SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૪૧ ન મળે, તેથી બીજા કોઈનું નામ ભૂંસી નાખી પિતાનું નામ લખે છે. બીજા કેઈએનું નામ ભૂંસી નાખી પિતાનું નામ લખે. એમ બધું જ નાશવંત છે. જીવને તે જગતની કલ્પિત વસ્તુને જાણવી છે, સાંભળવી છે. ખાવું પીવું એ તે જીવ અનાદિથી કરતું આવ્યું છે. કલ્પિતની પ્રવૃત્તિમાં ખાટી થવું એ શું કામનું છે? જગતના જીવોને માહામ્ય લાગ્યું છે તે જ્ઞાનીને મટી ગયું છે. બે વસ્તુ છે. જડ ને ચેતન. જગતની બધી વસ્તુઓ નાશવંત છે, ઘડીકમાં છે અને ઘડીકમાં નહીં, વાદળાંની પેઠે કર્મ બધાં ફરતાં છે. તેમાં શું જેવા ખાટી થવું? વ્યવહારની પ્રવૃત્તિમાં ચિત્ત ચોટતું નથી અને પ્રવૃત્તિમાં રહી પરમાર્થ સંબંધી વાત ન કરવી એમ એમને વિચાર છે. જ્યારે પરમાર્થ ઉપગરૂપ હોય ત્યારે પરમાર્થ કહીએ તે ઠીક છે, પણ ઉપગ બીજામાં હોય તે વખતે એવી પરમાર્થની વાત કરવી તે કૃત્રિમ જેવી લાગે છે. પ્રારબ્ધને ઉદય વેપારાદિ છે તે રોક્યો નથી ત્યાં સુધી પરમાર્થ સંબંધી કંઈ કહેવું નથી. વ્યવહારની વાતે બધી કલ્પિત લાગે છે. પરમાર્થની વાત સારી લાગે છે. પણ જ્યાં સુધી વેપાર આદિની પ્રવૃત્તિ છે, ત્યાં સુધી એવી વાત કરવી યોગ્ય નથી લાગતી. વિક્ષેપનાં કારણે દૂર તે કરવાં છે, પણ જેમ જેમ હડસેલીએ તેમ તેમ વધે છે. ગઈ સાલ કરતાં આ વખતે મોતીને વેપાર બમણે થયો છે. તેમાં તેમનું કારણ જશુાતું નથી. પૈસા મળશે તે સુખી થઈશું એમ પણ જણાતું નથી. વિષયકષાયને પોષવા કરીએ છીએ એવું, તપાસતાં જણાતું નથી. પણ પ્રારબ્ધને લઈને પ્રવૃત્તિ થાય છે. જગતને લઉં લઉં એમ થાય છે અને અમને મૂકું મૂકું એમ થાય છે. પહેલાંનું પ્રારબ્ધ છેડવાને માટે આ વેપારાદિ પ્રવૃત્તિ કરીએ છીએ. અમને તપાસતાં એમ લાગે છે. પછી વિશેષ વિચારવાનું કહે તે ખરું. સેભાગભાઈ એ કૃપાળુદેવને વેપારનો વ્યવહાર ઓછો કરવા લખ્યું, તે માટે આ પત્ર લખે છે. વિષય કષાય માટે આ વેપાર કરતા હોઈએ એમ જણાતું નથી. બધું કલ્પિત લાગે છે, એવું જ છે. કલ્પિત જેવું જ છે. [વ. પ૭૯] ૧૯૮ શ્રી રા. આ અગાસ, ભાદરવા સુદ ૧૧, ૨૦૦૯ પૂજ્યશ્રીકૃપાળુદેવ સોભાગભાઈને લખે છે કે તમને ઉંઘ ન આવતી હોય તે હું તમારી સાથે રાતદિવસ બેસું એ હમણાં અવકાશ છે. આજીવિકાનું સાધન હોય તે જ્ઞાનીની આજ્ઞામાં રાતદિવસ ગાળવાનું રહે, આજ્ઞામાં વર્તાય, એમાં ઘણું જીવેને હિત થાય-એમ તમે લખ લખ કરે છે પણ અમે લખતા નથી. મનમાં બેટું લગાડશો નહીં. કશે વિક૯પ કરવા જેવું નથી. ખાસ કામ હોય તે જ અમને એ વાત જણાવવી. અમારી ઈચ્છા જાણ્યા વગર તમારે લખવું નહીં. તમે આજીવિકાની વાત ભૂલી જાઓ અને અમને એ સંબંધી ન લખે, એ અમને તમને બનેને હિતકારી છે. આજીવિકા સંબંધી ફિકરચિંતા ન કરશે. તમે કંઈ એ સંબંધી ન લખે ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy