________________
વચનામૃત-વિવેચન
ર૬૯ અવશ્ય કલ્યાણ થશે, એમ થાય છે એ પુરુષપ્રતીતિ થઈ અને પછી એના વચનની પણ પ્રતીતિ આવે. જ્ઞાનીથી મારું હિત છે. મનુષ્યભવ લેકને રૂડું દેખાડવા ગાળ નથી. નિશ્ચય કરે કે મારે જ્ઞાનીની આજ્ઞાએ જ વર્તવું, તે કામ થઈ જાય. સ્મરણમંત્ર મળે છે તેમાં ચિત્ત રહે તે જગતમાં ન રહે, પ્રમાદ ન કર એમ નિશ્ચય કરી લે તે મોક્ષ થાય. કૃપાળુદેવે કેટલે બધે પુરુષાર્થ કર્યો છે? “જે કે તીર્થકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઈછા છે” (૧૭૦). એવો એમણે નિશ્ચય કર્યો હતે. જ્ઞાનીનું અંતર ઓળખીને, જ્ઞાનીએ પ્રાપ્ત કર્યું તેવું જ આપણું સ્વરૂપ છે એમ કરવાનું છે. અપૂર્વતા લાગે તો પછી જીવ એમાં મંડી પડે. જ્ઞાની અને આપણામાં ભેદ નથી. એ ભેદ કાઢી નાખો. પરાભક્તિ આવે ત્યારે જ્ઞાની અને પોતે અભેદરૂપ થઈ જાય. જેવા થવું હોય તેવી ભાવના કરવી.
રર૩ શ્રી રા. આ અગાસ, ભાદરવા સુદ ૨, ૨૦૦૯ પૂજ્યશ્રી–મને દુઃખ આવે” એમ તે કઈ ઈચ્છતું નથી. તેમ છતાં દુઃખ ભોગવવું પડે છે તેનું કારણ કંઈ હોવું જોઈએ. જગતમાં દુઃખ છે. એ દુઃખ કેમ મટે? દુખ નથી ઈચ્છતા તેમ છતાં મળે છે તેનું શું કારણ? એ ઉપરથી વિચારવાનું હોય તે વિચાર કરે છે. કોઈએ એમ નિર્ણય કર્યો કે ઈશ્વર આ બધું દુઃખ મોકલે છે. કોઈએ એમ નિર્ણય કર્યો કે કર્મને લઈને દુઃખ ભેગવવું પડે છે. કેઈએ તે એમ નિર્ણય કર્યો કે દુઃખ જીવને સ્વભાવ જ છે. એમ અનેક પ્રકારના નિર્ણય કર્યો. પ્રત્યક્ષ દુઃખ દેખાય છે, તેથી પરલેકની સિદ્ધિ થાય છે, જીવતત્વની સિદ્ધિ થાય છે.
“ હોય તેનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય;
એક સમયે તે સૌ સમય, ભેદ અવસ્થા જય. એક દ્રવ્ય અત્યારે છે. તો તે ત્રણે કાળ હોવાયેગ્ય છે. આમાં દ્રવ્ય છે, તે નિત્ય છે. જે નિત્ય ન હોય તે પછી કંઈ ન રહે. અત્યારે જીવ સુખદુઃખ ભેગવે છે તેનું કારણ પુણ્યપાપ છે. તે કર્યું હશે તે વખતે જીવ હાજર હતો અને અત્યારે જીવ હાજર છે, તે ભવિષ્યમાં પણ હાજર રહેશે. આગળ પાછળની બધી અવસ્થા છે.
કઈ જીવ ઉત્પન્ન થતો નથી, નાશ પણ પામતો નથી. આકૃતિ ફરે, પણ આત્મા ન ફરે. બાળક હોય તે યુવાન થાય, યુવાન ઘરડો થાય, પણ જીવ તો એને એ જ છે.
આત્મા બે નિત્ય છે, પર્યાયે પલટાય;
બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ” પર્યાય એ વસ્તુની અવસ્થા છે. તે અવસ્થા પલટાય, પણ આત્મા મૂળ દ્રવ્ય નાશ ન પામે. દેહ એ પર્યાય છે. એને નાશ થાય, પણ આત્માને નાશ ન થાય. પરમાણુને પણ તદ્દન નાશ થતો નથી. દ્રવ્યદષ્ટિ કરવા માટે આ કહ્યું છે. પર્યાયદષ્ટિ છે તે જ દેખત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org