SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૩e સંસારમાંથી ખૂટી પડશે? સંસાર બધો નાશ તો નહીં થાય? કૃપાળુદેવ ઉત્તર આપે છે કે વધારેમાં વધારે એક સમયમાં એક સે આઠ જીવો સિદ્ધ થાય. દરેક સમયમાં એક સે આઠ, એક સો આઠ જે સિદ્ધ કદાપિ થાય એમ ગણીએ તે પહેલાં જે સિદ્ધ થયા છે અને હવે થશે તે કરતાં અનંતગણુ જો સંસારમાં રહે. સંસારમાં રહ્યા છે તેના હિસાબમાં મોક્ષે ગયા છે તેમને કંઈ હિસાબ નથી. આખો લોક જીથી ઠાંસી ઠાંસીને કાજળના કુપ્પાની પેઠે ભરેલે છે. એમાંથી ઉત્કૃષ્ટ રીતે એક સમયમાં એક સો આઠ સિદ્ધ થાય. મનુષ્ય હોય તે જ મોક્ષે જાય. બીજી ગતિમાં મોક્ષ ન થાય. સંસારને ઉચ્છેદ થાય તે સારું છે. બધા મેક્ષે જાય તે શું બગડી જવાનું છે ? સારું છે. પણ એમ થતું નથી. મુમુક્ષુ-એક સો આઠ જ ઉત્કૃષ્ટ રીતે એક સમયમાં સિદ્ધ થાય તે ભારતક્ષેત્રમાં જ કે? પૂજ્યશ્રી–બધા આખા અઢી દ્વીપમાં મળીને, પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ આદિ અઢી દ્વીપમાં બધા ક્ષેત્રના મળીને એક સો આઠ જીવો વધારેમાં વધારે એક સમયમાં સિદ્ધ થાય એવું જ બને છે. ઉપાધિ કરવામાં આવે અને અસંગદશા રહે એ બનવું બહુ મુશ્કેલ છે. સંપૂર્ણ અસમાધિ તે નથી. મુમુક્ષુ થાય ત્યારથી કંઈ સમાધિ તો હોય છે. પણ જે સંપૂર્ણ અસમાધિપણું છે, તેનાં કારણે બધાં દૂર કરી આત્મામાં સ્થિર થવાય તેવાં નિમિત્તોમાં રહેવું. જીવને મિથ્યાત્વ અવસ્થા છે ત્યાં સંપૂર્ણ અસમાધિ છે. એ ગયા પછી ચારિત્રમેહને લઈને જે કંઈ અસમાધિ રહે છે તે અસંપૂર્ણ અસમાધિ છે. [વ. ૫૭૨] ૧૯૫ શ્રી રાવ આહર, ફાગણ સુદ ૧૩, ૨૦૦૮ જીવને આત્મસ્વરૂપનું ઓળખાણ થયા પછી સહજ દશા થઈ જાય છે. પોતાના આત્માની દશા કેવી કરવી છે? તે જીવ ભૂલી જાય છે. ગમે તેવાં ભામાં ઉદાસીનતા રહે, વિભાવ. દશામાં વૃત્તિ ન જાય, એવી દશા કરવાની છે. પોતાનાં પરિણામ શુદ્ધ રાખવાનાં છે. સિદ્ધ દશા અત્યંત શુદ્ધ છે. એવું જ પિતાનું સ્વરૂપ છે. સહજ સ્વભાવ થયા પછી પુરુષાર્થ કરે પડતો નથી. સહજભાવે આત્મસ્વભાવમાં રહેવાય છે. શ્રેણી માંડે ત્યારે પુરુષાર્થ કરે પડે, પણ પછીથી પુરુષાર્થની જરૂર રહેતી નથી. જીવે ખરું સ્વરૂપ જાણ્યું નથી. “ જાણ્યું તે તેનું ખરું જે મેહે નવિ લેપાય.” કેવળજ્ઞાનનું નામ તીવ્રજ્ઞાનદશા છે. “કેવળ નિજ સ્વભાવનું, અખંડ વતે જ્ઞાન; કહિએ કેવળજ્ઞાન તે.” પાંચ પરમેષ્ઠિનું સ્વરૂપ સહજત્મસ્વરૂપ છે. જીવનું કલ્યાણ કેમ થાય? એ જ્ઞાની જાણે છે. નવકારમંત્રમાં અને સહજાન્મસ્વરૂપમાં ભેદ નથી. તીવ્ર જ્ઞાનદશા હોય તો બંધન ન થાય. કર્મને લઈને આખું જગત છે, પણ આત્મા કંઈ વનસ્પતિ નથી, એકે દ્રિય નથી, બેઈન્દ્રિય નથી. કર્મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy