________________
વચનામૃત-વિવેચન
ર૭૭ પ્રગટે છે. નહીં તે તરંગ થાય. ચોરાશીમાં ફરતાં ફરતાં પુણ્ય ઉપાર્જન કર્યું, પણ લક્ષમાં લેવા જેવું હતું તેની એને ખબર નથી. ભૂલ શું? એ શાથી ટળે ? તે સત્સંગે સમજાય, વિચાર આવે તો સમજાય. જગતમાં કેટલી ધમાલ કરી રહ્યા છે ! કોઈ નાટક સિનેમા જેવા જશે, પણ ધર્મની ગરજ કોને? જેનું ભલું થવાનું હોય તે જ સત્પરુષ પાસે આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે ઘણું પુણ્ય ચઢે ત્યારે આ દરવાજામાં પગ મુકાય. નહીં તે અહીં આવવાનો વિચાર કરે તેય એનાથી અવાય નહીં.
વિ. ૬૬૦]
૨૨૮ શ્રી. રાવ આ૦ અગાસ, શ્રાવણ વદ ૧૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–જ્ઞાનનું ફળ વિરતિ છે એમ ભગવાને કહ્યું છે. જેટલું આત્માનું જ્ઞાન હેય, તેટલી પરપદાર્થથી વૃત્તિ વિરામ પામે. બહારથી ભલે ન છૂટે, પણ અંતરથી તે, છોડવાયેગ્ય છે એમ થવું જોઈએ. ભરતને કેવળજ્ઞાન ગૃહસ્થ અવસ્થામાં થયું. વૃત્તિ વિરામ પામવાને માટે વ્રત નિયમ વગેરે કરવાં. જ્ઞાન પામ્ય, શ્રદ્ધા આવી, પણ જે સંયમ ન આવ્યો તે કેરી વગરના આંબા જેવ, વંધ્યતરુ જે કહ્યો. પ્રમાદ છોડવા જ્ઞાનીનું શરણ લેવાનું છે. પ્રમાદ છોડ્યા વગર થાય નહીં. કેઈ કરી આપે નહીં. પિતાને જ કરવું પડશે. પોતાનાં પરિણામ ફેરવી, ભાવ પાછા હઠાવી, પોતાને જ કરવું પડશે. શ્રદ્ધા જ્ઞાન પામ્યા પછી જે પ્રમાદી થયે અને સંયમ ન આવ્યું તે વંધ્યતરુ એટલે ફળફૂલ વગરના ઝાડ જેવું છે.
૨૨૯ શ્રીરાત્રે આ અગાસ, શ્રાવણ વદ ૧૩, ૨૦૦૯ પૂજ્યશ્રી–સંસારમાં બધી વસ્તુઓ ભયભરી છે. માત્ર એક વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય એ જ છૂટવાનું કારણ છે. વૈરાગ્ય એ ઠેઠ મેક્ષે લઈ જનાર ભૂમિ છે. જન્મ, મરણને માટે ભય છે. વિરાગ્ય રહે તે કર્મ ન બંધાય અને તેથી જન્મમરણ ન થાય. ત્યાગભાવ જીવને કર્તવ્ય છે.
જેને આત્મજ્ઞાન હતું, જેને હજાર વર્ષના સંયમી જેવો વૈરાગ્ય હતો એવા તીર્થકર ભગવાન પણ ઘરમાં બેસી ન રહ્યા. બધે સંસાર વ્યવહાર છોડી ઉદય આવ્યે મુનિ પણું લીધું. કેવળજ્ઞાન ન થાય ત્યાંસુધી જપવું નહીં, એમ એમને રહેતું. જ્ઞાનનું ફળ વિરતિ છે, એ આવે તે જ્ઞાને કામ કર્યું કહેવાય.
ગૃહસ્થ અવસ્થા હોય ત્યાંસુધી આત્મજ્ઞાન ન જ થાય એ નિયમ નથી. જ્ઞાન થયા પછી સાધુ થાય એ નિયમ નથી. તીર્થંકર આત્મજ્ઞાનસહિત જમ્યા હતા છતાં ગૃહસ્થઅવસ્થામાં રહ્યા હતા. આત્મજ્ઞાન થયું હોય તે પણ ત્યાગ જ્ઞાનીને પણ કર્તવ્ય છે. ખરો આત્મજ્ઞાનને રસ સ્થિરતા આવ્યું આવે છે. તે માટે ત્યાગ કરવાનો છે. પછી એને કઈ પૂછે નહીં, બોલાવે નહીં, ગૃહસ્થ અવસ્થા હોય તે ઘણાં કામ હોય, વાતચીત પણ કરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org