________________
વચનામૃત-વિવેચન ૧. અંધારામાં ન દેખાય, અમુક હદ સુધી દેખાય વગેરેનું કારણ શું? જ્ઞાનદર્શન ઉપર આવરણ આવી જતું હશે? એને ઉત્તર લખે છે–
જ્ઞાન ઉપર આવરણ છે. ક્ષપશમ થાય ત્યારે જ્ઞાનાવરણીય માર્ગ આપે જ્ઞાનવરણીયને પશમ થવાથી જ્ઞાન થાય છે. એકેન્દ્રિય થાય ત્યારે સ્પર્શથી જાણે, બેઈન્દ્રિય થાય ત્યારે સ્પર્શ અને રસ એમ બે ઇન્દ્રિયથી જાણે, તેઈન્દ્રિય થાય ત્યારે સ્પર્શ, રસ, ઘાણ એમ ત્રણ ઈન્દ્રિયથી જાણે, ચતુરિન્દ્રિય થાય ત્યારે સ્પર્શ, રસ, ઘાણ અને આંખ એ ચાર ઈન્દ્રિયથી જાણે અને પંચેન્દ્રિય થાય ત્યારે સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને કાન એ પાંચ ઇન્દ્રિયથી જાણે. એ ક્ષયોપશમ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયને થાય છે. એ ક્ષય પશમ થયે તેમ છતાં અજવાળ વગર ન દેખાય પણ બિલાડી, ઘુવડ, ઉંદર વગેરેને રાત્રે દેખાય છે. મનુષ્યને પણ એ ક્ષયે પશમ થઈ શકે છે. કેવળજ્ઞાન થાય ત્યારે કઈ ઈન્દ્રિયની મદદ ન લેવી પડે, સહાય વગર જાણે. ઈન્દ્રિયની પ્રાપ્તિ તે લબ્ધિ કહેવાય અને પછી ઉપયોગ કરે ત્યારે ઉપગરૂપ ઈન્દ્રિય છે. એવું સમ્યગ્દર્શન પણ લબ્ધિરૂપ અને ઉપગરૂપ કહેવાય છે. જ્યારે આત્માના ઉપગમાં હોય ત્યારે ઉપયોગરૂપ સમકિત કહેવાય. અને જ્યારે બીજા કામમાં હોય ત્યારે લબ્ધિરૂપ સમકિત કહેવાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય બેય કર્મ જુદાં છે. કંઈક છે એમ ખબર પડે તે દર્શન કહેવાય અને વિશેષ જ્ઞાન થાય ત્યારે જ્ઞાન કહેવાય, પાંચ પ્રકારની ઈન્દ્રિયલબ્ધિ છે. સ્પર્શથી શ્રવણુ પર્યત પાંચ ઇન્દ્રિયની લબ્ધિ મનુષ્યોનિમાં આવે ત્યારે હોય છે. પછી જનમથી આંધળો હોય તેય એને લબ્ધિ છે, તેથી પંચેન્દ્રિય કહેવાય છે. કાને ન સાંભળે તેય એને લબ્ધિ તે છે. સાધન બગડી ગયું છે. એનું કારણ પણ કર્મ છે. મનુષ્યપણું મળવું એનું કારણ કર્મ છે. શક્તિની અમુક હદ આવી જાય તે વ્યાહતિ કહેવાય છે. પાંચ ઇન્દ્રિયની શક્તિ બધી મનુષ્યને છે, પણ કોઈને ઓછી અને કેઈ ને વધારે હોય છે. અંધારામાં વસ્તુ પડી હોય તે ન દેખાય, અમુક હદ સુધી અમુક પ્રકાશ હાય તો દેખાય, એ ક્ષયોપશમ હોય છે. કેઈ વસ્તુ ખૂણામાં પડી હોય તે ન દેખાય, ખુલ્લી બહાર હોય તે દેખાય. એની હદ હોય છે. ઊગતે ચંદ્ર કોઈને દેખાય, કેઈને ન દેખાય. એનું કારણ ક્ષયશમનું ઓછાવત્તા પાણું છે. સિદ્ધભગવાન ઈન્દ્રિયની સહાય વગર જાણે છે, તેમ કેવલી પણ ઈન્દ્રિયની સહાય વગર જાણે છે. ઇન્દ્રિયની શક્તિની અમુક હદે વાત થાય છે. તેથી આગળ જાણી શકે નહી'.
૨. આત્મા આખા શરીરમાં વ્યાપેલે છે, છતાં આંખથી જ જુએ છે. તો અમુક જગ્યાએ જ જેવાય, સંભાળાય છે એનું કારણ શું હશે? વગેરે સેભાગભાઈ કૃપાળુ દેવને પૂછે છે.
આખાં લેકના અસંખ્યાત પ્રદેશ કહેવાય છે, તેવા આત્માના પણ અસંખ્યાત પ્રદેશ છે. અરૂપી પદાર્થને નાનામાં નાનો ભાગ પ્રદેશ છે. કેવળજ્ઞાન, કેવળદન હોય તે બધા ઠેકાણેથી જાણે. જ્ઞાન ઉપર આવરણ છે, તે દૂર થાય તે પછી બધા પ્રદેશથી જાણે. બધા
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org