________________
૨૭૮
બેધામૃત પડે. નેમિનાથ ભગવાનની કથામાં આવે છે કે નેમિનાથ ભગવાન પણ લડાઈમાં ગયા હતા. તે જાણતા હતા કે એ પાપ છે, પણ ઉદય એ હતો તેથી ગયા. ત્યાગથી બધાં જ્ઞાન, અવધિ, મન:પર્યવ ઝટ પ્રગટે. અકર્તવ્યલક્ષે ત્યાગથી બીજાને અને પિતાને પણ લાભ છે, ત્યાગ કરીને “મેં ત્યાગ કર્યો” એમ અહંભાવ કરવાનું નથી. ત્યાગ કરવો અને અભિમાન કરવું નહીં, એ કળા જ્ઞાનીને આવડે છે.
જેટલી આત્મામાં સ્થિતિ તેટલું ચારિત્ર કહ્યું છે. તે પરમાર્થ સંયમ છે. પાંચ મહા વ્રત, સંસારત્યાગ, એ સ્વરૂપસ્થિતિમાં કારણ છે. તેને વ્યવહાર સંયમ કહ્યો છે. જે આત્માને હિતકારી હોય તેને જ્ઞાની નિષેધ કરે નહીં. ચારિત્ર લઈ જે કરવાનું હોય તે ન કરતા હોય અને અભિમાન કરતો હોય તે એને સમજાવવા માટે જ્ઞાની એને નિષેધ પણ કરે.
આત્મામાં સ્થિરતા થવા માટે વ્રત વગેરે કરવાના છે. પણ એને તો લક્ષ જ ન હોય તે સ્થિરતા ક્યાંથી થાય? વ્યવહારસંયમથી એનું બૂરું તે થવાનું નથી. પુણ્ય તો બંધાશે. એટલે મહાપુરુષો એને નિષેધ કરતા નથી. પણ જેને આગળ વધવું છે તેને ટકોર કરે છે, કે ભાઈ! આટલાથી તારું કામ થશે નહીં.
જ્ઞાનીને સમયે સમયે છૂટવાની ભાવના હોય છે. જ્યારે નિવૃત્તિ થાય, ક્યારે નિવૃત્તિ થાય, એવું જ્ઞાનીના હૃદયમાં હોય છે. બહારથી વધારે ઉપાધિ દેખાય, પણ લક્ષ એમને છૂટવાનો હોય છે. સર્વવિરતિને લક્ષ હોય છે. બહારથી કર્મના ઉદયને લીધે કરવું પડે છે. “આત્માનુશાસન માં કહ્યું છે કે જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે દેહ શું કામને છે? તો કે હજુ ચારિત્રમેહ છે તે ખપાવવા દેહ જરૂર છે. જ્ઞાનીને સંસાર ગમતે નથી, પણ કર્મને લીધે બાહ્ય કારણે રોકે છે. તીર્થકર ભગવાનને પણ ઓછામાં ઓછા આયુષ્યને ચોથો ભાગ ઘેર રહેવું પડે છે.
[વ. ૬૭૦]
૨૩૦ પૂજ્યશ્રી–જ્ઞાનીની પ્રવૃત્તિ પરમાર્થના લક્ષ વગરની હોતી નથી. પરમાર્થને માટે જ જ્ઞાની પુરુષ જીવે છે. કૃપાળુદેવે લખ્યું છે કે જ્ઞાનીનું ખાવું, પીવું બધું ધર્મ છે. મુનિપણને ઉદય આવશે તે દિવસને ધન્ય છે!
જેને સંસારમાં ડગલે પગલે દુઃખ છે એવું લાગ્યું હોય અને શોધતો હોય કે એ શાથી જાય? તેને કહે છે કે આત્મજ્ઞાન હોય તો એ દુઃખ મટે. બીજું કઈ આત્મજ્ઞાન સિવાય જન્મમરણ છોડાવે એવું નથી.
બીજા વ્રતનિયમ ઘણા કરે, પણ આત્મજ્ઞાન વગર પુણ્ય ભગવાઈને જતું રહે છે. પહેલામાં પહેલું આત્મજ્ઞાન કરવાનું છે. જે કંઈ કરવું તે આત્મજ્ઞાન માટે. એ જ્ઞાનીની શિખામણ ભૂલવા જેવી નથી. વતનિયમ હોય પણ એકડા વગરનાં મીંડાં છે. અભવ્ય જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org