________________
વચનામૃત-વિવેચન
૨૫૩ એટલે સમાધિ, ઈશ એટલે મોટી છેવટની સમાધિ. બીજો અર્થ શિલા=પથર, ઈશ= મોટે. મેરૂ પર્વત જેવી અડળ સમાધિ. જ્યાં મનવચનકાયા બધું સ્થિર થાય છે. કેવળી ભગવાનને દેહ છોડતી વખતે એ સમાધિ હોય છે. માત્ર ૬ ૩ ૪ ઋ એ પાંચ હસ્ય સ્વર બેલીએ એટલે જ વખત એ રહે છે.
૬. “અસંગ થવું” એમ બોલવાથી અસંગ ન થવાય. એ અસગપણું એ ક્ષણવાર રહે તે ત્રણ લેકને જીત્યા કરતાં વધારે છે. લોકોને તે પણ એક ક્ષણ વાર અસંગ ન રહી શકે. અસંગ તે જે અસંગ થયા છે તેનો સંગ થાય તે થવાય છે. મહાપુરુષોએ માર્ગ જાણીને પ્રરૂપ્યો છે. સત્સંગ કરો તે અસંગપણું થશે. સત્સંગે અસંગ થવાય છે. જેમ કચરો કાઢવા સાવરણી છે તે પણ કચરો જ છે. તેમ સત્સંગ એ પણ એક પ્રકારને સંગ છે, પણ તેથી સંગરૂપ કચરો કાઢી અસંગ થવાય છે. સત્સંગે સમજણ પડે તો થાય. નહીં તે ભૂલે પડે. સત્સંગે સમજાય છે. આધારે આધારે અસંગ થવાય છે. સત્સંગ એ આધાર છે. ક્રમે ક્રમે થાય. જીવને બારમા ગુણસ્થાન સુધી પુરુષના બંધનું અવલંબન છે.
- ૭. અસંગ થવાનું સાધન સત્સંગ છે. અસંગ કરે એ સત્સંગ મળવા છતાં જીવ રઝળે છે. પિતે ન પલટાય તો સત્સંગ મળે તે ન મળ્યા સરખે. શું આડું આવ્યું ? લેઢાને પારસમણિ અડે તે સોનું થાય જ; અને જે ન થાય, તે કાં તે લેતું બરાબર નથી અને કાં તો પારસમણિ બરાબર નથી. બરાબર સ્પર્શ થાય તો તેનું થાય. ભગવાનને ઓળખ્યા વિના સ્વરૂપની ખબર કેમ પડે? ભગવાને કહ્યું છે કે સત્સંગ મળે પણ ઓળખાણું નથી. સંગમદેવે ભગવાન ઉપર ઉપસર્ગ કરીને કર્મ બાંધ્યાં. સત્સંગની ઓળખાણ ન થાય તો શા કામને? આથી જ મારું કલ્યાણ થશે એવું થયું નથી. મનુષ્યપણાની કિંમત નથી. પુરુષને માને અને પાછી ઈચ્છાએ બીજી કરે છે. તેથી જીવને સાચી ઓળખાણ થતી નથી. ઓળખાણ થયા વિના પ્રેમ ન આવે. વૈરાગ્ય હોય તો ઓળખાણ પડે અને તેથી મોક્ષ થાય. મોટામાં મોટી આ વાત છે. મેક્ષ થતાં સુધી પરમ પ્રેમે ઉપાય સના કરે તો તે મોક્ષે લઈ જાય એવું છે. એ સત્સંગને વેગ મળે પણ એવા ભેગે જે કામ કરવું હતું તે જીવે નથી કર્યું. “રાંકને હાથ રતન.” એક ગરીબના હાથમાં ચિંતામણિ રત્ન આપ્યું પણ તેને ઓળખાણ ન પડી. એટલામાં એક કાગડે ત્યાં આવ્યું અને અવાજ કરવા લાગ્યો. કાગડો ઉડાડવા તેણે રત્ન ફેંકી દીધું. એવું આ થયું. ખબર વિના કિંમત ન લાગે. ક્ષણિક વસ્તુને માટે કિંમતી વસ્તુ જીવ નાખી દે છે. સાથે કશું આવે નહીં. સત્સંગ ઓળખવા વૈરાગ્ય ઉપશમ જોઈએ સત્સંગ પણ ક્રમે કમે ઓળખાય છે. પોતાની આંખમાં કમળો હોય ત્યાં સુધી બધી વસ્તુઓ પીળી લાગે. કેટલાય કાળથી રઝ છું એમ લાગે તો એ શાથી મટે? તેના ઉપાય છે. જે તેને મળે. સત્સંગને યોગ તે પૂર્વના પુણ્યથી મળે છે. એટલા સુધી પુણ્ય લાવી મૂકે. પછી એને પુરુષાર્થ હોય તે એાળખાય ઓળખાયા પછી પણ પરમ સનેહે ઉપાસાય તે સફળ થાય. સત્સંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org