SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૦ બેધામૃત પાંચ છ મહિના સુધી એ ખુમારી રહે. એટલામાં પાછ કૃપાળુદેવનો પત્ર આવતે. પ્રભુશ્રીજી પત્ર તે ઘણું લખતા પણ કૃપાળુદેવને નવરાશ મળે ત્યારે પાંચ છ મહિને એક પત્ર લખે. વારંવાર પત્રને વાંચી વાંચીને હદયમાં ઉતારતા એટલી ભાવના એમને હતી. પ્રભુશ્રીજી કહેતા કે અમને વિરહમાં રાખી કલ્યાણ કર્યું છે. તેમ આપણે પણ ભાવ રાખીને વાંચવા સાંભળવાનું છે. જીવને કંઈ ખબર નથી. જ્ઞાની કૃપાળુદેવે એ સ્વરૂપવીતરાગ સ્વરૂપ જાણ્યું છે, કેઈ પણ ક્રિયા કરતાં પહેલાં વિતરાગનું સ્મરણ કરી પછી જ પત્ર લખે. “સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવાય નહીં” એટલું કેટલા અનુભવનું વાક્ય છે! કૃપાળુદેવે આપણા જેવા કેટલાય ભવ કર્યા, તેનું એમને જ્ઞાન થયું. તેથી એમને જણાવ્યું કે પ્રતિબંધ કરવાથી આવું થયું છે. જીવને દુઃખ તો લાગે છે, પણ દુઃખથી મુક્ત થવું હોય તો પ્રતિબંધ મૂકવા પડશે. જીવને શાંતિ જોઈતી હોય તો અસંગ અપ્રતિબંધ થવાનું છે. અસંગ અપ્રતિબંધ એ શાંતિને માગે છે. દેહમાં ને દેહમાં જીવ મમતા રાખે છે એ એક મોટે પ્રતિબંધ છે. દેહ જાય ત્યારે જ મેક્ષે જવાય છે એ જીવને ખબર નથી. “મૂળમા'માં કહ્યું છે– એવાં મૂળજ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; ઉપદેશ સલ્લુરુનો પાવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. ” સદ્દગુરુનો ઉપદેશ પામે છે. મૂળ જ્ઞાન, દર્શન, ચારિત્ર પામવા અને અનાદિ બંધ જવા એની જરૂર છે, પણ જ્યાં સુધી સ્વછંદ અને પ્રતિબંધ હોય ત્યાં સુધી બંધ ન લાગે. હું અહીં છગનભાઈના ભાઈ ભગવાનજીભાઈ સાથે આવેલ ત્યારે “મૂળમાગ” બોલાતે હતે. તે વખતે પ્રભુશ્રીજીએ મને પૂછયું “સ્વચ્છેદ અને પ્રતિબંધ” એટલે શું? મેં કહ્યું સ્વછંદ એટલે પિતાની ઈચ્છાએ વર્તવું. અને પ્રતિબંધ એટલે શું? તેની તે વખતે ખબર ન પડે કારણ કે એવો શબ્દ કોઈ દિવસે સાંભળેલો નહીં, તેથી હું બેલ્યો નહીં. ત્યારે પ્રભુશ્રીજીએ સમજાવ્યું કે આપણને કલ્યાણ કરવામાં જે જે વિદને નડે, પરમાર્થ ન સાધવા દે, તે બધા પ્રતિબંધ છે. પ્રતિબંધ ઉપર શિષ્યનું દષ્ટાંત છે. એક ગુરુ હતા. તેમની પાસેથી છ મહિનામાં શિવે જ્ઞાન પામતા એ એમનો પ્રભાવ હતા. એક શિષ્યને દીક્ષા લીધાં છ મહિનાથી ઉપર ઘણા દિવસે થઈ ગયા, પણ એને જ્ઞાન થાય નહીં. ગુરુને વિચાર થયો કે બધાય છ છ મહિનામાં તૈયાર થાય છે અને આને તે કેટલાય દિવસ થઈ ગયા છતાં ઉપદેશની કંઈ અસર થતી નથી. ઉપદેશ તો બહુ સારે કરીએ છીએ. પછી એ શિષ્યને ગુરુએ પોતાની પાસે બોલાવ્યું અને પૂછયું કે તને આ દિવસ શાના વિચાર આવે છે? તારું ચિત્ત ક્યાં રહે છે? શિષ્ય કહ્યું કે હું ઘર છોડી આવ્યા હતા તે વખતે એક મારી નાની પાડી હતી. તે પાડીના વિચારો મને આવે છે, કે પાડી કેવી થઈ હશે ? સુકાઈ ગઈ હશે કે જાડી થઈ હશે? શું ખાતી હશે? કઈ ચાપાણ આપતું હશે કે નહીં? એવા વિચારોમાં મારું મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy