SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૫૭ [વ. ૬૧૭]. ર૧૧ શ્રી રાઆ અગાસ, ભાદરવા, સુદ ૭, ૨૦૦૯ પૂજ્યશ્રી-શાશ્વતમાર્ગ, પરમાર્થ, સત્સંગ, સપુરુષ, વીતરાગ બધું એક જ છે. સત્સંગ નિષ્ઠિક એટલે સત્સંગ, સપુરુષની પ્રતીતિ એટલી દઢ થઈ છે કે કઈ ચળાવે તો ચળે નહીં, શ્રદ્ધા એમને દઢ થઈ ગઈ છે કે હવે જગતમાં ક્યાંય પૂછવું નથી, જેણે આત્મા જાયે છે તેની જ ઉપાસના કરવી. એવી સત્સંગમાં જેની શ્રદ્ધા છે એવા સભાગભાઈ છે. જીવને પુરુષાર્થ વધે અને વિચારદશા જાગે તે માટે કૃપાળુદેવ પ્રશ્ન પૂછે છે. વેદાંતમાં એક બ્રહ્મ છે એમ માને છે. બીજી બ્રાંતિ છે. તે ટળી જાય તે મેક્ષ થાય. એ વેદાંતને અભિપ્રાય છે. જૈનની અપેક્ષાએ થે ગુણસ્થાનકે ભ્રાંતિ જાય છે અને તેને કેવળજ્ઞાન થયે આત્મા સ્થિર થાય છે. ખરેખરી સ્થિરતા ચૌદમે અને સિદ્ધ થાય ત્યારે થાય છે. એવો ક્રમ બીજામાં ક્યાંય નથી. એ બને સિદ્ધાંતમાં ખરું શું છે? બ્રહ્મસ્વરૂપ જાણ્યું તે કેવળજ્ઞાન એમ વેદાંત કહે છે અને જૈનમાં તે તેરમે કેવળજ્ઞાન થાય છે એમ કહ્યું છે. તે બન્નેમાં ફેર શે? એને વિચાર કર્યો પિતાની દશા વધે. જૈનમાં આત્મા ને જડ ભિન્ન ભાસે તે ભેદજ્ઞાન થયું કહેવાય. અને વેદાંતમાં ભ્રાંતિ ટળી જડ ચેતન સર્વ એક અભેદ ભાસે, વેદાન્ત બ્રાન્તિ ગઈ એને કેવળજ્ઞાન થયું એમ કહે છે. બ્રહ્મસ્વરૂપ થઈ જાય તેને કેવળદશા થઈ એમ કહે છે. બ્રાંતિને લઈને બધું ભિન્ન લાગે છે. તે બધું ભ્રાંતિ જાય ત્યારે અભેદ થઈ જાય. કૃપાળુદેવે ઘણા વિચાર કર્યા છે. મોટા મોટા આચાર્યો વિચાર કરે તેવા ઘણા વિચારે કૃપાળુદેવે નાની ઉંમરમાં કરી નાખ્યા છે. વેદાંતમાં “સમ્યગ્દર્શન” શબ્દ વપરાય છે. “નિર્વાણ” પણ વપરાય છે. બ્રાંતિ જાય ત્યારે સમ્યગ્દર્શન થયું એમ માને છે. બૌદ્ધમાં “આત્મા નિત્ય નથી ” એવું દૃઢ થઈ જાય ત્યારે સમ્યગ્દર્શન થયું એમ માને છે. કૃપાળુદેવે લખ્યું છે કે વેદાંત જેને કેવળજ્ઞાન માને છે તે અમને પ્રાપ્ત થયું છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મોક્ષ છે, મોક્ષને ઉપાય છે, એ બધાને વિચાર કરવા ગ્ય છે. બધાને વિચાર કરીને પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એ હેતુ (વિચારવાની છે. આત્મા–પ્રાપ્ત કરવા માટે એની સાથે જે કર્મ પુદ્ગલ છે, જે શુદ્ધભાવ થતાં છૂટે છે, એને વિચાર પણ કરવું પડે છે. આત્મા જાણવું હોય તે કર્મના વિચાર પણ કરવા પડે. આત્મા બધા ભિન્ન ભિન્ન દેખાય છે તે ભ્રાંતિ છે, માયા છે એમ વેદાંત માને છે. સાચું તે એક જ છે એમ માને છે. બ્રહ્મ એક જ છે પણ અંતઃકરણ જુદાં જુદાં છે. એમ હોવાથી જો ભિન્ન ભિન્ન દેખાય છે. તે માયા છે, ભ્રાંતિ છે, એમ વેદાંત માને છે. પિતાને પિતાનું ભાન કેમ થાય? એ મુખ્ય હેતુ છે. છ દર્શનને અભ્યાસ કરી સાચું દર્શન કર્યું છે તેને નિર્ણય બધા મુમુક્ષુઓથી થાય નહીં. એક દર્શનને નિર્ણય કરતાં આખી જિંદગી પૂરી થઈ જાય. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં છ દશનનો સાર કહ્યો છે. સમયસાર ઉપરથી કૃપાળુદેવે બનારસીદાસની દશા જાણી તેમ વચન પરથી લેખકની દશા જે ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy