SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૮૧ સુંદરદાસે શૂરાતન અંગે લખ્યું છે તેમાં બહુ ઉલાસપૂર્વક લખ્યું છે. કષાયાદિને કાઢવા શૂરવીરપણું બતાવ્યું છે. મારે કામ ક્રોધ સબ ભ મોહ પીસી ડારે, ઈન્દ્રિ હુ કતલ કરી કિયો રજપુતો છે, માર્યો મહામત્ત મન, મારે અહંકાર મીર, મારે મદમછર દૂ, ઐસો રન રૂતો છે; મારી આશાતૃષ્ણ પુનિ પાપિની સાપિની દોઉ, સબકે સંહાર કરિ નિજ પદ પદૂત હૈ, સુંદર કહત ઐસો સાધુ કોઈ શૂરવીર, વૈરિ સબ ભારિકે નિશ્ચિત હોઈ સૂતા હૈ.”(૭૨) (એ પદ એક જણ આગળ બોલે પછી બીજા ઝીલે એમ ઘણીવાર બોલાવરાવ્યું.) પૂજ્યશ્રી–પ્રભુશ્રીજી પાસે આણંદથી હું આવતો હતો તે વખતે એક યોગી મળ્યા. તે પણ મારી સાથે અહીં પ્રભુશ્રીજી પાસે આવ્યા. પ્રભુશ્રીજીને જોઈને એણે કહ્યું કે આખા હિંદુસ્તાનમાં હું ફર્યો, પણ આવા યોગી તે કઈ ઠેકાણે જોયા નથી. બિલકુલ ઠરી ગયેલા છે. એવા મહાપુરુષને જેને સમાગમ થયે છે તેણે તે શૂરવીર થવાનું છે. કૃપાળુદેવ કહેતા કે ચોથા આરાના મુનિ છે. એવા મુનિને આપણને ઘણા દિવસ સમાગમ થયે છે. આ કાવ્ય શૂરાતન ભરેલું છે. મડદાને જીવતા કરે તેવું છે. એવું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સૂવાનો અધિકાર નથી. શૂરવીર થવું છે. આપણે કષાયને જીતવા છે. ખરે પુરુષાર્થ એ કરવાનો છે. ત્યાગ તે શૂરવીરપણું છે. જેને સમજણ આવી તે ફરશી લઈ ઊભો રહે. જે કમ આવે તેને છેદે. ઉદાસીનતા, શાંત ભાવ છે એ ફરશી છે. કરવું પડશે. આત્મા અનંત શક્તિને ધણું છે. જે અનંતકાળથી રઝળાવનારા છે, તે બધાને છેદી નાખવા છે. પહેલામાં પહેલું કામ છે. એ કામ જીવને અનંતકાળથી રઝળાવે છે. સ્પર્શેન્દ્રિય એક ઈન્દ્રિય છે, તે અનંતકાળથી જીવને છે. કામનું પહેલું માથું કાપી નાખવું, તે એને લહેર થાય. પછી પરિગ્રહ કશું ન જોઈએ. આખા સંસારને મોહ કામને લઈને છે. પછી ક્રોધને મારી નાખે. કામને વશ હોય તો પોતાનો નાશ કરે, ક્રોધથી ય પિતાનો નાશ કરે. એ બધાને કાપી નાખ્યા. કામ ક્રોધ સારા છે એવું મનમાં ન રાખવું. કામમાં કાયરતા છે. એને મારે તે શૂરવીર થાય. પછી લોભને માર્યો. બધાને મદદ કરનાર લોભ છે. જગતમાંથી કશું જોઈતું નથી. પછી કામ ક્રોધ શું કરે? છેલ્લામાં છેલ્લે લોભ જાય છે. લાભ ગયો કે વીતરાગ થાય. એ લેભ છોડવા દાન કરવાનું છે. જેને લઈને સંસારને વેલે વધે છે. કામ ક્રોધ લેભને મારી નાખવા છે. મેહ એ અજ્ઞાન છે. મહિને માર્યો એટલે સમ્યગ્દર્શન થયું. લેભમોહને તે દળી જ નાખ્યા. તેથી બાકી રહે નહીં. આ બધા મોહને પિષનાર ઇન્દ્રિયે છે તેની કતલ કરી નાખી કે ફરીથી ઈન્દ્રિય કશું માગે નહીં. એ એ ક્ષત્રિય થયે છે. બધાનું મૂળીઉં મત્ત મન છે. મનને આધારે ઇન્દ્રિયો છે. ઉન્મત્ત મન છે, તેને જીવ પિષે છે. મનની સામે પડવાનું છે. તેને મારી નાખવાનું છે. મહા મત એટલે ગાંડું થયેલું મન છે, તે આત્માની બધી સંપત્તિ લૂંટી લે છે. કરેલા કામમાં ધૂળ નાખી દે છે. તેને મારી નાખ્યું. અહંકાર માટે અમીર છે, તેને પણ મારી નાખ્યો. પછી આઠ પ્રકારના મદને માર્યા. મત્સર એટલે ઈર્ષ્યા, અદેખાઈ તેને લઈને ઘણાં પાપ બાંધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy