________________
વચનામૃત-વિવેચન
૨૩૫ છે. વિચાર થાય તે વૈરાગ્ય થાય અને વૈરાગ્ય થાય તે જ્ઞાનીનાં વચનો સારાં લાગે. તેથી સમ્યગ્દર્શન થાય. પુરુષનું માહામ્ય ઘણું છે, પણ જીવને તે સમજાતું નથી. છ પદના પત્રમાં ઘણે વિસ્તાર કર્યો છે. તેનાથી વધારે વિસ્તાર થવા અર્થે આત્મસિદ્ધિ લખી. તેની એકેક ગાથા પર સે સો ગાથા લખે તોય એને અર્થ પૂરો થાય એમ નથી.
પ્રશ્ન–વિવેકજ્ઞાન એટલે શું?
ઉત્તર–વિવેક એ આત્માને ઓળખવાને દીવે છે. આત્માના સમ્યજ્ઞાનાદિ છે, તેમાં કર્મની મિત્રતા થઈ ગઈ છે તે ટાળવા વિવેક વૈરાગ્યની જરૂર છે. સંસાર કડવો છે તેને મીઠે માને તે અવિવેક છે. વૈરાગ્ય એ સંસારને ટાળવાને ઉપાય છે, તેને કડવો ગણે એ પણ અવિવેક છે. પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે છ પદને પત્ર અમારા ઉપર આવ્યું ત્યારે આમ થયું, કે આત્મા સિવાય કંઈ જવું નહીં, કેઈ ગચ્છમાં, મતમાં ઊભા ન રહેવું, બધાથી છૂટી આત્મા ઉપર આવવું.
આપણી આ વાત છે. આત્મા છે. અનાદિકાળથી જીવ ભૂ છે. દેહ છૂટી જાય, પણ આત્મા ન મરે. એટલું દઢ કરવાનું છે. આત્મા કદી ન મરે, નિત્ય છે. એને ભાન નથી કે હું સંસાર વધારું છું. એ ભય લાગશે ત્યારે આંટા ઉકેલશે. કશું મારું નથી. ક્યાંય ચેન ન પડે એવું થાય, ખાવુંપીવું કશું ન ગમે એવી દશા થાય ત્યારે ખરો વૈરાગ્ય. જીવે કેટલાં દુઃખ ભોગવ્યાં છે ! દેવકનાં સુખ પણ ભગવ્યાં, પણ જન્મમરણ છૂટયાં નથી. હવે કશુંયે ભેગવવું નથી. ઘણું ખાધું, ઘણું પીધું, પણ હવે એ તરફ નજર ન કરવી. હવે તે ક્યારે સિદ્ધ થાઉં, જ્યારે સિદ્ધ થાઉં, એમ કરવાનું છે. બીજી ઈચ્છાઓ ભાવનાઓ છોડવાની છે. કર્મ બાંધે છે અને ભોગવે છે તેથી છૂટી શકાય છે, મોક્ષ થાય છે. “કર્મો કાળ અનંતનાં શાથી છેદ્યાં જાય?” આમ જેને થયું હોય અને તેને કઈ કહે કે મોક્ષ છે, તે કેવી શાંતિ થાય? મોક્ષને ઉપાય છે, “ સમજું મેક્ષ ઉપાય તે, ઉદય ઉદય સદ્ભાગ્ય.” સમજાય તો મંડી પડું એવી ઈચ્છા મુમુક્ષુ જીવને હોય છે. એ જ કરવું છે. સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસભૂત છ પદ છે. “તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિરધાર.” છ પદને સંપૂર્ણ વિચારે તે મેક્ષમાર્ગને નિર્ધાર એટલે નિર્ણય થાય.
છ પદની શ્રદ્ધા કરી સાધવા માંડે તે મેક્ષ થાય. પૂર્વના આરાધક જી હોય તેમને આ છ પદ સાંભળતાં જ એને વિચાર ઉત્પન્ન થાય છે. અહએવી વાત છે! એમ લાગે. એ જ કામનું છે. આત્મા છે” એમ થાય તે એની જરૂરિયાત બધી પૂરી કરે, પણ એમ થતું નથી, નહીં તે એની પૂરી સંભાળ લે. પૂર્વનું આરાધન ન હોય તો સત્સંગે સાંભળે, બીજા વિચાર છોડી કષાયની મંદતા કરે, તો એ વિચાર થાય છે. અંતરંગ ઉપાધિરૂપ ક્રોધાદિ ચાર કષાય છોડી સત્સંગ કરે તો છ પદને વિચાર થાય. આત્માની પાસે સમ્યફ, કેવળજ્ઞાન, મેક્ષ બધું છે, પણ એને પિતાના સ્વરૂપનું ભાન નથી. બીજાની ઈચ્છા કરે, પણ પિતાની નહીં. છ પદને વિચાર કરવાનું કહ્યું છે.
આત્માનું અવ્યાબાધ સુખ જીવને ભાનમાં આવતું નથી, એનું કારણ અનિત્ય વસ્તુમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org