________________
૨૪૪
ધામૃત પ્રબળ કષાયને અભાવ થવાથી ધર્મ પ્રગટે છે, ચારિત્રધર્મ એટલે સ્વરૂપમતા પ્રગટે છે.
સપુરુષમાં કે સત્સંગમાં જેને નિષ્ઠા એટલે સ્થિરતા છે તે સત્સંગનૈષ્ઠિક છે. અસંગ એટલે સહજ, કમરહિત. કર્મને લઈને કૃત્રિમ થઈ જાય છે. મેહનીયકર્મ જાય તે સહજસ્વરૂપ પ્રગટે. જ્ઞાનાવરણીય જાય તો સહજ જ્ઞાનસ્વરૂપ પ્રગટે. અંતરાયકર્મ જાય તે સહજશક્તિ એને પ્રગટે. “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એ આત્માનું સહજ સ્વરૂપ છે, તે કર્મના અભાવે પ્રગટે છે. સર્વ કર્મ ક્ષય થાય ત્યારે દ્રવ્ય સહજ જેમ હોય તેમ પ્રગટે છે. ત્યારે સહજસુખ કહ્યું છે. સર્વ કર્મને ક્ષય થાય ત્યારે સહજાનંદ કે સસુખ પ્રગટે છે. સર્વ કર્મથી રહિત થાય ત્યારે સહજસ્વરૂપ પ્રગટે. એ જ પરમાનંદ છે. જ્ઞાની પુરુષે આ જે શુદ્ધસ્વરૂપનું વર્ણન કર્યું છે તે આત્માનું સ્વરૂપ સાચું છે કે નહીં, તે સત્સંગે ખબર પડે તો જ્ઞાનીને ઓળખવાનું કારણ થાય છે. કષાય ઘટે તો ક્ષય પણ થઈ શકે છે અને સહજ સ્વરૂપ પ્રગટે છે, એમ જીવને સસંગે લાગે છે. સત્સંગમાં એના બધા સંકલ્પ વિકલ્પ સમાઈ જાય. સત્સંગ હોય તે જ્ઞાનીનું કહેલું સાચું માનવાનું અનુમાન થઈ શકે. જીવ આનંદસ્વરૂપ છે, તે જ્ઞાનીને ગે સમજાય છે. જ્ઞાની કંઈ બેલતા કરતા ન હોય તે પણ ત્યાં એને સમજાય છે. જ્ઞાનીએ જે કહ્યું તેને અનુભવ એને સત્સંગમાં થાય.
જેમ આત્માના સંકલ્પવિક૯૫ ઓછા થાય તેમ ચારિત્ર પ્રગટે. ત્યાં સંકલ્પવિકલ્પ હેતા નથી. જેમ ચારિત્ર પ્રગટે તેમ તેમ સ્થિરતા થાય. નિર્વિકલ્પપણું પામવા માટે સુધારસ, સત્સંગ, સલ્લા, વૈરાગ્યઉપશમ સાધન છે. એ આત્મસ્થિરતાનાં કારણે છે. સુધારસ એ એક પ્રકારને મુખરસ ઝરે છે. તે એક સ્થિરતાનું સાધન છે. ત્યાં ઉપગ એને રોકાય છે, તેથી એ પણ એક સાધન છે. એ રસ જડ છે, તે પણ એ સ્થિરતાનું એક સાધન છે. આખું જગત સુખને માટે ભટકે છે. દેવમનુષ્યાદિક સર્વ સુખને માટે ફાંફાં મારે છે. આત્મસ્થિવતા થાય ત્યારે બધી કલ્પના છૂટી જાય અને આત્માનું સુખ એના ધ્યાનમાં આવે. સુધારસ એ સ્થિરતાનું એક સાધન છે. જેમ નાક ઉપર દૃષ્ટિ રાખવાથી આડાઅવળી દષ્ટિ ન જવાથી સ્થિરતા થાય છે. સુધારસ એટલે અમૃતરસ, એમાં ઉપયોગ રહે તે આત્મા સ્થિર થાય છે. જ્યાં એ રસ ઝરે છે ત્યાં એને આનંદ આવે છે. તેથી એની વૃત્તિ ત્યાં ઠરે છે. એવી વૈરાગ્યઉપશમથી પણ વૃત્તિ સ્થિર થાય છે. શાસ્ત્રમાં તલ્લીન થાય તે પછી સદ્દવિચાર આવે, તે પછી બધા વિકપ દૂર થાય છે. તેથી નિર્વિકલ્પદશા કેવી હોય છે તેને ખ્યાલ આવે છે.
[વ. ૫૮૬]
૨૦૨ શ્રી રા. આ૦ અગાસ, ભાદરવા સુદ ૧૧, ૨૦૦૯ પૂજ્યશ્રી–પહેલાં સોભાગભાઈએ પત્ર લખ્યા હશે તેના ઉત્તર કૃપાળુદેવે ટૂંકામાં આપ્યા હશે. હવે વિસ્તારથી લખે છે. - રાષભદેવ વગેરે મહાપુરુષે થઈ ગય તે જીવેના કલ્યાણ અર્થે જ જમ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org