SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૭૯ પણ વતનિયમ પાળે, તલ જેટલા કકડા કરે તેય ક્રોધ ન કરે, તેથી નવગ્રેવેયક સુધી જાય છે, પણ એ આત્મજ્ઞાનને લક્ષ બંધાયા વગર કરે છે. કષાય એછા કરે તેટલું વધારે પુણ્ય બંધાય, તેથી દેવનાં સુખ વગેરે મળે, પણ એ રહેવાનું નથી. દેખાઈને જતું રહેવાનું છે. ખાલી હાથે પાછો આવે. આત્મા ભુલાઈ જાય છે અને હું વ્રત કરું છું, હું તપ કરું છું એમ જીવ અભિમાન કરે છે. ખરી રીતે પહેલું આત્મજ્ઞાન થાય પછી વ્રતનિયમ આવે તે તે કર્મને છેદવાનાં શસ્ત્રો છે. પછી પંચ મહાવ્રત પાળે તે તે નકામું ન જાય, પણ આત્મજ્ઞાનના લક્ષ વગર કરે તે માત્ર પુણ્ય બાંધે. આત્મજ્ઞાન ચોથે ગુણસ્થાને થાય છે, શ્રાવકપણું પાંચમે અને પછી છઠે મુનિપણું આવે છે. ન કરવું એમ નથી, પણ આત્મજ્ઞાન કરીને જેટલું કરે તેટલું નિજેરાનું કારણ થાય. પાપ કરતાં પુણ્ય સારું છે. જેમ કેઈ તડકામાંથી છાયામાં આવે તે સારું છે. જેટલું કરવું હોય તેટલું લક્ષ સહિત કરવું. નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય. ” એ વગર વ્યવહાર કંઈ કામને નથી. જ્યાં સુધી અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ છે ત્યાં સુધી કમને નિવેડે ન આવે. પુણ્ય બંધાય, પણ જે કરવાનું છે તે ન થાય. આત્મજ્ઞાનીને આશ્રિત હોય તો એને આત્મજ્ઞાન થાય. એ આત્મજ્ઞાનીને વેગ ન હોય તે આત્મજ્ઞાન થવું દુષ્કર છે. એ યોગ ન હોય ત્યારે એવા પેગની ભાવના કરવી, આત્માથી જીવ એવી ભાવના કરે કે મને સદ્દગુરુને રોગ ક્યારે થશે ? “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરેલ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” ગમે તેટલાં શાસ્ત્રો વાંચે, વ્રત પાળે, પણ ભૂલ રહી જાય છે. જીવ અનંતકાળથી ઠગાતે આવે છે. “વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પ.” મારે સ્વચ્છ વર્તવું નથી. એ સ્વચ્છેદથી મોક્ષ થાય એવું નથી. એ સ્વછંદ સદગુરુને ગે રોકાય. એવા યુગની ભાવના કરવી કે મને કોઈ સદ્ગુરુને ચોગ કયારે થશે ? કર્મના ઉદયે મુનિપણું આવ્યું હોય પણ યથાર્થ જ્ઞાન ન આવ્યું હોય અને ઉપદેશ તે કરે પડે, તો શું કરવું? તે કે સરુષના યોગની ભાવના કરવી, મતમતાંતરમાં ભરાઈ ન જવું, એ ઉપદેશ કરે. પિતે પુરુષની ભક્તિ કરે અને બીજા જીવોને તે ભક્તિ કરવાને ઉપદેશ કરે. લાંબે ટૂંક બીજે ઉપદેશ ન કરે. સાચી વસ્તુની ભાવનાથી ઉપદેશ કરે તેથી એવી ભાવના સામા જીવને થાય. સાચ આવે તે બધું થાય. સંપુરુષ પ્રત્યે ભાવ થાય, આજ્ઞાઆરાધન થાય એવી ભાવનાથી ઉપદેશ કરે. દુષમકાળ કહેવાનું કારણ સપુરુષની ભક્તિ, ગુણગ્રામ એ મળતાં નથી. આપણું કલ્યાણ જ્યાં આત્મજ્ઞાન છે ત્યાંથી થશે. આત્માથે ભૂલવા જેવું નથી. એ એવું કહ્યું, ગમે તે કરીએ તે આત્માર્થે કરવું. આત્મા સધાય એવું હોય તે કરવું. આત્મા ચિંતામણિરત્ન જેવું છે. જે માગે તે મળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy