________________
વચનામૃત વિવેચન તેમને પણ યાશી લાખ પૂર્વ ઘરમાં રહેવું પડયું. પ્રારબ્ધ બાંધેલું હોય તે તો ભેગવવું પડે. પૂર્વે જે બાંધ્યાં છે તે અમને પણ ભેગવવાં પડે છે. ઋષભદેવ ભગવાનને તે ગમે તેટલી બહારની ઉપાધિ હોય તેય સમભાવ રહેતું. એવું સંહનન હતું, એવું આત્મબળ પણ હતું, એવું પૂર્વ આરાધન હતું. તેથી ગમે તેવા પ્રસંગમાં સમભાવે રહેતા. મોટા પુરુષ કેવી કાળજી રાખે છે! છેવટે તેષપૂર્વક દેહ છૂટે અને ફરી જન્મવું ન પડે એવો એમને નિશ્ચય છે. તે ક્યારે પૂરો થાય? તો કે સમભાવ રહે તે નવાં કર્મ ન બંધાય. તેથી જન્મ લે ન પડે. નિજન જંગલ જેવું હોય ત્યાં સમભાવ રહી શકે. તેથી આ ઉદય ન હોય તો આત્મસ્થિરતા સહેજે રહે. ઋષભદેવના વખતન કાળ જુદે હતું અને આ કાળ જુદે છે. એમાં સ્થિરતા રહેવી બહુ મુશ્કેલ છે. આપણે ચેનવાનું છે. કૃપાળુ દેવના કરતાં વધારે વિષમ કાળ આવ્યું છે. પરમાર્થની એકધારા પ્રવૃત્તિ રહેવી જોઈએ, તેવી રહેતી નથી. કેઈકવાર મળે એ મનુષ્યભવ અનંતવાર મળ્યા છતાં જે કરવાનું છે તે ન કર્યું, તે ક્યારે જીવ કરશે? પ્રમાદ કરવા જેવું નથી. પ્રભુશ્રીજીને બધમાં આવ્યું હતું કે આળસ અને પ્રમાદ વેરી છે. પ્રમાદથી મળેલું સ્વરૂપ પણ ભૂલી જવાય છે.
એમનું એમ પ્રવૃત્તિમય પ્રારબ્ધ ચાલે છે. તે એકદમ ઓછું થઈ જાય એમ લાગતું નથી. એકથી દોઢ વર્ષમાં મંદ ઉદય થાય, પણ તદ્દન ઉદય તે ન મટે, એમ લાગે છે. એક પળ પણ ઉપાધિમાં ગાળવી અમને વસમી લાગે છે.
વેપારની સ્થિતિ જ એવી છે કે માલ પડ્યો હોય તેની ફિકર થયા વિના રહે નહીં. ડામાડોળ રહે. જેમ ઊટ ઉપર બેસીને સ્થિર રહેવું મુશ્કેલ છે, તેમ આ ઉપાધિમાં રહી સમભાવમાં સ્થિર કહેવું બહુ મુશ્કેલ છે.
કૃપાળુદેવ લખે છે કે આ ઉપાધિને જેગ અમારે ઓછો કરે છે. તેને ઉપાય તમને કંઈ જણાય તે લખશે. જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ ગમતી નથી. જ્ઞાની પુરુષ જેનાથી હૃદય મળતું હોય તેને વાત કરી પોતાનું દુઃખ વ્યક્ત કરે છે.
જ્ઞાની છતાં, કર્મ ન બંધાય એમ વર્તવાની ભાવના છતાં, ઉપાધિમાં રહેવું પડયું. એ તો એમાં સ્થિર રહ્યા, પણ આપણને શીખવાનું છે કે જીવે ઘણાં કર્મ બાંધ્યાં છે, કર્મને બેજે કેટલે એકઠો કર્યો છે! “કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય?” એવું જીવને થતું નથી. પિતાની કચાશ જેટલી હોય તેટલે પશ્ચાત્તાપ મરણ વખતે થાય કે મેં પ્રમાદમાં પડી કંઈન કર્યું. ઘણે વખત તે જીવને પ્રમાદમાં જાય છે. રુચિ બીજે છે. તેમાં કર્મ બંધાય ત્યાં એને મીઠાશ આવે છે.
લખવાનો જે વિષય હોય તે સંબંધી પિતાની દશા ન હોય તે મન પાછું ફરી જાય છે. પરમાર્થમાં ચિત્ત થતું ત્યારે એ સંબંધી લખતા. તેથી આ વચને વધારે અસર કરે છે. સંસાર પ્રત્યે ઉદાસીનતા હોય અને ચિત્ત પરમાર્થભાવનામાં હોય તે વખતે લખી શકાય, બેલી શકાય એવું છે. તે વખતે જે લખાય તે વીતરાગતા પૂર્વક લખાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org