SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ બધામૃત નિમિત્તવાસી જીવ છે. સામાન્યપણે જીવ નિમિત્ત મળે તે થઈ જાય છે. મુનિએની વાત જુદી છે, પણ સામાન્ય જીવોની અપેક્ષાએ તો એ એક સિદ્ધાંત જેવી વાત છે. મુનિએ તે ગમે તે સ્થાને, બજારમાં પણ ધ્યાન કરી શકે. પણ સામાન્ય જીવોની અપેક્ષાએ તે જેવું નિમિત્ત બને તે જીવ થઈ જાય છે. માટે નિમિત્તોની બહુ સંભાળ રાખવી, સારાં નિમિત્તો ગોઠવવાં. લેકમાં કહેવાય છે કે નિમિત્તાધીન થઈ જવાય છે એ વાત સાચી છે. જ્યાં સુધી સારાં નિમિત્તે સારા અને બેટાં નિમિત્તે ખોટા ભાવ થાય ત્યાંસુધી સારાં નિમિત્ત રાખવાં. પોતાનું જીવન તપાસે તો સારું લાગે કે નિમિત્ત મળે તે થઈ જાય છે. યશોવિજયજીએ કહ્યું છે કે— “ જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ ઇવ સ્વભાવે; તે જિનવીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કપાય અભાવ. ” સ્ફટિકરન જેવો જીવ છે. તેમ છતાં જેવાં નિમિત્ત મળે તેવો થઈને ઊભું રહે છે. મનુષ્યદે તે મનુષ્ય જેવો, પશુદેહ તો પશુ જે થઈ જાય. એ બધાનું કારણ કર્મ છે. માટે કર્મ બાંધતાં ધ્યાન રાખવું. સારાં નિમિત્તોની ભાવના કરવી. જેવી ભાવના તેવું થાય છે. નિમિત્તોને ઓળંગી જાય એવા કૃપાળુદેવ જેવાની વાત જુદી છે. સમ્યગ્દર્શન છે તે બચાવે છે. બધાને પિતાના સંગપ્રસંગથી ભાવ કેવા થાય છે તે વિચારે તે ખબર પડે. [વ. ૬૨૭] ૨૧૬ બે માર્ગ છે. એક જ્ઞાનમાર્ગ અને બીજે ભક્તિમાર્ગ. જ્ઞાનમાર્ગની શરૂઆત વિચારથી થાય છે. વિચારે કરી પિતાના દેષ કાઢી પિતાની મેળે પિતે વિચારી આત્મજ્ઞાન પામે છે. ભક્તિમાર્ગમાં જ્ઞાનીને આધારે ચાલવાનું હોય છે. જ્ઞાનમાર્ગ અઘરો છે. જેણે પૂર્વે કંઈ આરાધન કર્યું હોય તેને વિચાર જાગે છે. નહીં તો તરંગે ચઢી જાય. જે વિચારને ચોગ્ય જીવો નથી તેમને વિચારમાગ કરતાં ભક્તિમાર્ગ પ્રત્યે પ્રેરાવું ઘટે છે. વિચાર ન કરી શકે એવાને વિચારમાર્ગનો ઉપદેશ ન કરો એમ સેભાગભાઈ એ લખ્યું એટલે કૃપાળુદેવ લખે છે કે ઠીક છે. શાઓમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન સંબંધી ઘણી ચર્ચાઓ આવે છે. કેટલાક એમ માને છે, કે નિરાવરણ થતાં કેવળદશન અને કેવળજ્ઞાન સાથે જ થાય છે. કેટલાક એમ માને છે. પહેલું કેવળદર્શન થાય અને બીજે સમયે કેવળજ્ઞાન થાય. સમયાંતર કહે છે. એ બને સિદ્ધાંતને માટે બળવાન કારણે મળે છે, તેથી બને માનવા. એ પ્રશ્નો ઘણી ઊંચી દશાએ ચઢે ત્યારે સમજાય છે. સમકિતને પહેલો વિચાર કરે છે એટલા બધા ભવ થયા પણ સમકિત ન થયું? પછી કેવળજ્ઞાનના વિચાર કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy