SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ બધામૃત અને ચિંતા એ સંબંધી તમે ન કરે તો એ અમારા ઉપર કૃપા થઈ એમ માનીશ. લૌકિક વિચાર કરશે નહીં, સત્સંગ અથે જ આવવું છે. કૃપાળુદેવ ડુંગરશીને લખે છે કે ત્યાં મુંબઈમાં સાંકડાં સાંકડાં ઘર હોય ત્યાં આપણે જઈને ક્યાં ભીડ કરીએ” એવા લૌકિક વિચાર અહીં આવવામાં ન કરશો. એક સત્સંગને અર્થે આવવું છે, એ જ વિચાર રાખશે. બીજા વિચાર ભૂલી જજે. આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે. બીજી રૂપી વસ્તુઓ દેખાય છે, તે સાક્ષી પૂરે છે કે આત્મા છે તે દેખાય છે. [વ. ૫૮૧] ૧૯૯ પૂજ્યશ્રી–આ વાત સાંભળીએ ત્યારે એમ થાય કે આ જડની અને આત્માની વાત કરે છે, તે કેઈક ચેતનની અને કેઈક જડની વાત કરે છે, પણ મારી વાત કરે છે એમ લાગતું નથી. જડ તે જડ અને ચેતન તે ચેતન રહેવાના છે, એ અનાદિસ્વભાવ છે. આપણે આપણને ઓળખતા નથી. પિતાને પિતાને બંધ થવા એ કહેવું છે. અનાદિકાળથી આત્મા જાણ જાણ કરે છે અને જડ વસ્તુ જાણે નહીં. ગમે તેટલે ફેરફાર કરે પણ એ ન જ જાણે. ગમે તેવી ગોઠવણ કરે પણ જડ કેઈ દિવસે જાણે નહીં. જાણનારે આ દેખાય છે તેથી જુદે છે. તે અનેક પ્રકારે જાણ જાણ કરે છે, અનંત કાળથી જાણ જાણ કરે છે, પણ વિપરીતતાને લીધે પિતાને જાણ નથી. “ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે ભાન નહીં, કહિયે કેવું જ્ઞાન !” શું જાણું ? પિતાને તે જાણ્યો નહીં. ચેતન દ્રવ્ય છે, તેને જ્ઞાન ગુણ છે અને સમયે સમયે જાણ જાણ થાય છે તે તેના પર્યાય છે. પોતાના ભણી વળે કે મને શું થાય છે? સંકલ્પવિકલપ થાય છે. મનમાં રહી ચેતન ઘાટ ઘડે છે, તે બધા પર્યાય છે. મારે સાંભળવું છે, જેવું છે, એવા વિચારે થાય છે તે બધા જ્ઞાનના પર્યાય છે. કૃપાળુદેવ કહે છે કે વિચાર તે ઘણા આવે છે, પણ ઉપશમાવવાની વૃત્તિ થવાથી, કઈ પાસે આવ્યું હોય તોય જણાવવાનું થતું નથી. પ્રવૃત્તિ બહુ નથી, તેમ છતાં મુંબઈ ક્ષેત્ર નિવૃત્તિવાળું નથી, તેથી નિવૃત્તિની ભાવના રહે છે. વિ. ૫૮૪]. ૨૦૦ પૂજ્યશ્રી—યશોવિજયજીએ સવાસે ગાથાના સ્તવનમાં આ કડી લખી છે– જેમ નિર્મળતા રે રત્નસ્ફટિક તણી રે, તેમ જ જીવ સ્વભાવ; તે જિનવીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાય અભાવ. -શ્રી સીમંધર જિનવર વિનવું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy