SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન રહે છે. એવી કલ્પના જીવને દઢ થઈ જાય તે પ્રતિબંધ છે. જે પ્રતિબંધ તેવો જ ભવ લેવો પડે છે. ગુરુએ કહ્યું કે જા, આ સામે એારડી છે તેમાં બેસી તું પાડીના જ વિચાર કર્યા કરે. પછી શિષ્ય ત્યાં જઈને બેઠો અને વારંવાર પાડીના વિચાર કર્યા કરે કે પાડી બહુ મોટી થઈ હશે. દૂધ આપતી હશે. મોટા શીંગડાં ફૂટ્યાં હશે. એમ વારંવાર એના એ વિચાર કર્યા કરે. પછી ગુરુએ બેલા કે બહાર આવ. તેણે કહ્યું “કેવી રીતે બહાર આવું? બારણમાં શીંગડાં ભરાઈ જાય છે !” એને એમ જ થઈ ગયું કે હું પાડી જ છું. મારે શીંગડાં ફૂટયાં છે. પછી માંડ માંડ બહાર આવ્યું. ત્યારે ગુરુએ કહ્યું તે જેમ આ પાડીના વિચાર કર્યા તે પાડીરૂપ થયો ને? તેમ આ શરીર પણ પાડી જેવું છે. તેના વિચાર કરવાથી શરીરરૂપ થઈ ગયો છે. પણ આત્માના વિચાર કરીશ તે આત્મારૂપ થઈશ. પછી એ તે સમજુ હતો તેથી સમજી ગયો. (પ્રતિબંધથી જન્મવું પડે તે પર જડભરતનું દૃષ્ટાંત પણ આપ્યું હતું.) પ્રતિબંધથી જન્મવું થાય છે. વારંવાર એકનું એક સાંભરે અથવા ગાઢ સંસ્કાર થઈ જાય તે પ્રતિબંધ છે. “મારું” એમ થઈ ગયું તો પછી બહાર નીકળવું મુશ્કેલ પડે. વારંવાર વિચારીને અપ્રતિબદ્ધ થવાનું છે. લક્ષ રાખવા માટે બધું કહ્યું છે. પ્રભુશ્રીજી તત્ત્વજ્ઞાનના પાછળના પાને લાલ પેન્સીલથી અસંગ, અપ્રતિબંધ, સમાધિમરણ, શાંતિ, ધીરજ, ક્ષમા એવા એવા શબ્દો લખી આપતા, પણ જીવને ગરજ નહીં હોય તો કેણું વાંચે? પડી મૂકે. જીવને દુઃખ તે ગમતું નથી, પણ એવા પ્રતિબંધ કરે છે, તેથી દુઃખ થાય છે. ભગવાન મહાવીર પાસે ગોશાળે આવ્યું, ત્યારે ભગવાને બધા શિષ્યોને કહ્યું કે આ ગોશાળ આવે છે, એની સાથે કઈ બોલશે નહીં, ગોશાળે ભગવાન પાસે આવ્યો. બહુ બોલવા લાગ્યું. ત્યાં બે શિષ્યોને એમ થયું કે ભલે દેહ છૂટી જાય, પણ ભગવાનના અવર્ણવાદ ન બેલવા દેવા. એમ કરી બોલ્યા. ગોશાળે ક્રોધિત થઈ તે બન્ને પર તેજે. લેશ્યા નાખી તેથી બને શિષ્ય બની ગયા. પણ ભગવાન મહાવીરને એમ ન થયું કે મારા શિષ્ય છે. એટલા નિસ્પૃહ હતા! એક એક વાક્ય વારંવાર વાંચી વિચારીને હૃદયમાં કતરી રાખવાનું છે. આ જ્ઞાની પોતાની સમજણ જ કહે છે. [વ. ૬ર૩] ૨૧૪. અસંગ અને અપ્રતિબંધરૂપ માર્ગ છે. તે જ અમારું જીવન છે, એ લક્ષ રહે છે. સોભાગભાઈને કૃપાળુદેવ લખે છે કે તમારો જીવ દુભાય એમ અમારે કરવું નથી. તમને અમે પૂજ્ય ગણીએ છીએ. કેઈપણ પ્રકારે તમારી આશાતના કરવી નહીં, અને અસંગપણે જીવન ગાળીએ એમ અમને રહે છે. પ્રતિબંધ કરવા નથી એમ એમણે નિશ્ચય કર્યો હતે. છૂટવું હોય તેણે અંતરમાં ઉતરી કેટલા વિચાર કરવાના છે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy