________________
વચનામૃત-વિવેચન
૨૩૯ જ્ઞાનીની આજ્ઞા આરાધવી. જ્ઞાની પુરુષને આશ્રય એટલે મન પણ જ્ઞાનીને સેપે અને જ્ઞાનીપુરુષનું શું કહેવું છે, તે લક્ષમાં રહે તે જ્ઞાની પુરુષને આશ્રય છે. જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત રાખવું. “ચાળા તો ” જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કહ્યું છે. મન જ્ઞાનીની આજ્ઞામાં રાખવું બહુ કઠણ છે. “કપટ રહિત થઈ આતમ અરપણુ” જ્ઞાનીના ચરણમાં મનને સ્થાપવું એ ખરે આશ્રય છે. ચરણ એટલે આત્માની ચેષ્ટા અથવા એનું કહેલું વચન. જ્ઞાનીની આજ્ઞા આરાધતાં જીવને પિતાનું ભાન થાય છે. જ્ઞાની પુરુષને ન ભૂલવા-એ બધાને સાર છે. જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં મન રહે તો જ્ઞાનીનાં વચનની અપૂર્વતા સમજાય. “અપૂર્વ વાણ, પરમ શ્રત.” એના વિચાર કરવાથી, જ્ઞાની જે બીજે કેઈ અપૂર્વ ન લાગે તો મન જ્ઞાનીના ચરણમાં સ્થપાય.
પાંચ ઈન્દ્રિયેના વિષથી જીવ છૂટે તો આજ્ઞા આરાધાય. પાંચ ઈન્દ્રિયના વિષયેથી જેમ બને તેમ દૂર રહેવું. જેટલા વિષયો ત્યાગ થાય તેટલા ત્યાગવા. જે ન જાય એવા હોય અને ભેગવવા પડતા હોય તેમાં ઉદાસીનતા રાખવી. જેમ રેગ થયું હોય અને દવા કરવી પડતી હોય તે તેમાં આનંદ આવતો નથી, તેમ પાંચ ઇન્દ્રિયના વિષયો ભેગવવા પડતા હોય તો દવાની પેઠે રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. જ્યારે જીવ પુરુષાર્થ કરવા લાગે છે, ત્યારે કર્મ પણ જોર કરે છે. કર્મ ઉદયમાં આવે ત્યારે જીવ પિતાને ભૂલી જાય છે. જીવ પુરુષાર્થ કરવા જાય ત્યારે કર્મ ભૂલવે છે. તેથી જે દેષને છેઠો છે તેમાં જ પા છે લુબ્ધાઈ જાય છે. આ વસ્તુ ત્યા તો કેમ ચાલે? એ તે પછી છેડી દઈશ. હું જાગૃત રહીશ તેથી દેશ નહીં લાગે. એમ કરતાં જીવ તેમાં ભળી જાય છે. પણ મારે દોષ વધે છે એ ભય નથી લાગતો. દેશને જીવ છેડવા જાય છે ત્યારે પણ કંપે છે. પુરુષ પ્રત્યે આશ્રયભક્તિ કરવામાં પાંચ ઈન્દ્રિયોના વિષયે વિનરૂપ છે.
તેનો ત્યાગ બે પ્રકારથી થઈ શકે છે. એક તો તેને છોડી દેવા અને બીજો પ્રકાર, વિચારથી કરી તુછપણું સમજાવું. પાંચ ઇન્દ્રિયના વિષયો છોડવાયેગ્ય છે. ત્યાં વૃત્તિ ન જવા દેવી.
પાંચ ઈન્દ્રિયના વિષયોની તુચ્છતા એમની એમ નથી લાગતી. ત્યાગ કરે તો વિચાર આવે. તુચ્છતા લાગે ત્યારે ત્યાગ દઢ થાય. વિચાર એ માટે રસ્તો છે, રાજમાર્ગ જે છે. વિચારથી કરી તુચ્છતા સમજવાવાળા પુરુષો તો કોઈક જ હશે. મુખ્ય માર્ગ તે ત્યાગ છે.
પાંચ ઇન્દ્રિયના વિષયને ત્યાગ એકદમ ન થતો હોય તો તેને શત્રુરૂપ જાણ ક્રમે કમે છોડવા. આરંભ પરિગ્રહથી પાંચ જ્ઞાન આવરણ પામ્યાં છે. આરંભ પરિગ્રહ જાય તે જ્ઞાન થાય. જીવને જેટલું માહામ્ય હોય તેટલું પરિણામ પામે. ભક્તિ આવ્યા વિના જ્ઞાનીના વચને પરિણામ ન પામે. પાંચ ઇન્દ્રિયના વિષયથી મન રોકાય તે ભક્તિ થાય. આરંભપરિગ્રહ જીવને ખેંચે છે. પાપકામ કરવું તે આરંભ છે, અને આરંભ કરીને વસ્તુ મેળવવી તે પરિગ્રહ છે. વિરોધી સાધન દૂર થાય તે ભક્તિ થાય, જ્ઞાનદશા વધે, અને પછી તીવ્રજ્ઞાનદશા પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org