________________
વચનામૃત-વિવેચને
૨૫. [વ. ૬૦૬]
૨૦૮ પ્રભુશ્રીજી કહેતા કે આત્માને રહેવાનું એક ઘર છે. આત્માં ક્યાં રહે છે? સમભાવમાં સમભાવ ક્યાં રહે છે? સ્વભાવમાં.
શ્રી યશોવિજયજીને જેટલે આનંદ આવે છે તે ઉ૯લાસ એમને પણ આવે, તેથી એ પદ સકુરી આવ્યું.
જેમ જેમ છૂટવાના ભાવ થાય તેમ તેમ કર્મ પણ જોર કરે છે. આ સંસાર કયા કારણે પરિચય કરવા યોગ્ય છે?” સંસારમાંથી આત્માને તો કંઈ હિતકારી છે નહીં. જેને છૂટવું છે તેને કેવા વિચારો જાગે છે ! પૂર્વે બાંધેલું કર્મ હોઇ, તેને ઉદય હોય, એ કમને ઘણે ભાગ થોડા કાળમાં વેઢી લેવાય એવો કોઈ ઉપાય છે ? તે તમે તથા ડુંગર વિચારીને લખશે.
સમ્યજ્ઞાન પ્રગટયા પછી સર્વ ભાવથી વિરામપણું થાય છે. પરવસ્તુ છે એમ જાણ્યું, પછી પરમાં વૃત્તિ ન રહે. જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે પછી સંસારની પ્રિયતા ન રહે.
ક્યારે છૂટું, ક્યારે છૂટું' એમ થાય. બધી પ્રવૃત્તિથી વિરામ પામવું તે વિરતિ છે. વિરતિ કહો કે સંયમ કહે –“સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.”
વેપાર વગેરે નહીં કરવાનું મન છતાં કરવા પડે તે પૂર્વ કર્મને જ દેષ છે. એ જ્ઞાનીની વાત જુદી છે. અજ્ઞાની એમ કરે તો ભૂલ પડે, વૃત્તિઓ છેતરે. જ્ઞાનીનાં વચને છૂટવાના અર્થમાં લેવાં. ખોટા અર્થમાં ન ઉતારવાં. [વ. ૬૦૯]
ર૦૯
જેસલમેર, મહા વદ ૮, ૨૦૦૮ જ્ઞાનીને આશ્રયમાં કે લાભ છે તે આમાં કહે છે. જ્ઞાનીને મુખ્ય આશ્રય મેક્ષ માટે કરવાનો છે. જ્ઞાનીને આધારે મોક્ષ છે. એ મુખ્ય ઉપદેશ આ વાક્યોમાં છે.
૧. જે આત્મા છે તે ત્રણે કાળ રહે તે મોક્ષ છે. બીજી વસ્તુને લઈને બીજું દેખાય છે, એટલે આત્મા કર્મ રહિત થાય ત્યારે સહજ સ્વરૂપ રહે છે. સદાય સહજસ્વરૂપમાં રહે તેનું નામ મોક્ષ.
સહજ સ્વરૂપ કેવું છે તેની જીવને ખબર નથી. દેહ પિતાને નથી તેને પિતાને માને છે. દેહના ધર્મોને પિતાના ધર્મો માને છે. છતાં આત્મા ક્યાંય ગયો નથી. સમ્યક દશા આવે ત્યારે ખબર પડે. દયા આવે ત્યારે સમજાય. એ વસ્તુનું ભાન થવા પુરુષાર્થની જરૂર છે. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પિતાની પાસે જ છે. જ્ઞાનદર્શનચારિત્ર બધું પાસે જ છે, પણ ઉપર આવરણ છે તેને લઈને બીજું ભાસે છે. પ્રભુ શ્રીજી કહેતા કે અ૮મા વાણિયે નથી, બ્રાહ્મણ નથી, પાટીદાર નથી, પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી, ઘર નથી, યુવાન નથી. બાલ નથી. પિતાનું ભાન નથી એથી બીજી વસ્તુઓને પિતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org