________________
૨%
ધામૃત
પાઠ લખ્યો છે, તેમાં લખ્યું છે કે જે વખતે રાજાને સાપ કરડવા આવ્યો તે વખતે રાજાને થયું કે હવે મને કોણ બચાવે? કઈ આવી બચાવે તે હું એને મારું આખું રાજ્ય આપી દઉં, રાણુ બધી આપી દઉં, ધન વગેરે બધું આપી દઉં અને આખી જિંદગી સુધી એને દાસ થઈને રહું એમ થયું. જીવને આ દેહ પ્રત્યે અત્યંત પ્રીતિ છે, તેય જીવને સુખી કરી શકતા નથી, તે પછી બીજી વસ્તુઓ શું સુખી કરી શકે?
દેહ પ્રત્યે જે વસ્ત્રનો સંબંધ છે તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠે છે” (૮૩૩). એ જ સમ્યગ્દષ્ટિ છે. સમ્યજ્ઞાન કોને કહેવાય, તે કૃપાળુ દેવે “મૂળમાર્ગમાં કહ્યું છે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ;
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” એમ જે થયું તે પછી ફરી દેહ પ્રાપ્ત થાય એવું એ ઈચ્છે જ નહીં.
જ્યારથી જાણ્યું કે આ તે પુદ્ગલનું છે, ત્યારથી એમ થયું કે આ બીજાનું જ છે. આપી દેવાનું છે એમ જ થાય. મહાત્માને ચેરીને ભાવ હોતું નથી કે પારકી વસ્તુ આપણે રાખી લઈએ.
બીજી ગમે તેવી અનુકૂળતા હોય પણ સત્સંગ નથી એ મોટું દુઃખ છે. આ કાળનું સ્વરૂપ જોતાં દુષમ છે. બધેય જગતમાં જઈને પૂછે કે નોકરી કરીને ભણીને શું કરશે? તે કહે કે ભણીને, નેકરી કરીને પૈસા કમાવીશ. વિદ્યા વેચીને પૈસા લઈશું. પણ વિદ્યા ભણીને મોક્ષ મેળવશું એમ કહેનારા તો કેઈક જ હશે.
બીજી ઈચ્છા કંઈ રહેતી નથી. માત્ર આ આત્મા ઉપાધિથી છૂટી વનમાં કે એકાંતમાં સહજસ્વરૂપે રહે એવી ઈચ્છા રહે છે. પાંચ ઇન્દ્રિયની ઉપાધિ છૂટી સ્વરૂપમાં સ્થિર થવાય એવી ઈચ્છા રહે છે.
[વ. ૫૯૮]
૨૦૫ કૃપાળુદેવે પ્રશ્ન લખેલ કે જેને અલ્પકાળમાં ઉપાધિ રહિત થવું હોય, તે કેવાં પરિણામ રાખે તે અલ્પકાળમાં ઉપાધિરહિત થઈ શકે? ભાગભાઈએ ઉત્તર લખ્યો કે રાગબંધન છે, તેને લઈને બધે સંસાર ઊભે થાય છે, ઉપાધિ થાય છે. એ ઓછું થાય તે ઉપાધિ ઓછી થાય અને સંસાર પણ ઓછો થાય. કૃપાળુદેવ લખે છે કે ઉપાધિ પ્રત્યે રાગ નથી, પરાણે પૂર્વકમને લઈને આવી છે. રાગભાવ હોય ત્યાં સુધી તો ઉપાધિ હોય; પણ જેને રાગ હેય જણાય છે તેને ઉપાધિ હેય જણાય છે, રાગદ્વેષનાં પરિણામ થતાં નથી.
સભાગભાઈએ લખેલું કે “ભાવાર્થ પ્રકાશ” વાંચતાં બધા મતમતાંતરનું સમાધાન થવા જેવું છે. કૃપાળુદેવ લખે છે કે એ ગ્રંથ કઈ જ્ઞાનીએ રચેલે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org