________________
૨૫૮
બધામૃત જાણી શકે એ ક્ષયોપશમ જે હોય તે પુરુષ બધાં દર્શનને નિર્ણય કરી શકે. કેઈને અન્યાય ન મળે તેમ મધ્યસ્થતા રાખી છ દર્શનનો નિર્ણય કરવું મુશ્કેલ છે. જેણે જે જે ધર્મ સ્થાપ્યા તે શેધક પુરુષ હતા, વૈરાગ્ય પશમવાળા પુરુષો હતા, એટલે કેવળ અસત્યનું નિરૂપણ તે ન કર્યું હોય. પણ બધાં દર્શનને નિર્ણય કંઈ બધાથી કરાય નહીં. એ દશની સ્થાપનારના કરતાં વધારે વીતરાગતાવાળે હોય તે તુલના બરાબર કરી શકે. એ વિચારદશા બધા જીવમાં હોતી નથી. એટલે ક્ષયે પશમ વિશેષ હોય અને બધાય દર્શન નને અપક્ષપાત પણ જોઈ શકે એવા તે કેઈક જ કૃપાળુદેવ જેવા પુરુષ હોય છે.
જ્યાં સુધી કોઈ પણ પ્રકારની શંકા રહે ત્યાં સુધી મોક્ષ ન થાય. સંપૂર્ણ સમાધાન ન થાય ત્યાંસુધી વારંવાર વિચાર કરે. જીવની જેમ જેમ નિર્મલતા થાય તેમ તેમ એની મેળે જ ઉત્તર મળ્યા કરે, બધું સમજાય. જગતમાં શંકાઓ ઘણું હોય તેનું સમાધાન કરવામાં ઘણે વખત જતા હોય તે કઈ મેણે ન જાય. પણ એનું સમાધાન થેડા કાળમાં થઈ શકે છે. મહાવીર ભગવાને સાડાબાર વર્ષમાં બધું સમાધાન કર્યું હતું.
[વ. ૬૧૯]
“સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી.”
પૂજ્યશ્રી–કંઈ લખતાં પહેલાં જે વીતરાગ ભગવાનની દશા છે તે પ્રાપ્ત કરવા, એ જ ભાવના વ્યક્ત કરતા.
આ સંસારનું બીજું રૂપ જ પ્રતિબંધ છે. જ્યાં સુધી પ્રતિબંધ છે ત્યાં સુધી દુઃખ છે. સર્વ પ્રકારના પ્રતિબંધથી રહિત અસંગ થાય તે મોક્ષ થાય રાગદ્વેષ એ પ્રતિબંધ છે. બધા પ્રતિબંધથી છૂટયા વિના મોક્ષ ન થાય, જ્યાં સુધી રાગદ્વેષનો અંશ હેય ત્યાં સુધી જીવનું કલ્યાણ ન થાય. “સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતુ નથી ” આટલું જ જે હૃદયમાં લખી રખાય તે ઘણું કામ થઈ જાય. ઉપરથી અપ્રતિબંધ દેખાય અને અંદરમાં સ્નેહપાશ, રાગદ્વેષ વગેરે હોય તો તે સાચું નથી.
જેણે પરમાર્થમાં દઢ શ્રદ્ધા કરી છે એવા સોમાભાઈને કૃપાળુદેવ પોતાનું અંતઃકરણ જણાવે છે.
- કૃપાળુદેવ પર્યુષણ કરવા વવાણિએ જવાના હતા તે પહેલાં આ પત્ર લખ્યું હતું. સેભાગભાઈનો આગ્રહ હતું કે મુંબઈથી વવાણિયે જતાં સાયલે ઉતરજો. અને પાછા આવતાં પણ ઉતરજે. કૃપાળુદેવ લખે છે કે અમારે અસંગ થવું છે, પણ ત્યાં સાયલામાં આવીએ તે ત્યાં લોકોનો પ્રતિબંધ થાય. અસંગ થવું છે અને બીજો ઉપાય લાગતો નથી તે શું કરવું? તો કે જે પ્રારબ્ધઉદયે સહજસ્વભાવે થાય તેમ પ્રવર્તવું. ઉદય આગળ પિતાનું ન ચાલે તે અસંગમાવ વગર ન વર્તવું એ અમારે લક્ષ છે. સતસંગ કરીને અસંગ થવું છે, એ લક્ષ રાખીને વર્તી એ છીએ. વવાણિયે જવાનાં કારણે છે તે જણાવે છે. કેટલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org