SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ બધામૃત મહ છે. તેથી જ એ ભાનમાં આવતું નથી. તેને લઈને આત્માનું ભાન થતું નથી. “હું અને મારું'માં રોકાઈ ગયું છે. વિચાર કરવાને અવકાશ નથી. પૂર્વના સંસ્કારે આત્માના વિચાર કરવા બેસે પણ બીજા જ વિચાર આવે છે, એનું કારણ અનિત્ય વસ્તુમાં મોહ છે. ઠેકાણે ઠેકાણે જીવે પ્રેમ વેરી નાખે છે, તે બધેથી ઉઠાડી પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં” એ કરવાનું છે. આત્માના વિચાર કરવા જતાં દેહના વિચાર કરવા માંડે છે! કપડાના વિચાર કરે છે. આત્મા ખવાઈ જાય છે, તેની કિંમત નથી. આત્મા લાખો રૂપિયેય ન મળે એ છે. જ્ઞાની મળ્યા હોય, સાધન મળ્યું હોય, તેમ છતાં આત્માને વિચાર કરવા બેસતાં આત્મવિચારમાં ભૂલ આવે છે, માટે આ ભવમાં એવું ન થાય એ સાચવવાનું છે. “આ જ મારે કામનું છે” એવું જીવને થતું નથી. આ છ પદ એ જ મારું સ્વરૂપ છે. એને વિચાર કરતાં બીજા વિચાર આવે છે. એવું ઘણીવાર થયું છે. મેહ અનાદિકાળથી છે. ખરા પુરુષાર્થ કરે ત્યારે મેહ ખસે એવે છે. આ ભવમાં એ કરવાનું છે, ખૂબ પુરુષાર્થ કરવાની જરૂર છે. સરલ વિચારદશા એટલે જ્યાંસુધી યથાર્થ ન સમજાય ત્યાં સુધી મને સમજાઈ ગયું એમ ન માનવું. આત્મસ્વરૂપને નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે.” (૫૬૮). જ્ઞાની કહે તે માનવું એ સરલ વિચાર છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” સમજણું કરવાની છે. તેને માટે “સદ્ગુરુ આજ્ઞા, જિન દશા, નિમિત્ત કારણમાંય.” એ બે નિમિત્ત છે. એથી સિદ્ધ થાય છે. જે સંપૂર્ણ સ્વરૂપને પામ્યા છે તેમને લક્ષ રાખ. અત્યારે કરીએ છીએ એથી વિશેષ પુરુષાર્થની જરૂર છે. જ્ઞાની બતાવે છે કે આમ કરવાથી અનંત સુખ પ્રાપ્ત થશે, આત્માનું અવ્યાબાધ સુખ પ્રાપ્ત થશે. પુરુષાર્થ કરશે તે આમસ્વરૂપે પ્રગટ થશે. પછી આખા ત્રણે લેક આત્મા નથી” એમ કહે તો પણ શ્રદ્ધા ખસે નહીં.” “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ.” જે કંઈ શંકા થાય તે ધીરજથી સહન કરવી. મને આગળ પર સમજાશે એમ રાખે તો ધીરજ આવે, નહીં તે રખડે. ધીરજ અને વિચારની જરૂર છે. જગતમાં ઘણા ધર્મો છે, ઘણું પુસ્તક છે. તે જેણે વાંચ્યા હોય તેને થાય કે આ સાચું હશે કે આ સાચું હશે? પણ ધીરજ રાખી વિચારે તે બધા ધર્મોમાં સર્વોત્તમ ધર્મ કયો છે તે એને સમજાય. સંશય થાય તો ધીરજ રાખવી, વિચાર કરે; નહીં તો પડી જવાય. માટે વારંવાર વિચાર કરી વૈરાગ્ય વધારવો. વૈરાગ્ય એ એક્ષને ભેમિયો છે. અનિત્ય પદાર્થની જે ઈચ્છા છે તે દેહ જ મળશે. બધું દેખાય છે તે અનિત્ય છે, સ્વપ્ના જેવું છે. જીવ સુખને માટે ફાંફાં મારે છે; પણ સુખ તે આત્મામાં છે. તે મૂકી પુદ્દગલની ઈચછા કરી કર્મ બાંધે છે. કોઈ પણ જીવ બળતામાંથી છૂટે એવી જ્ઞાની પુરુષની ઈચ્છા હોય છે. [વ. ૫૭૧]. ૧૯૪ શ્રી. રાવ આગાસ, ભાદ્રપદ, સુદ ૧૨, ૨૦૦૯ સોભાગભાઈ એ પ્રશ્ન કર્યો કે સમયે સમયે ઘણા જીવો મોક્ષે જાય છે તે એ બધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy