________________
વચનામૃત-વિવેચન
૨૫૯ બધાં કારણે થયાં ત્યારે વવાણિયે જવાનું થયું. નિવૃત્તિના હેતુથી વવાણિયે જવાનું છે. આ દેહનાં કારણ એવાં માતાપિતાને ખોટું ન લાગે, તેમનું વચન રાખવા માટે વવાણિયે જવાનું છે. નિવૃત્તિ મળે અને બીજા કેમ વર્તે છે તે જોવા માટે જવાનું છે. બધાથી જાણે જુદા થઈને લખતા હોય એમ લખ્યું છે. દેહથી, ચિત્તથી, બધાથી પોતે ભિન્ન હોય તેમ રહી આ પત્ર લખે છે. જવું છે, પણ ક્યારે જવું એ ચોકકસ થતું નહોતું તેથી તમને પત્ર ન લખ્યો એમ કૃપાળુદેવ લખે છે. ચિત્ત પરમાર્થમાં લીન થયા પછી વ્યવહારના વિચારો બહુ આવતા નથી. પહેલાં સો સે વાતે એક સાથે યાદ રાખતા હવે વ્યવહારમાં વૃત્તિ રહેતી નથી. અમુક વખત નિવૃત્તિ લેવી એવી ભાવના છે તે લખી છે. એમનો લક્ષ તે એવો છે કે સર્વસંગ પરિત્યાગ કરી અસંગ થવું છે, પણ એ વિષે આ પત્રમાં કંઈ કહેવું નથી. થોડા વખત માટે અસંગતાને વિચાર થયો છે તે તમને જણાવ્યા છે, એમ સભાગભાઈને લખે છે.
અસંગાપણું અમારે સાચવી રાખવું છે. એને બાધ આવે એવું કરવું નથી, પર્યુષણ કેઈ નિવૃત્તિક્ષેત્રમાં બહાર કરવાં એમ એમની ભાવના છે. તેમાં ઉદયનો વિચાર પડ્યો રાખી શાંત ભાવે પ્રવર્તવું છે. એટલે ગાળો મળે એવું છે. તેથી વિશેષ નિવૃત્તિ મળે એમ નથી. લોકોને ખબર ન પડે એમ પર્યુષણ પર્વ વ્યતીત કરવાં છે. લેકે પૂછાપૂછી કરે કે ક્યાં જાઓ છો? શું કરશે? એમ થતાં લક્ષ ચૂકી જવાય, પ્રતિબંધ થાય. તે ન થવા અહીંથી સીધા જ જવું. આત્મા કંઈ કરતો નથી એમ ભાવના રહે છે. કર્મના ઉદયે જે થયા કરે તે થાય છે. કંઈ આઘુંપાછું કરતા નથી. એક પત્ર લખતાં પણ કેટલે અસંગભાવ ભર્યો છે! અસંગપણું એમને લક્ષ છે. એમાં પોતાનું કર્તાપણું કશું રાખ્યું નથી. જે કર્મ ઉદય આવે ત્યારે તેમાં સમપરિણામે રહેવું એ જ એમને લક્ષ છે.
[વ. ૬ર૦].
૨૧૩ શ્રીરા. આ. અગાસ, ભાદ્રપદ સુદ ૬, ૨૦૦૯ જ્ઞાની પુરુષનાં એક એક વચન મડદાને જીવતાં કરે તેવાં છે. પ્રભુશ્રીજી પર કૃપાળુ દેવનો પત્ર આવતે તે કઈ બીજા મુમુક્ષુને સરનામે આવે. તે ઉપાશ્રયે આપી આવે. પ્રભુશ્રીજી ઉપરનું સરનામું જોઈ અક્ષર કૃપાળુદેવના છે એમ જાણે ત્યારે બહુ રાજી થાય. હવે કંઈક ખોરાક આપણને મળ્યો એમ થાય. જેમ ભૂખ્યા માણસને ખાવાનું મળે ત્યારે આનંદ થાય, તેમ એમને કૃપાળુદેવના હસ્તાક્ષર જોતાં આનંદ થતો. પછી પત્ર ત્યાં, બધા સાધુઓ પાસે હોય તેથી, વંચાય નહીં. પછી કોઈ એવો અવસર આવે ત્યારે જંગલમાં જાય. પત્ર સામે મૂકી પછી નમસ્કાર કરે અને પરમકૃપાળુદેવને ઉપકાર સંભારે, કે મારા ઉપર કૃપાળુદેવે કેટલી કૃપા કરી છે ! પછી રાજી થતાં થતાં પત્ર ફડે અને વાંચે. વારંવાર ફરી ફરી વાંચે. મેઢે પણ કરે. વારંવાર એની ભાવના કરે. પ્રભુશ્રીજી કહેતા કે અમને કૃપાળુદેવને એક પત્ર મળો ત્યારે બહુ આનંદ થતું. તેની એટલી ખુમારી ચઢતી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org