SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૭૧ દુઃખ અને આનંદ. સુખ એ એને સ્વભાવ છે. આનંદ છે તે વૃત્તિ છે, ઉલાસ છે. દુઃખને જ સુખ માને છે. એ ક્ષણિક છે અને કર્મબંધનું કારણ છે તેથી દુઃખ જ છે. - સત્સંગ એ પ્રથમ કરવાગ્યા છે. સત્સંગે કંઈ સાંભળવાનું મળે, વિચારવાનું મળે. જ્ઞાની કહે છે તે અને હું માનું છું એમાં શું ફેર છે? એમ ખબર પડે છે. સત્સંગે એને વસ્તુ સમજાય છે. “સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે.” (૫૦૯). તેમ જ્ઞાન થયા પછી પણ અજ્ઞાનના સંસ્કાર રહે છે. એ સંસ્કારથી ન સાચવે તો પાછો અજ્ઞાની થઈ જાય. જે સંગ છે તે થઈ જાય. [વ. ૬૫૧] ૨૨૬ શ્રીરાવ આ૦ અગાસ, શ્રાવણ વદ ૧૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–કૃપાળુદેવે સભાગભાઈને પૂછેલું કે સમજ્યા તે શમાઈ રહ્યા અને સમજ્યા તે સમાઈ ગયા એમાં ભેદ લાગે તે લખશે. સભાગભાઈએ કૃપાળુદેવને એ વિષે વિસ્તારથી લખવા કહ્યું. તેથી આ પત્ર લખ્યો છે. આ વાક્ય સમજી ગયા એમ ન કરવું. વારંવાર એને વિચાર કરવાનું છે. કૃપાળુદેવે ઘણે વિચાર કરી પછી “સમજ્યા તે સમાઈ ગયા” એ વાક્ય લખ્યું છે. ૧. જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ સમજવું તેનું નામ સમજવું છે. આત્મસ્વરૂપ જેમ છે તેમ જાણ્યું તે સમજ્યા. “જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત.” શમાવું એટલે ઉપગ જે બીજે ફરતો હતો તે આત્મસ્વરૂપ જે જાણ્યું તેમાં સમાયે. વિકલ્પ રહિત થવું તે શમાવું. કૃપાળુદેવને ઉપાધિની ઝાળ ચારે બાજુ છે, તેમ છતાં નિર્વિકલ૫સમાધિ રહે છે ૨. આત્માને મૂકી ઉપયોગ બીજે ફરતો હતો, પણ જ્યારે આત્મસ્વરૂપ જાણ્યું ત્યારે તેમાં શમા. સમજ્યા તે શાઈ રહ્યા. સમજ્યા તેથી વિકલ્પ દૂર કરી આત્મામાં શમાયા અને આત્મસ્વભાવમય થઈ રહ્યા. એ “સમજીને શમાઈ રહ્યા” તેને અર્થ કહ્યો. ૩. સમજીને સમાઈ ગયા તેમાં શું ગયું તે કહે છે. આત્માને દેહાદિને સંગ થયો છે. તેમાં હુંપણું થઈ ગયું છે, તે અધ્યાસ છે “સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે.” (૪૯૩). પરમાં પિતાપણું માનવું, “દેહ તે હું છું” એમ માનવું, તેને અધ્યાસ કહે છે. અબ્બાસ એટલે પરમાં પોતાપણાને આરોપ કરવો. (અ + જાત પિતાની જગ્યા નહીં ત્યાં બેસવું) એ બ્રાંતિ કહે, મિથ્યાત્વ કહે, તે અધ્યાસ છે. વિપરીત પણે આત્માપણું માન્યું હતું તે શમાઈ ગયું તેથી અધ્યાસ છૂટી ગયે, પિોતે જ્યાં નહીં ત્યાં પિતાનું આરોપણ કર્યું હતું, એરૂપ બ્રાંતિ ગઈતે ગયું. અધ્યાસમાં આત્માપણું માન્યું હતું તે શમાઈ ગયું. “આત્મારૂપ છું” એમ થવાથી અધ્યાસમાં પોતાપણું માનવારૂપ જે બેટે અહંભાવ હતું તે મટી ગયે. અધ્યાસ જતો રહ્યો તે સમજીને શમાઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy