________________
વચનામૃત-વિવેચન [વ. ૬૩૧]
૨૧૯ શ્રી. રાવ આ૦ અગાસ, ભા૦ સુદ ૨, ૨૦૦૯ કૃપાળુદેવે આ લખ્યું છે તેને ભાવ એ છે કે, જે કાળજું તે સઘં નાળrg-આચારાંગ (૬૪). આત્મામાં અનંત શક્તિ છે. આત્માને જાણે તે આત્મભાવના થાય. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે.” સર્વ જાણીને આત્માને સુખી કરે છે. આત્માનું ખરું સ્વરૂપ જાણવા માટે વાંચવા વિચારવાનું છે. અત્યારે જીવને બહારની વસ્તુઓ જાણવાની ઈચ્છા છે, પણ જ્ઞાની કહે છે કે આત્માને જાણીશ તે બધું જણાશે. આત્માને જાણવા માટે ભક્તિ વગેરે કરવાં છે. કઈ જાણનાર છે, તેના પ્રત્યે દષ્ટિ આપવી. બધાને આધાર આત્મા છે. માટે એ આત્મા ભણી દષ્ટિ દે.
એક મુમુક્ષુ–સમસ્ત સૃષ્ટિ તારે વિષે યપણે દેખાશે એટલે શું? પૂજ્યશ્રી આત્માને નિમળતા થાય તે પછી કેવળજ્ઞાન થાય અને તેથી બધું દેખાય
જ્ઞાનીએ તે બધાં શાઓના સારરૂપ કહ્યું, પણ જીવને સમજાવું મુશ્કેલ છે, જ્યાં સુધી મેહ છે ત્યાં સુધી બીજી જ ઈચ્છા થાય છે. જ્ઞાનીનાં વચને જ્ઞાની દ્વારા સમજાય એવાં છે જ્ઞાની પુરુષને સામાન્યપણે જાણે છે. પોતાને જેવું થતું હોય તેવું જ્ઞાનીને પણ થતું હશે, એમ જીવને ક૯૫ના થાય છે. તેથી જ્ઞાની ઓળખાય નહીં. જ્ઞાની કેમ ઓળખાય? એમ કૃપાળુદેવે સેભાગભાઈને પ્રશ્ન પૂછે. તેને ઉત્તર ભાગભાઈએ એમ આ કે “નિર્પેક્ષ થઈ સત્સંગ કરે તે સત્ જણાય ને પછી પુરુષનો જોગ બને છે તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કપના ટળે.” (૩૩૩). મોક્ષની રુચિ થવી, અપૂર્વતા લાગવી મુશ્કેલ છે. એ સપુરુષ વિના થતું નથી. શાસ્ત્રો ભણે, વાંચે, બીજાને કહે, પણ એમ કંઈ પુરુષ ન ઓળખાય. ઠેકાણે ઠેકાણેથી સાચી વસ્તુ મળતી નથી. - બધાં શાસ્ત્રને સાર તે “આત્મા જાણ” કહ્યું. તે હવે આપણે જપ તપ નિયમ યમની શી જરૂર છે? એ તો નિષ્ફળ છે એમ કેઈ કહે, તે કે એમ નથી. આત્મા જાણો છે, પણ એને માટે યોગ્યતા લાવવા સાધનની જરૂર પડશે. સાધને કરી આત્મપ્રાપ્તિ કરવી છે, પણ સાધને કર્યા કરે અને આત્માને લક્ષ ન હોય તો તેમાં જ અટકી રહે. સાધનને આગ્રહ પછી એને થઈ જાય, કે “હું કરું છું એમ જ બધા કરો.” સાધન છે તેથી સાધ્ય કરી લેવું. સાધનમાં અટકી રહે તે સાધ્ય ન થાય. જેમ આંગળીથી ચંદ્ર બતાવે, પણ જોનાર જે આંગળીને જ વળગી રહે તે ચંદ્ર દેખાય નહીં તેમ સાધનને વળગી રહે તે સાધ્ય રહી જાય.
[વ. ૬૪૦].
પૂજ્યશ્રી–જીવને પરવસ્તુને સંગ છે, તેથી ભૂલ્યો છે. પણ જે અસંગ થાય તે મિક્ષ થાય. પિતાના સ્વરૂપમાં રહે. મારે અસંગ થવું છે, એમ કરવાથી અસંગ થઈ જવાતું નથી. પણ એનું કારણ સેવે તે અસંગ થાય. જેને છૂટવું હોય તેણે સત્સંગનો આધાર લે. નિત્ય સત્સંગ કરે. સત્સંગ જેવું આત્મકલ્યાણનું કઈ બીજું કારણ નથી એ કૃપાળુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org