SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન વિ. ૬૨૯] ૨૧૭ શ્રીરાઆ. અગાસ, ભાઠ સુદ ૪, ૨૦૦૯ બીજા વિશેષણો આપે છે એના કરતાં આત્માથી વિશેષણ ઓછું નથી. કપાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ” એવી જેને લગની લાગી તે આત્માથી છે. ગુણી અને ગુણમાં ભેદ છે કે કેમ, એમ કૃપાળુદેવે પૂછેલું. તેને ઉત્તર ભાગભાઈએ સંક્ષેપમાં આપે કે ગુણ અને ગુણ એક જ છે. કૃપાળુદેવે ફરીથી લખ્યું કે ગુણી અને ગુણ વિષે વિસ્તારથી લખો. સાંખ્યદર્શનમાં ગુણ ગુણી ભિન્ન ભિન્ન માને છે. ગુણ છૂટી જાય ત્યારે મેક્ષ થાય એમ સાંખ્ય માને છે. વિચાર કરવા માટે આ કહ્યું છે. મોટા મોટા આચાર્ય એમાં ભૂલા પડી જાય છે. તેથી વિચાર કરવાનું કહે છે. દ્રવ્ય અને ગુણ જુદા છે કે નહીં? એમ કૃપાળુદેવ સભાગભાઈને પૂછે છે. સભાગભાઈ એ લખ્યું કે આત્મ ગુણવાળે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ભિન્ન ભિન્ન છે. કૃપાળુદેવ પૂછે છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર કાઢી લઈએ તો પછી આત્માપણું શું રહે? વ્યવહારથી ગુણ ગુણી ભિન્ન છે. કૃપાળુદેવે સભાગભાઈને પૂછ્યું કે કેવળજ્ઞાન આ કાળમાં પ્રાપ્ત થાય કે કેમ ? સભાગભાઈએ લખ્યું કે પ્રમાણથી જોતાં હોવાયેગ્ય છે. એમ સંક્ષેપમાં લખ્યું. તેથી કૃપાળુદેવે વિસ્તારથી લખવાનું કહ્યું. કેવળજ્ઞાનનું સ્વરૂપ આગમમાં જેવું વર્ણન કર્યું છે તેવું જ છે કે બીજું? તમને શું લાગે છે ? જિનાગમમાં કહ્યું છે કે કેવળજ્ઞાન આ કાળમાં છે નહીં. આગમમાં કેવળજ્ઞાનને નિષેધ કર્યો નથી. પણ પછીના આચાર્યોએ કેવળજ્ઞાનની આ કાળમાં ના લખી છે. ચરિત્રમાં પણ આવે છે કે જંબુસ્વામી પછી કઈ કેવલી થયા નથી. વારંવાર અનુપ્રેક્ષા કરીને, વિચારીને, ભાવના કરીને વિસ્તારથી લખ. વાનું કરશો. શ્રવણ, મનન, નિદિધ્યાસન થાય પછી ઉત્તર લખો એમ કૃપાળુદેવ લખે છે. જાતિસ્મરણ થાય તેને પાછલે ભવ કેવી રીતે દેખાય? એમ સભાગભાઈએ કૃપાળુદેવને પ્રશ્ન પૂછળ્યો છે. તેને ઉત્તર કૃપાળુદેવ હવે આપે છે. કેઈ નાનપણમાં એના માબાપ સાથે શત્રુંજય ગયે હોય પછી મોટો થાય ત્યારે યાદ આવે કે એવું શિખર હતું, એવા દરવાજા હતા. એમ આ ભવનુ યાદ આવે છે તેમ પૂર્વભવનું પણ યાદ આવે છે. જેવી સ્મૃતિ હોય તેવું જ્ઞાન થાય. સ્મૃતિ થેડી હોય તો ઝાંખું જ્ઞાન થાય. જાતિસ્મૃતિ છે તે એક પ્રકારનું સ્મરણ છે. એને દેવલોકનાં સુખ યાદ આવે તો વૈરાગ્ય થાય. પછી આ લોકની બધી વસ્તુઓ છ લાગે. સ્ત્રીઓ રાક્ષસી જેવી લાગે. પૂર્વભવમાં કઈ જ્ઞાનીનો યોગ થયે હોય તે પણ યાદ આવે છે, કે મને આને યોગ થયે હતું, એવું એવું સાંભળવાનું મળતું, એ ઉલ્લાસ આવત, એવું હવે ક્યારે સાંભળવા મળશે? એમ ભાવના થાય. અવધિજ્ઞાનવાળો હોય તે જાણી શકે કે એને જાતિસ્મરણજ્ઞાન છે. સમાન જ્ઞાનવાળે હાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy