા શત્રુઓનો સંહાર કરી આત્મસ્વરૂપમાં સ્થિર થયા એટલે નિશ્ચિત થઈને સૂતા. સુંદરદાસ કહે છે કે એ કેઈ સાધુ શૂરવીર છે તે બધા શત્રુઓને મારી પછી નિશ્ચિત થઈ સૂતો છે. એવું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સૂવાનો અધિકાર નથી. “જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂવે.” (૬૯૩).
[વ. ૬૭૭]
૨૩૨ શ્રી રા૦ આ૦ અગાસ, શ્રાવણ વદ ૧૦, ૨૦૦૯ - પૂજ્યશ્રી–એક મુમુક્ષુને આમ સામાન્ય વૈરાગ્ય હતું અને કુટુંબનું કામ આવી પડયું. એમના ચિત્તમાં સ્થિરતા (ચેન) રહે નહીં. આ સંસારથી કેમ છુટાય ? એવા વિચારે કૃપાળુદેવને લખી જણાવ્યા. વિસ્તારથી કંઈક લખે તે સારું એમ એમણે લખ્યું હતું. તેથી કૃપાળુદેવ ખુલાસો કરે છે.
૨. વિસ્તારથી ન લખી શકવાનું કારણ એક તે ગૃહસ્થપણાને ઉદય છે. મુખ્ય માર્ગ ઉપદેશક છઠ્ઠ ગુણસ્થાનક છે. ગૃહસ્થપણામાં ધર્મની વાત બહુ ન થાય તો સારું એ ભાવ કૃપાળુદેવને રહે છે. જ્યાં સુધી મુનિ થવાને ઉદય ન આવે ત્યાં સુધી મુખ્યમાર્ગ ઉપદેશ નથી. હું ને ૧૩મું એ બે ગુણસ્થાનક ઉપદેશોગ્ય છે.
- ૩. સામાન્યપણે બીજાને લાભ થાય તો જ્ઞાની પુરુષ ઉપદેશ સંક્ષેપથી ન કરે. લાભ થતો હોય તે ખુલ્લા દિલથી પણ કહે. જ્ઞાની પુરુષોને ત્યાગ હોય તે વખતે પણ બે કારહુથી સંક્ષેપથી વતે છે, તે કહે છે –
(૧) એક તે પોતાનું કહેવું બીજાને સમજાય એવું ન હોય, અથવા તે સમજનારની યોગ્યતા ન હોય. બાધ ઝીલવા જેટલી સામા જીવની યોગ્યતા ન હોય અને પ્રશ્ન પૂછે, તે સામાન્યપણે કહે. કૃપાળુદેવને કઈ એ પૂછયું “અનંતાનુબંધીનું સ્વરૂપ શું ?' કૃપાળુદેવે કહ્યું: એ સાંભળવાની તમારી યોગ્યતા નથી.” પિતે અનંતાનુબંધીમાં વર્તતે હોય અને જ્ઞાની પુરુષ કહે તે એને લાગે કે મારા ધર્મને નિષેધ કરે છે. તેથી જ્ઞાની પુરુષ સંક્ષેપમાં કહે અથવા મૌન રહે. કેઈ કર્મગ્રંથની વાત છે કે કેટલી પ્રકૃતિએ જાય ત્યારે કેવળજ્ઞાન થાય ? હવે એને ઉત્તર કહે તે પેલાની ગ્યતા ન હોય તેથી સમજાય નહીં. તેથી જ્ઞાની. પુરુષ સંક્ષેપમાં કહે. ઘણા છો એવા હોય છે કે જ્ઞાની પુરુષ કહે તે સાંભળે, પણ આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખે. એક કલાક સુધી બંધ કર્યો હોય, પણ પૂછે તે કંઈ યાદ ન રહે. એવું હોય તે જ્ઞાની માથાફેડ વધારે ન કરે.
(૨) બીજું કારણ, જ્ઞાનીને એવાં કમને ઉદય હોય તેથી ત્યાગ ન આવે. તેમને કોઈ ત્યાગ વગેરેને પ્રશ્ન પૂછે તે જ્ઞાની મૌન રહે અથવા કહેવું હોય તે ટૂંકામાં પતાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org