SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૪૩ એ ઉપરથી જ કૃપાળુદેવે આ પત્ર લખે છે. નિર્મળ સ્ફટિકની સમાન જીવન નિર્મળ સ્વભાવ છે, એમ ભગવાને કહ્યું છે. પ્રબળ કષાય અભાવ થાય ત્યારે “સહજ સ્વરૂપે જીવ છે” તે સમજાય. કષાયને અભાવ થાય ત્યારે એને ભગવાને કહ્યું તે સાચું લાગે. જીવને સત્સંગ હોય તે આત્મા આનંદસ્વરૂપ લાગે. જ્ઞાની પુરુષનાં વચનો બધાં શુદ્ધસ્વરૂપને કહે એવાં છે. પણ જીવને એ સમજાતાં નથી તેનું કારણ ગ્યતા નથી. બધું ભૂલી ગયે કલ્યાણ છે. કૃપાળુદેવ પહેલાં શતાવધાન કરતા, પણ પછી લાગ્યું કે એમાં કંઈ સુખસ્વરૂપતા નથી. એ બધું ભૂલવાનું છે, તેથી બધું થડે થેડે ભૂલવા લાગ્યા. ભૂલતાં ભૂલતાં બધું ભૂલી ગયા. આત્મામાં સ્થિર થયા. સત્સંગે જીવને રંગ લાગે તે સંસારને મેહ ઉતરી જાય. પરવસ્તુથી પાછા હઠીને પોતાના સમભાવમાં રહે તે સુખ છે. જ્ઞાનીએ કે પુરુષાર્થ કર્યો છે એ તરફ લક્ષ રાખવે. કંઈક બળ કરી જીવ જ્યારે પરવસ્તુને છોડશે ત્યારે જ કલ્યાણ થશે. મમતા ખસી અસંગતા આવે તે કલ્યાણ થાય. “એક તે જે સંપ્રદાયમાં આમાથે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય અને નિરંતર જ્ઞાનદશા ઉપર જેનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાને જંગ જાણીએ છીએ.” (૩૦) આત્માને અસંગ કરવાનું છે, એ લક્ષ રાખ. એ જ્ઞાન વિના થાય નહીં. અને તે જ્ઞાન જ્ઞાની પાસે છે. “જ્ઞાન” એ શબ્દ પકડી રાખજે, એમ પ્રભુશ્રીજી કહેતા. [વ. ૫૮૫] ૨૦૧ પૂજ્યશ્રી આત્માની વાત જીવને મીઠી લાગે, તેનાં દૃષ્ટાંત મીઠાં લાગે તે જાણવું કે સમ્યગ્દર્શન થયું છે. દેવચંદ્રજીએ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિને “આત્મા” એમ સાંભળતાં જ રોમાંચ થાય. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી રે, તેમ જ જીવસ્વભાવ” આત્માની નિર્મળતા સમજાવા સફટિકરનની ઉપમા આપી, સ્ફટિકની આરપાર પદાર્થ દેખાય છે એવી એની નિર્મળતા છે. તેથી એ રત્ન છે કે નહીં એ જણાય નહીં. એ જીવને સ્વભાવ છે. સ્ફટિક રત્ન જેમ દેખાય નહીં તેમ આત્મા દેખાય નહીં. આત્મા દેહને લઈને અત્યારે દેખાય છે એમ ભાસે છે. પણ દેખાય છે તે તો દેહ છે, આત્મા દેખાતો નથી. જેવા સંગ મળે એ દેખાય છે, એ કષાયને લઈને બગડે છે, નહીં તે સફટિકરત્ન જે છે. આત્માનો સ્વભાવ જ્ઞાની એ સ્ફટિક રત્નની જેમ નિર્મળ કહ્યો છે. ભગવાને આત્માને નિર્મળ કરી, એ સ્વભાવ જ છે. આત્માને એક પણ અણુના આહારપરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે સ્પષ્ટ એ અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એવે જે છે. ” (૪૩૭) આત્માને મલિન કરનાર કષાય છે. તેમાં પ્રબળ કષાય અનંતાનુબંધી છે. એથી વસ્તુનું સ્વરૂપ મનાતું નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી સાથે જ રહે છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy