________________
૨૩૮
બધામૃત લઈને બધું દેખાય છે. બધા વિભાવથી ઉદાસ થઈ પિતાનું જે સહજ સ્વરૂપ છે, તેમાં વૃત્તિ રાખવાની છે. વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ એ સહેજે રહે એવું કરવાનું છે. જેને સમ્યદર્શન પ્રાપ્ત કરવું હોય તેણે ગનાં બીજ એવાં ત્યાગવૈરાગ્યાદિ લાવવાં. વિભાવમાં ન તણાય તે બંધ ન થાય. વિભાવમાં વૃત્તિ ન જાય અને સહજ સ્વરૂપમાં વૃત્તિ રહે એને ભગવાને છૂટવાનો રસ્તો કહ્યો છે. જ્ઞાન એટલે
“ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ;
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. ” એ મૂળ જ્ઞાન છે, તે વૃક્ષ જેવું થાય ત્યારે કેવળજ્ઞાન થાય છે. એ આવ્યા વિના મોક્ષ ન થાય. ભગવાને ચેથા ગુણસ્થાનકથી માંડી ચૌદમ ગુણસ્થાનક પર્યત જે વર્ણન કર્યું છે તે તીવજ્ઞાનદશા લાવવા માટે કર્યું છે.
એ વાત કેઈક જીવ જ સમજી શકે છે. એને ભાવ ભાવો મુશ્કેલ છે. અહંભાવ છૂટે મુશ્કેલ છે. અજ્ઞાન છે ત્યાં અંધારું છે. સમ્યકજ્ઞાન. સમ્યફદર્શન અને સમ્યફચારિત્ર એ આત્માનો ધર્મ છે. પુરુષ દ્વારા શાસ્ત્ર સમજવાનાં છે; નહીં તે શસ્ત્રરૂપ પરિણમે. પિતાના ભણું વળતો નથી. પિતાના દે ભણી વૃત્તિ જવી મુશ્કેલ છે. આખું જગત પારકા દેશે જોવામાં પડ્યું છે. પોતાના દે જોવા માંડે ત્યારે છૂટવાની કામના જાગે અને અલૌકિક દષ્ટિ થાય. જીવ અજ્ઞાનદષ્ટિના સંસ્કારો લઈને આવ્યા છે, તેથી અજ્ઞાનદશામાં રાચી રહ્યો છે. અજ્ઞાનથી સારું જાણ્યું તે મટવું કઠણ છે. અજ્ઞાનના સંરકાર મટવા બહુ મુશ્કેલ છે. પુરુષના એક એક વાક્યમાં એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, તે પરમાર્થદષ્ટિથી સમ્યગ્દષ્ટિને નજરે આવે છે. જેને કંઈ જાણવું હોય તેણે જ્ઞાનીને આશ્રય કરે, તે પછી શાસ્ત્ર વાંચવું સફળ થાય. નહીં તે જીવ પિતાની બુદ્ધિ આગળ કરે છે. કૃપાળદેવ મુનિઓને વાંચવા શાસ્ત્ર મોકલતા ત્યારે ભલામણ કરતા કે સત્સંગ, વૈરાગ્ય, ઉપશમ અથે વાંચવા વિચારવાયેગ્ય છે. જીવ કેમ ભૂલે પડ્યો છે તે તે જ્ઞાની જ જાણે છે. બીજાને ખબર ન પડે. પિતાની મેળે પાર ન આવે.
“ વહ સાધન બાર અનંત કિયો, તદપિ કો હાથ હજુ ન પર્યો. ” ઘણું કર્યું પણ મોક્ષમાર્ગ હાથમાં ન આવ્યું. જ્ઞાની મળે ત્યારે જીવને “આત્માથી સૌ હીન ” એમ લાગે.
તીવ્રજ્ઞાનદશા પામવા માટે પ્રથમ જ્ઞાનદશા જાણવી. એ દશા જાણવી મુશ્કેલ છે, માટે જ્ઞાનીની ભક્તિ કરવી તે સુગમ થશે. જ્ઞાનીની ભક્તિ ક્રૂરે તે આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય. જ્ઞાનીની ભક્તિ થાય ત્યારે અપૂર્વતા લાગે. “અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ માટે અને સહેજે આત્મબંધ થાય.” આજ્ઞાએ વર્તે ત્યારે સ્વછંદ ટળે અને પછી જ્ઞાનદશા પ્રાપ્ત થાય. જ્ઞાનીપુરુષ એજ પરમેશ્વર છે. “હું કંઈ જાણતો નથી' એમ કરી જ્ઞાનીને શરણે જવું. જ્યાં અહંભાવ હોય ત્યાં જ્ઞાનીને આશય ન રહે. બને તેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org