________________
૨૫૦
બધામૃત નિવૃત્તિક્ષેત્રમાં વિશેષ લાભ છે એમ કહ્યું છે અને કેઈ વિચારવાનું હોય તેને પ્રવૃત્તિક્ષેત્રમાં, જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં સમાધિ કેવી રીતે સાચવે છે તે જોવાનું મળે.
- જ્ઞાની વિભાવનાં કાર્યો કરવા પડતા હોય તેમ છતાં સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કરે છે. તે બહુ મુશ્કેલ છે. આત્મગુણ પ્રગટાવવા એ ખરી ચરણસેવા છે. તરવારના ઘા સહન કરવા સહેલા છે, પણ આત્મગુણ પ્રગટાવવા મુશ્કેલ છે. મુનિ થઈને તે સ્વભાવમાં રહેવું સહેલું છે, પણ ગૃહસ્થાવસ્થામાં રહી નિગ્રંથભાવે વર્તવું તે બહુ અઘરું છે.
વિકારભાવમાં ચિત્તની ચંચળતા હોય છે. એ ચિત્તની ચંચળતા એ જ ખરું દુઃખ છે. એ વિકાર જેમ જેમ છૂટે તેમ તેમ જે આનંદ આવે છે તે અવર્ણનીય છે. જયાં સુધી કામવાસનાની ઈચ્છા છે, વિકાર છે, ત્યાં સુધી વૈરાગ્યની વાત કરવી ખોટી છે. પિતાની એવી ઇચ્છા હોય, તે પછી બીજાને શાની અસર થાય?
૨૦૭
સંકલ્પ-વિકલ્પ થયા કરે છે. રાગદ્વેષમાં ચિત્ત પરિણમે છે. જીવની પરિણતિ સમયે સમયે પલટાય છે, એમ ભગવાને કહ્યું છે, પણ સમયની આપણને ખબર ન પડે. અસંખ્યાત સમયવતી આપણે ઉપગ છે. સ્થૂલ પર્યાયની ખબર પડે. સમય તો ઘણે સૂમ છે. મનના જે ભાવ ખબર પડે છે તે ઘણા સમય જાય ત્યારે ખબર પડે છે.
જેને અફીણ ખાવાની ટેવ હોય તેને “અફીણ ખાવું છે એમ થાય. અફીણ ખાવાની ટેવ ન હોય તેને શાનું થાય? તેમ જેને જે અભ્યાસ થયે હેય તેને તેવા વિચાર સકુરે છે. પૂર્વે જેવાં કર્મ કર્યા હોય તેવા વિચાર કુરે છે. જેને સમજણ હોય તે રાગદ્વેષને રોકી શકે છે. “મારે પાપના વિચારમાં નથી પિસવું” એમ કરવું હોય તે એમેય થાય, ને તરંગે ચઢી જવું હોય તો તેમાં પણ થાય. સુવિચાર થવામાં સત્સંગ સાધન છે. તેથી સવિચારને પોષણ મળે છે.
મુનિઓને માટે અમુક કામ માટે અમુક કાળ ભગવાને કહ્યા છે કે અમુક વખતે અમુક શાસ્ત્ર વંચવું, અમુક વખતે અમુક શાસ્ત્ર ફેરવવું, અમુક વખતે પ્રતિલેખન કરવું. અમુક વખતે ગોચરી જવું. એમ જેને આત્મકલ્યાણ કરવાની ભાવના છે તેને માટે આ બધા નિયમ કરી આપ્યા છે. અમુક વખતે શ્વાસોચ્છવાસ એવા હોય છે કે તે વખતે મન બરાબર સ્થિર ન હોય. તેથી તે અકાળ છે, એમ કહ્યું છે. કેઈનું મરણ થાય તે વખતે સ્વાધ્યાય ન કર એમ કહ્યું છે. તેનું કારણ એનું મન તે વખતે બરાબર સ્થિર રહેતું નથી. અમુક દૂર સુધી હાડકું પડયું હોય ત્યાં સ્વાધ્યાય ન કરે એમ કહ્યું છે. તેનું કારણ તેવા નિમિત્તે હિંસાનાં પરિણામ વગેરે થાય, મન વિક્ષેપી થાય તે છે. આત્માને અહિત થાય, વિક્ષેપ થાય એવા સ્થળમાં, એવાં નિમિત્તોમાં વાધ્યાય ન કરે એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org