________________
વચનામૃત-વિવેચન
૨૫૫ વશ ન હોય તે સત્સંગ નિષ્ફળ થાય. પાંચ ઈન્દ્રિયના વિષયે જીવને સંસારમાં રઝળાવ નાર છે. એથી ઉપેક્ષા કરી હોય તે સત્સંગ ફળવાન થાય. મિયાગ્રહ છૂટે ત્યારે સત્પરુષનું વચન બહણ થાય, પછી સ્વચ્છેદ મૂકી આજ્ઞાએ વર્તે, તેમાં તે પ્રમાદ ટાળે અને પાંચ ઈન્દ્રિયના વિષમાં પ્રીતિ તોડે અને સત્સંગ, સપુરુષમાં એકનિષ્ઠા દઢભક્તિ જાગે તે સત્સંગ ફળવાન થાય. સત્સંગ એ એક સાધન છે, તેમાં એકનિષ્ઠા ભક્તિ કરે તે ફળવાન થાય અને બધા દોષ છૂટે. સત્સંગમાં જે અપૂર્વતા લાગવી જોઈએ તે ન લાગે ત્યાં સુધી સફળ ન થાય. સત્સંગમાં અપૂર્વતા લાગે તે ભાન થાય, લાભ થાય.
પ્રશ્ન-એ અપૂર્વતા કેમ નથી લાગતી ?
પૂજ્યશ્રી–બીજી વસ્તુઓનું માહાતમ્ય લાગ્યું છે. સત્સંગનું માહાત્મ્યમું લા હોય તે કહેવું ન પડે. ભૂખ લાગી હોય તે કહેવું ન પડે.
“સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ
પામે તે પરમાર્થને, નિજ પદને લે લક્ષ. ” અપૂર્વ પ્રેમે ભક્તિ થાય તે બધાય દોષ દૂર થઈ જાય. પિતાના દોષ દેખાય તેમ તેમ અનુક્રમે દૂર કરે.
૧૧. પુરુષનું એાળખાણ થયું અને પ્રેમ આવ્યું તો એમનાં બધાં વચને અમૃત જેવાં લાગે. છૂટવા માટે તૈયારી કરવાની છે. મનુષ્યભવ મળે છે તે પુણ્યથી મળે છે. સપુરુષનું એાળખાણ થાય એ મહા પુણ્ય છે. સત્સંગે જીવના દેશે ઓછા થવા લાગે છે. સત્સંગ વિશેષ આરાધના કરવાનું છે. કલ્યાણ કરવું હોય તે સત્સંગ કરો. પ્રવૃત્તિ ઓછી કરવી. પિતાના કયા દેષથી આગળ વધાતું નથી તે જોવું અને દેષને કાઢવા. દેહ કરતાં સત્સંગમાં વધારે પ્રેમ થાય એવું કરવાનું છે. સત્સંગે સમજાય એવું છે. જેવા નિમિત્ત મળે તે થઈ જાય છે. દુકાન ઉપર હે, બજારમાં હો કે ઘેર હો પણ સત્સંગ ભુલા ન જોઈએ. સત્સંગનો યોગ ન હોય તે પણ નિરંતર ભાવના એની એ રહે એવું કરવાનું છે. પ્રમાદમાં જીવને જે કરવું છે તે ચૂકી જાય છે, પાંચ ઇન્દ્રિયોના વિષમાં તણાઈ જાય છે. તેથી સત્સંગ ફળવાન થતો નથી. તત્પરતા જેવી જોઈએ તેવી આવી નથી.
૧૨. સત્સંગનો યોગ થયે હેાય તે જવા ન દે. એ યોગ ન હોય ત્યારે સત્સંગમાં જે કંઈ સાંભળ્યું હોય તેની ગાંઠ બાંધી, તે વિચારવું. મને જ્ઞાની જ કહે છે એ લક્ષ રાખી જ્ઞાનીનો ઉપદેશ વાંચે, શીખે તે સત્સંગ જ છે. સમ્યક્ત્વનું કારણ થાય. સત્સંગને વેગ તે પુણ્ય હોય તે મળે. એ યોગ નિરંતર નથી હોત; તેથી એ યોગ ન હોય ત્યારે પુરુષને બેધ હોય તેને પુરુષ તુલ્ય જાણું વિચારે, આરાધે તે સમ્યકત્વ થાય છે.
૧૩. મનમાં ખરો નિશ્ચય રાખવાને છે કે મારે આત્માનું કલ્યાણ કરવું જ છે. મનવચનકાયાની પ્રવૃત્તિ ઉદયબળે કરવી પડે તે બધી આત્માનું કલ્યાણ થાય તે અર્થે કરવી. પુરુષાર્થ કરવાનો છે. મનને પૂછવું કે આમાં કલ્યાણ છે કે નહીં? કલ્યાણ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org