SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ બેધામૃત દેવનો અભિપ્રાય છે. એ અભિપ્રાય મુમુક્ષુ જીવે પણ કરવાગ્ય છે. પુણ્યના ઉદયે સત્સંગ મળે છે. એ ન હોય તેય ભાવના તે એની જ કરવી. [વ. ૬૪૧] ૨૨૧ પૂજ્યશ્રી–આ દેખતભૂલી અનાદિની છે તેથી દેખે છે ને ભૂલે છે. ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે ભાન નહીં, કહીએ કેવું જ્ઞાન ? ” પરને દેખીને પિતાને ભૂલી જાય છે. ત્યાં રાગદ્વેષ કરી કર્મ બાંધે છે. તે ટળે તે મોક્ષ થાય. આખું જગત દેખે છે ને ભૂલે છે, દેખે છે ને ભૂલે છે. એમ આખું જગત દેખતભૂલીમાં જ વહે છે. એ ભૂલ ક્યા આધારથી મટે? એને આધાર તમને સમજાય છે? એમ કૃપાળુદેવ સેભાગભાઈને પૂછે છે. પિતાની શક્તિ ન હોય ત્યારે જીવ બીજાનું અવલંબન લે છે. આખું જગત મિથ્યાત્વમાં કર્મભાવે તણાય છે. તે મટી જીવ મેક્ષે જાય એવો કે આધાર છે? [વ. ૬૪૨] ૨૨૨ શ્રી રા. આ૦ અગાસ, ભાદ્રપદ સુદ ૧, ૨૦૦૯ પૂજ્યશ્રી–કૃપાળુદેવ આપણને કહે છે તેને લક્ષ રાખીએ તો જીવન પલટાઈ જાય. આખું જીવન પરકથા અને પરવૃત્તિમાં જાય છે. બહુ લક્ષ રાખવાનું છે. જ્ઞાની પુરુષ એક ક્ષણ પણ નકામી ન જાય એ લક્ષ રાખે છે. તેમ આપણને કરવા કહે છે. જેવું અવલંબન હોય તેવા ભાવ થાય છે. વિશ્વમાં પરકથા અને પરવૃત્તિ છે તેમાં રહે તે મનુષ્યભવ નિષ્ફળ જ રહે. જીવ ઊંઘે છે, તેથી ખબર નથી કે કેટલે કાળ ગમે છે. લક્ષ રાખે નહીં તે અનંતભાવ ગયા તેમ આ ભવ જ રહે. જે ચેતે તે એક સમય પણ પરવૃત્તિએ ન જવા દે. પહેલાંથી પ્રમાદ છેડી જ્ઞાનીની શિખામણ માની લે તે પછી એને જીવન ટૂંકું ન પડે, લાંબું લાગે. પાછા વળી પોતાનું તપાસવાનું છે કે મારો કાળ શામાં જાય છે? “જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું તેથી રૂડું થયું નથી.” (૩૭). મહાપુરુષથી જે મંત્ર મળે છે તે આજ્ઞા આરાધે તે કામ થાય. બીજુ બધું ભૂલી, કરવા જેવું આ છે. એટલે પ્રમાદ થાય તેટલું બંધન થાય. અજ્ઞાનદશામાં જે કર્મ બંધાય તે કેડીકેડી સાગર કરતાં ઓછાં બંધાય જ નહીં. માટે ચેતવા જેવું છે. “સ્થિરતા ક્યાંથી થાય?' એમ કહ્યું તે જ્ઞાની પુરુષની વાત છે. સ્વરૂપમાં સ્થિરતાની વાત છે. તેમ મુમુક્ષુને જ્ઞાનીની આજ્ઞામાં સ્થિરતા કરવાની છે. હિસાબ ન હોય તે નફાટાની ખબર ન પડે. મનુષ્યભવ લાભમાં જાય છે કે અહિતમાં જાય છે, એ બંડા ઊતરીને પોતે વિચારવાનું છે. જીવ બહેરે થઈને બેઠે છે. જ્ઞાનીને જે નિશ્ચય આવે તે અધું કામ પતી ગયું કહેવાય. જ્ઞાનીની આજ્ઞાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy