________________
૨૪૬
બેધામૃત કારણ કે દશાનું એટલું બળ છે. જેમકે સુંદરદાસ મોહમાં ન હતા તે વખતે એમણે લખ્યું કે –
મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિય હુ કતલ કરી કિ રજપુતો હૈ, માર્યો મહામત્ત મન, મારે અહંકાર મીર, મારે ભદમછર દૂ, ઐસે રન રૂતો હૈ, મારી આશાતૃષ્ણ પુનિ પાપિની સાપિની દેઉ, સબકો સંહાર કરિ નિજપદ પદૂતા હૈ,
સુંદર કહત ઐસે સાધુ કઉ શૂરવીર, વૈરિ સબ મારિકે નિશ્ચિત હોઈ સૂતા હૈ.”(૬૭૨) એવી આત્મજાગૃતદશામાં હતા ત્યારે એ “શૂરાતન અંગ” લખ્યું. તેથી બીજાને અસર કરે છે. માત્ર બુદ્ધિથી લખ્યું હોય તે કલિપતરૂપ કહેવાય, ચિત્ત અસ્થિર રહે તે વખતે પર માર્થ સંબંધી લખવું યોગ્ય નથી. પોતાની વૃત્તિઓ તપાસવા એ બધું કૃપાળુદેવે લખ્યું છે. પરમાર્થમાં શંકા પડી હોય કે આ ખરું છે કે ખોટું છે તો ચિત્ત અસ્થિર બને છે; અથવા તીવ્ર પ્રારબ્ધનું બળવાનપણું હોય તે ચિત્ત અસ્થિરવત્ રહે. જેને ક્ષાયક સમકિત હેય તેને પરમાર્થ સંબંધી કા ન થાય. આત્મવીર્ય મંદ થાય એ પ્રારબ્ધને ઉદય છે, તે વીર્ય વિશેષ ફેરવવા પુરુષાર્થ કરીએ છીએ, પણ થતો નથી; મંદ થઈ જવાય છે. કંઈક પ્રારબ્ધ ઓછું થાય તે અસ્થિરતા ટળે. કમને બળવાન ઉદય હોય તે વખતે ચિત્ત સ્થિરતા રહેવી મુશ્કેલ છે. અસ્થિર ચિત્ત હેય તે વખતે પરમાર્થ સંબંધી લખવું, કહેવું તે કલિપત જેવું લાગે છે, પણ કેઈક વખતે એવી ચિત્તસ્થિરતા રહે છે. વ્યવહાર તે અસાર છે એમ સમજાયાથી “તમે આમ કરે કે આમ કરો એમ કહેવાનું કે લખવાનું તે પાણી વલવ્યા જેવું લાગે છે. એટલે વ્યવહાર સંબંધી લખવું બેલિવું ગમતું નથી. વ્યવહાર અસારભૂત લાગે છે, તેથી તેમાં ચિત્ત જતું નથી. અસારમાંથી સાર નીકળવાનું નથી. મનમાંથી એ ભાવ છૂટી ગયો છે. તીવ્ર કર્મના ઉદયે વેપારમાં પ્રવર્તવું પડે છે, પણ તેમાં રસ આવતો નથી.
શ્રી જિને દ્રવ્યોગ અને ભાવસંયોગ બનેથી છૂટવાનું કહ્યું છે, તેનું કારણ સ્થિરતા રહે એ છે. એ બધા પરવતુના સંગ છેતરનાર છે. જેવું છે તેવું જ ભગવાને કહ્યું છે કે દ્રવ્યથી અને ભાવથી બધાથી છૂટવાનું છે. “સર્વ સંગ મહા આસ્વરૂપ છે” એમ ભગવાને કહ્યું છે.
- દર્પણમાં બીજા પદાર્થો જેમ છે તેમ દેખાય છે, તેમ કેવળજ્ઞાનમાં પણ દેખાય છે. સૂર્ય ઉપર વાદળાં હોય તે પ્રકાશ પડે છે, તેમ જ્ઞાન તદ્દન ઢંકાઈ જતું નથી. બધું આવ૨ણ દૂર થાય ત્યારે બધું દેખાય છે. પરવસ્તુને જેવા છતાં આંખ જેમ નિર્લેપ રહે છે, તેમ કેવળજ્ઞાનથી જાણતા છતાં ઈષ્ટ અનિષ્ટપણું થતું નથી. આંખ નાની છે, પણ પર્વત જેવી વસ્તુને જોઈ શકે છે, તેમ કેવલી દેહમાં રહ્યા છતાં કાલેકને જાણે છે. [વ. ૧૮૭]
૨૦૩ પૂજ્યશ્રી–ઉપર જે દર્પણ વગેરે દષ્ટાંત આપ્યાં તેનો વિચાર કેમ કરવો તે વિષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org