SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૭૫ દેહાધ્યાસરૂપ બ્રાંતિ ગઈ રહ્યા તે સ્વરૂપમાં રહ્યા અને ગયા એટલે અધ્યાસ શમાઈ ગયે. ૪. સમજવું ને શમાવું એટલું જ કહેવું છે. રહ્યા કે ગયા એ એક જ છે. યથાર્થ સમજણું થયે મારું તારું, સંકલ્પવિકલ્પ બધું સમાઈ જાય. ૫. જેને એમ લાગતું હોય કે કૃપાળુદેવનાં વચન મને સમજાયાં છે, તેણે તપાસવું કે મારું તારું મન થાય છે? જે થતું હોય તે સમજાયું નથી. જેમ છે તેમ આત્મસ્વરૂપ સમજાયું નથી. નહીં તે ભ્રાંતિ જાય, મિથ્યાત્વ, મારું તારું બધું જાય. જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેમાં મારું તારું કશું ન દીઠું. બીજી વસ્તુને મારી માનતા હતા તે સમાઈ ગયું. પ્રભુશ્રીજી કહેતા કે તારું શું? તારો આત્મા છે. મન પણ ન ચિંતવી શકે એવું સ્વરૂપ છે. તે શબ્દમાં આવે એવું છે નહીં. શબ્દા જુદા અને આત્મા જુદે. તેથી મહાપુરુષને શબ્દનું માહાસ્ય ન રહ્યું. ૬. મૌનને અર્થ મુનિપણું થાય છે. “લ સiતિ વરદ હૈ મોતિ પ્રાતઃ ” (આચારાંગ) જેની પાસે આત્મજ્ઞાન છે તેની પાસે મૌન પારું અથવા મુનિપણું છે. મૌન એટલે જાણવું. આત્માને સ્વભાવ જાણવાને છે, તેથી જાણવામાં રહ્યા. બોલવાનો સ્વભાવ આત્માનો નથી, તેથી મૌન થયા. કંઈ વ્યવહારથી કહેવું પડે, પણ ત્યાં એમને મમતા નથી. તેથી બોલે તોય મૌન છે. ગની પ્રવૃત્તિ છે. મન વચન કાયા બધા જોગ છે. એ આત્મા નથી. વચન બોલતાં “આ મારું નથી” એ લક્ષ રહે. આ વચન મારું છે એમ થાય નહીં. શ્રદ્ધાને સ્વભાવ એવો છે કે એ ક્યાં આવી ત્યાં મનની લીનતા થાય છે. સમ્યફવનું બીજું નામ રુચિ છે. ૭. “સમજીને શમાઈ રહ્યા-ગયા” એમ લેકભાષામાં પણ બોલાય છે. પણ જ્ઞાનીને શું કહેવું છે તે લોકો સમજ્યા નથી. સમજ્યા તે શમાયા અને જે માયા નથી તે સમજ્યા પણ નથી. એટલે અંશે સમજવાનું બને તેટલે અંશે શમાવાનું પણ બને છે. જેટલી જેટલી સમજણું થાય તેટલા મારાતારાના વિકલ્પો ઓછા થાય. જ્યારે સંપૂર્ણ સમજણ આવે ત્યારે આત્મામાં લીનતા સંપૂર્ણ થાય. પછી એને આત્માનું જ માહાસ્ય લાગે. જ્યારે યથાર્થ સમજણ આવે ત્યારે બધા વિકલ ઓછા થાય છે. એ સમજણ જેમ જેમ કમ માર્ગ આપે તેમ તેમ ક્રમે ક્રમે થાય છે. કર્મની વિચિત્ર ગતિ છે, યથાર્થ જીવને સમજાયું નથી તેથી વિકલ્પો બધા ઊભા થયા છે. તેથી સંસાર ઊભો થયો છે. વિકલ છૂટે તે જેમ છે તેમ સમજાય. જેમ છે તેમ સમજાય તે વિકપ બધા છૂટી જાય. વારંવાર કહે છે તેનું કારણ જીવને આ વાત બેસતી નથી. મારું તારું મૂકવું સહેલું નથી. જ્યારે ત્યારે મેક્ષે જવું હશે ત્યારે મારું તારું મૂકવું પડશે. “હું જાણું છું, સમજું છું” એ સમ્યકત્વ ન થાય ત્યાં સુધી રહે છે. તે ખોટું છે. સમ્યક્ત્વ થાય ત્યારે એ નીકળી જાય. “હું ને મારુ” એ અહંભાવ મમત્વભાવ છે, એ જ મોહ છે. સંકલ્પ વિકલ્પ એટલે અહંભાવ મમત્વ ભાવ. એ જેને નીકળી ગયું તે સમયે કહેવાય. ૯. ભૂલ આવવાનું કારણ શું છે? તે કહે છે. અસત્સંગથી, સ્વછંદથી, અવિચારથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy