SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૬ ધામૃત એ ભૂલ રહી છે. એ ત્રણ દેશે ભ્રાંતિને ટકાવી રાખે છે. એને લઈને જ દર્શન મેહ ટક્યો છે. સત્સંગ મળે, સદ્ગુરુની આજ્ઞા મળે, પછી વિચાર થાય તે સમજીને શમાય. ૧૦. અત્યારે જીવ જ્યાં ઊભે છે તે અસત્સંગમાંથી સત્સંગમાં આવે, સ્વછંદ રેકે, આજ્ઞા મળે, તેને વિચાર કરે તે સમજીને શમાય. સ્વછંદ રેકે, આજ્ઞા આરાધે તે સમ્યફત્વ થવાનું કારણ છે. પછી આજ્ઞાને વિચાર કરે તેથી જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ.” એ બધી ભૂમિકાઓ છે. જ્યાં છે ત્યાંથી આગળ વધે, આત્મજ્ઞાન થાય તે સમજાય અને શમાય, જે સહુએ સદ્દગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે અને સહજે આત્મબંધ થાય.” સપુરુષ અને સપુરુષના વચનની અપૂર્ણતા લાગે તો સ્વછંદ કાય, ત્યારે એને આજ્ઞાની અપૂર્વતા લાગે, પછી એને વિચાર થાય, ત્યાર પછી સમજીને સમાય. જીવને પોતાના દેષ દેખાતા નથી તેથી જ્ઞાની બધા દેશે કાઢી કાઢીને બતાવે છે કે આ દોષ જીવને ખાળે છે, સંસારમાં રોકી રાખે છે. ૧૧. શાશ્વત માર્ગ છે. જે જે મેક્ષે ગયા છે તે આ રસ્તે જ ગયા છે. પ્રભુશ્રીએ આ પત્રના ભાવનું જ એક વખતે લખાવેલું છેઃ “પિતાને પોતાને બંધ થવાથી પોતાને પિતામાં સમાઈ જવું–ભાવથી અને વિચારવી. બીજા વિકલ્પ મૂકીને. આ વિચાર સમાધિને આપે છે.” (પ્રભુશ્રીજીનું ઉપદેશામૃત પૃષ્ઠ ૨૬૪). જેમ છે તેમ આત્મસ્વરૂપ સમજવું અને પછી શમાઈ જવું એ જ્ઞાનીના બેધથી સમજાય છે. શમાવામાં ભાવની જરૂર છે. ઉલ્લાસભાવથી ઊંડા વિચારથી સમાઈ જવું. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું, ઊંડા ઊતરે મુનિ ! પિતાને પિતામાં શમાવું હશે તે ભાવ અને વિચાર બેય જોઈશે. જ્યારે જીવને અપૂર્વતા લાગશે ત્યારે એ કામ થશે. અપૂર્વ ભાવ આવે અને પછી વિચાર આવે અને પછી ચઢિયાતા ભાવ થાય ત્યારે જેમ છે તેમ સમજાય છે. ભાવ અને વિચારથી બીજા વિકલ્પો મૂકીને શમાય. જેમ છે તેમ સમજાય ત્યારે વિકલ્પ બધા મૂકીને શમાઈ જાય. આ બધે સમાઈ જવાને ક્રમ છે. અપૂર્વ ભાવ આવે અને પછી વિચાર આવે અને બીજા વિકલ્પો મૂકે ત્યારે સમજીને સમાય. અપ્રતિબંધ એટલે પ્રતિબંધરહિત, અસંગ એટલે બધાય સંગથી રહિત. સમાધિ માર્ગ, શાંતિને માર્ગ આ છે. જીવે બધા પ્રતિબંધ, બધા સંગ મૂકવા પડશે. ત્યારે શાંતિ કે સમાધિ થશે. આ બધામાં પુરુષાર્થ ભક્તિ છે. સ્વછંદ, પ્રમાદ મૂકીને ભક્તિ કર્તવ્ય છે. જાગૃત થા. બીજામાં હવે માહાસ્ય ન રાખીશ. એમાં જ મંડી પડ. ખરે પુરુષાર્થ ભક્તિ છે. ભક્તિ વચન છે, આત્મા છે. શ્રવણભક્તિથી માંડીને પરાભક્તિ સુધી ભક્તિ છે. સત્સંગ, સપુરુષને બેધ હોય તો વિચાર જાગે. એ સુવિચાર કહેવાય. એથી આત્મજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy