SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૭૩ પણ ખેટે હોય. એ બધા ભેદ કહી મુખ્ય અર્થ તો આત્માને યથાર્થ જાણવે અને તેમાં ઉપગ વાળ એમ કહ્યું. “યમનિયમ”માં સાધન કહ્યાં છે તે અનંતવાર કર્યો. પણ સભ્યપ્રકારે થયાં નથી એટલે જન્મમરણ ટળ્યાં નથી. એ બધે પુરુષાર્થ તે કર્યો પણ સમજવું અને શમાવું એ રહી ગયું. જ્ઞાન થવું અને બીજેથી વિરામ પામવું એ એની પાસે આવ્યું નથી. આત્મા સમજાય નથી તે પછી છૂટેય નહીં. સમજીને શમાશે તે પોતાના અનુભવમાં આવશે. “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?” (૧૫). તેને આ બધે ઉત્તર છે. ઉપગને બાહ્યમાં પ્રવર્તાવ્યો પણ અંદર શમા નહીં, તેથી સહુ સાધન બંધન થયાં. મેક્ષ ન થયે. ૯જે સમજીને શમાવાનું ઐક્ય કરે એટલે કે સમજીને શમાયા તે આત્માના અનુભવને પામ્યા. જીવે અનાદિથી એ પુરુષાર્થ કર્યો નથી. સમજીને શમાવું એટલે સ્વરૂપમાં જ રહેવું. પરિભ્રમણનું કારણ એ કે સમયે નહીં અને શમા નહીં. સમજવું અને શમાવું એ જ કરવાનું છે. તે શાથી ન જાણું? તો કે સદ્દગુરુના ચરણ સેવ્યાં નહીં તેથી. છપદની જ્ઞાની દ્વારા શિખામણ મળી હોય તો પછી શમાવું થાય છે. ધર્મનું કામ ઉપવાસ વગેરે ઘણું કર્યું, પણ સમજવાનું અને શમાવાનું શા માટે ન થયું? તે કે તેનું કારણ અસત્સંગ કરે છે, જ્ઞાનીએ કહ્યું કે મારે કરવું છે એમ નથી. જ્ઞાની પુરુષને વેગ થવા છતાં સ્વદે વતે તે પછી કલ્યાણ થાય નહીં. અસત્સંગ, સ્વાદ અને અજ્ઞાન એ ત્રણ સંસાર વધવાનાં કારણ છે. મારું કશુંયે નથી એમ સત્સંગે સાંભળવાનું મળે ત્યાં શાંતિ થાય. યથાર્થ ન સમજાયું તેનું કારણ અસત્સંગ છે. પરિભ્રમણ થયું તેનાં ત્રણ કારણ શોધી કાઢયાં; અસત્સંગ, સ્વછંદ અને અજ્ઞાન, જ્ઞાનીની આજ્ઞા આરાધે છે તે સત્સંગને જ સેવે છે અને જે સત્સંગને ઉપાસે છે તેને મોક્ષ થાય છે. પણ જો અસત્સંગમાં તણાઈ જાય તે બધી આજ્ઞા પડી રહે. આજ્ઞા મળી પણ આરાધે નહીં તો હુંટાઈ જાય. સંસારના કામમાં પડી રહે તે આજ્ઞા પડી રહે. અને આધ્યાન કરી કર્મ બાંધે. કેટલું માહાસ્ય છે એ વાક્યોનું! એવું જીવને માહાસ્ય નથી. કૃપાળુદેવે કેટલો અર્થ કહ્યો છે! અસત્સંગને લીધે જીવ રઝળે છે. જ્ઞાનીની આજ્ઞા મળી નથી. મળી તે આરાધી નહીં. આજ્ઞાનું માહામ્ય ન લાગ્યું. અનંત કાળથી આજ્ઞા વિચારી નથી. આજ્ઞાને વિચારે તે ધર્મ પ્રગટે. શાળાવિ ઇ, સાપ તો ! અસત્સંગ હોય તો આજ્ઞાનું માહાસ્ય ન રહે. પોતાનાં પરિ. ણામ સુધારવા કરવાનું છે. અસત્સંગ અને અવિચાર એ પ્રતિબંધ છે. “કર વિચાર તે પામ.” વિચારદશા તે પ્રાપ્ત કરવી પડે. એ વિના તો આત્મજ્ઞાન થાય નહીં. અસત્સંગ, સવછંદ અને અવિચાર એ ત્રણે દેષ છે. તે જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં વિધ્ર છે. ૧૦. જ્યાં જીવ ઊભે છે ત્યાંથી આગળ વધવાની જરૂર છે. મનુષ્યભવ સફળ કર. વાનો છે. સમજીને શમાય તેને મિક્ષ કહ્યો છે. તે જીવના લક્ષમાં આવ્યો નથી. અનંતકાળથી ભટક ભટક કરે છે. આગળ વધે તે સમજી ને શમાય. આજ્ઞાના વિચાર વિના ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy