________________
२६४
બેધામૃત તે પણ જાણી શકે અથવા કઈ પ્રમાણ હોય તે બીજાને પણ ખબર પડે. કઈ જીવ બીજા જીવને પૂર્વની વાત કરે તે પેલાને આવરણ ખસતાં જાતિસ્મરણ થઈ જાય. તેથી તે પણ સમજી શકે કે આને જ્ઞાન થયું છે અને મને પણ થયું છે.
“ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહે !” ક્ષણે ક્ષણે મરણ થાય છે કે કેમ સમજવું? એમ સોભાગભાઈ એ પ્રશ્ન પૂછળ્યો છે. - પર્યાય પલટાય છે ત્યારે મરણ કહેવાય. તેમ શરીરનાં બધાં પુદ્ગલ પલટાતાં જાય છે. સમયે સમયે ફેરફાર થાય છે. ક્રમે ક્રમે બધે ફેરફાર થાય છે. બાળમાંથી યુવાન થાય; તે કંઈ એકદમ થતું નથી, પણ ક્રમે ક્રમે થાય છે. એ પરમાણું પલટાય છે તેમ સમયે સમયે આયુષ્ય ઓછું થાય છે તેથી તે સમયે સમયે મરણ કહેવાય. આત્મા મરતે નથી. એ તે અજર અમર અવિનાશી છે. પણ વ્યવહારનયથી મરણ કહેવાય છે. જ્ઞાનાદિક ગુણે આત્મામાં છે. તેના ઉપર વિભાવમાં વતે ત્યારે આવરણ આવે છે. તેથી પિતાને નિત્ય સ્વભાવ ભૂલે છે. એ નિશ્ચયથી સમયે સમયે મરણ છે. મૂળ સ્વરૂપ છે તે વિભાવને લઈને ભુલાઈ જાય છે. જ્ઞાનાદિક જે ગુણે છે, તે દ્રવ્યદષ્ટિએ નિત્ય છે. પર્યાયરૂપ જ્ઞાનની ખબર પડે છે પણ દ્રવ્યસ્વરૂપની ખબર પડતી નથી. વિભાવને લઈને જ્ઞાનમાં ફેરફાર થાય છે તે ભાવમરણ છે.
કેવળજ્ઞાનમાં ત્રણે કાળના પદાર્થ એક સાથે જણાય છે, તે તે વર્તમાનની પેઠે ભૂત, ભાવિ જણાય છે કે બીજી રીતે? એમ સોભાગભાઈને પ્રશ્ન છે.
એનો ઉત્તર કૃપાળુદેવ હવે આપે છે. વસ્તુમાં જે પહેલાં પર્યાય થયેલા અને થશે તે કેવળજ્ઞાનમાં બધું પ્રત્યક્ષ છે. જેમ કુંભારે ઘડો બનાવ્યું, તે બનાવતાં ચાક ઉપર તેના કેવા પર્યાય થયા હતા, વર્તમાનમાં કેવા તેના પર્યાય છે અને ભવિષ્યકાળમાં તે ઘડે ફુટશે ત્યારે તેના ઠીકરાં ચૂરો વગેરે થશે તે બધું કેવળજ્ઞાનીને વર્તમાનની પેઠે પ્રત્યક્ષ દેખાય છે. એટલી નિર્મળતા હોય છે. જ્ઞાનનું માહાસ્ય એવું છે કે જે જે રૂપે પદાર્થ થયે હેય, થશે, તે બધા ત્રણે કાળના પર્યાય કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ દેખાય છે. બધા પર્યાને સમૂહ તે દ્રવ્ય છે. એ દ્રવ્યનું જ્ઞાન–એક દ્રવ્યમાં ત્રણે કાળના પર્યાય છે તે બધાનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય છે. એટલી નિર્મળતા થાય ત્યારે કેવળજ્ઞાન થાય.
[વ. ૬૩૦]
૨૧૮ શ્રી રા. આ અગાસ, ભાદ્રપદ સુદ ૩, ૨૦૦૯ પૂજ્યશ્રી—સભાગભાઈએ પ્રશ્ન લખેલા. તેના ઉત્તર કૃપાળુદેવ લખે છે. મુમુક્ષુ છે કેવા વિચાર કરે છે! જ્યારે સોભાગભાઈને સમ્યગ્દર્શન થયું ત્યારે એમ લાગ્યું કે કૃપાળુદેવના થોડાક સમાગમે પચાસ વર્ષે ન થાય તેનું સમાધાન થોડા વખતમાં થઈ ગયું. બીજા બીજા વિચાર આવે પણ આત્મા નિર્મળ કેમ થાય? આત્માની શક્તિ કેમ વધે? એવા વિચારો આવતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org