SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ બેધામૃત પ્રદેશ એના નિરાવરણ થયા છે, અને પછી ઇન્દ્રિયની જરૂર નથી. ક્ષયપશમ એવા પ્રકારને છે કે અમુક સંચા હોય તે જ દેખાય, સંભળાય. એ પ્રકારને ક્ષયોપશમ છે. એવા પાછા સંચા છે. ક્ષપશમ હોય પણ સંચા બગડી જાય તે દેખાય નહીં. સંચે સામે થયે તે પાછું દેખાવા માંડે. કેટલાંક કર્મ જ્ઞાન ઉપર અસર કરે છે, કેટલાંક શરીર ઉપર અસર કરે છે. જ્ઞાનાવરણીય કર્મ એવું બાંધ્યું હોય તે પછી એને એવી લબ્ધિ જ ન થાય અને ઇન્દ્રિયનામકર્મ એવા પ્રકારનું હોય કે સાધન ખોડવાળાં થાય કે બગડી જાય. જ્ઞાનાવરણીય જ્ઞાન ગુણ ઉપર આવરણ કરે છે અને નામકર્મ ઇન્દ્રિય ઉપર આવરણ કરે છે. કર્મની શક્તિ કેટલી છે, તે સમજાવવા માટે કર્મગ્રંથ મહાપુરુષએ લખ્યા છે. ક્ષપશમજ્ઞાનમાં ભેદ છે; કેવળજ્ઞાનમાં કંઈ ભેદ નહીં મળે. અક્ષરના અનંતમાં ભાગ જેટલું ઓછામાં ઓછું જ્ઞાન નિગદમાં પણ હોય છે. વધારે જ્ઞાનાવરણીયને ક્ષયોપશમ થાય તો બે ઇન્દ્રિય થાય. એમ જેમ જેમ ક્ષપશમ થાય તેમ તેમ ઇન્દ્રિયો વધતી જાય. કેટલાકને વિશેષ એ ક્ષયોપશમ હોય છે કે તમે ઊંધે કાગળ રાખો તોય વાંચે. નિરાવરણજ્ઞાન થાય ત્યારે એક સાથે બધું જાણી શકે એવું જ્ઞાન હોય છે. એટલે ક્ષેપ શમ હોય તેટલું જણાય. અવધિજ્ઞાનના ક્ષપશમવાળો અમુક હદ સુધી જાણે છે. જે ગુણ છે તેને સર્વ પ્રકારે આવરણ કરનાર સર્વ ધાતિકર્મ છે. એ જે ઉદય આવે તે આત્માના ગુણની ઘાત થાય. કમ માગ આપે એ ક્ષયોપશમ કહેવાય. ક્ષપશમ હોય અને જે એનિમાં જે પ્રકારે ઇન્દ્રિય થતી હોય તે પ્રકારે ગોઠવાય છે. કર્મની વાત બહુ ગહન, છે. “ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.” ૩. શરીરના અમુક ભાગમાં પીડા હોય તે જીવને ઉપયોગ ત્યાં જ રહે છે, તે જીવના બધા પ્રદેશ ત્યાં ખેંચાતા હશે ? એમ સોભાગભાઈ પૂછે છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે બધા પ્રદેશ જાણવાનું કામ કરે છે, પણ જ્યાં આગળ વેદના હોય ત્યાં આગળ જીવને ઉપગ જાય છે. જાણે છે બધાય પ્રદેશથી. પાછું એમ પણ છે કે કોઈક વખતે ઘણી વધારે વેદના હેય ત્યારે આત્માના બધા પ્રદેશની દશમદ્વારાદિમાં સ્થિતિ થઈ જાય છે. એ બધું થવાનું કારણ જીવને વીર્ય નથી, તેથી સિથરતા રહેતી નથી. નહીં તો ગજસુકુમારના માથા પર અંગારા ભર્યા તે સ્થિર રહ્યા. એ વીર્યનું કામ છે. અવ્યાબાધ ગુણ ચૌદમાને અંતે પૂર્ણ પ્રગટે છે. જીવને જેમ જિજ્ઞાસા થાય તેમ સ્થિરતા આવે છે. થિર થતો થતો પછી એકલક્ષ થઈ જાય. ઉપગ એનો એક જ જગ્યાએ ખેંચાય. વિચારણા જાગે કે આત્મા કેવો છે? આત્મા શાથી આવરણ પામે છે? એવા વિચાર કરવા ગ્ય છે. કૃપાળુદેવ કહે છે કે આત્મામાં ચિત્ત વારંવાર જાય તેથી ઉપયોગ લખવામાં રહેતો નથી. કૃપાળુદેવ થોડાક વખતમાં ઘણું લખતા. કછ દરબારમાં એમને લખવા બોલાવતા. થોડાંક વખતમાં ઘણું લખી નાખતા. આત્મા ઉપર આવરણ થાય છે અને આવરણ જેટલું જેટલું ઘટે તે ક્ષપશમ થશે કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy