________________
૨૮૦
ધામૃત પણ એને માગતાં જ આવડતું નથી. આત્મજ્ઞાન થયા પછી મોક્ષ તરત થઈ જાય એમ નથી. કર્મ બાકી હોય તે ભવ લેવા પડે. આત્માર્થ એટલે રાગદ્વેષમાં ન જવું. સમભાવ રાખો. ગમે તે તપ કરીને મારે રાગદ્વેષ કાઢવા છે, એવો લક્ષ હોય તે સફળ થાય. નહીં તે તપસી તે લપસી પડે.
[વ. ૬૭૨]
૨૩૬ શ્રી રા. આ અગાસ, શ્રાવણ વદ ૧૨, ૨૦૦૯ - પૂજ્યશ્રી–કૃપાળુદેવ લખે છે કે સુંદરદાસના ગ્રંથ વાંચવા, એકબીજાને પૂછવું. એ ગ્રંથી મુમુક્ષુને શૂરવીરતા આવે એવું છે. ગુરુમહિમા, નવધાભક્તિ વગેરે અને એક શૂરાતન અંગ “સુંદરવિલાસ'માં આવે છે, તે વારંવાર વિચારવા લાગ્યા છે.
સામાન્ય જીવોની અપેક્ષાએ તે જ્યાં સુધી જીવે ત્યાં સુધી માયા એટલે મેહ હોય છે. પણ જે સંસારની માયાથી પર આત્મા છે તે સંજવલન વગેરે બધા કષાયને ક્ષય કરી શકે છે. મેહને ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે.
કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ” એવી દશા દેહ છતાં થઈ શકે છે. પણ સામાન્ય જીવોને એ દશા દેહની ચેષ્ટાથી જણાય નહીં. અંતરાત્મગુણને એને પરિચય નથી. એથી તદ્દન અજાણ્યા છે, તેથી અનુમાન પણ કયા આધારે કરે? ખાટું પડે. સમ્યગ્દર્શન થયું હોય તો ખબર પડે. જેમ કષાય ઘટાડે તેમ તેમ ખબર પડે. અગ્યારમા સુધી સત્તામાં કષાય રહે છે. કષાય ઉદય આવે એ ખબર પડે, પણ સત્તામાં હોય તેની ખબર ન પડે. જ્ઞાનીના ગે બધા કષાય સંક્રમી જાય. અનંતાનુબંધીનું અપ્રત્યાખ્યાનીરૂપ સંક્રમણ થઈ જાય. તદ્દન એમ નિયમ નથી કે કાયા ત્યાં સુધી માયા. ઘણા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને પછી ઘણા વર્ષ સુધી દેહમાં રહે છે. આત્મા બળવાન હોય તો કષાય સત્તામાંથી બહાર ન આવે. ઉદય–અભાવી ક્ષય કરે. મુનિ શ્રેણી માંડે ત્યારે અગ્યારમે ચઢે ત્યાં એને મેહનીયને ઉદય નથી પણ સત્તામાં છે. જીવ ભયને લઈને પણ કષાય નથી કરતે, જેમકે કષાય કરીશ તો નરકે જઈશ, કષાય કરીશ તો ધર્મ વગોવાશે, એવા ભયથી નથી કરતે. અભવ્ય જીવ પણ દ્રવ્યલિંગી મુનિ થાય છે. તેના કેઈ તલ તલ જેટલા ટુકડા કરે તેય જરાય ક્રોધ ન કરે, પણ એનામાં અનંતાનુબંધી વગેરે બધાય કષાય પડયા છે. જરાક અંદર કષાયનું મળી હોય તે તે ઊગી નીકળે. કષાય નિર્મૂળ કરે ત્યારે કષાય ઉદય ન આવે. અંદર પડયા રહે તો પછી વધી પણ જાય. અનંતાનુબંધી પણ બાંધી નાખે છે. જેમ અગ્નિનો તણખો છેડો પણ હોય તે આખા વનને બાળી નાખે છે. કષાયરહિત થવાય છે. દેહ હોવા છતાં માયારહિત અથવા કષાયરહિત થવાય છે. મનુષ્યદેહમાં પુરુષાર્થ કરી કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. સામાન્યપણે “કાયા ત્યાં સુધી માયા” એમ કહેવું સાચું છે. ઘણું કરીને એવું જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org