________________
૨૩૪
બધામૃત
વિચાર જાગે. જેને ઉપાધિ ન હોય તેને એટલી ચિંતા ઓછી છે અને અવકાશ મળે છે. તે અવકાશ જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં ગાળે તે તેથી સમાધિસુખ પ્રગટે. “જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે.” એ વાત જો હદયમાં ચાટી જાય તો કામ થાય એવું છે. ઉપાધિ તે પૂર્વકમ છે, પણ સમાધિ રાખવી આપણે હાથ છે. જેટલી ઉપાધિ છે તેટલી અનાથતા છે. જેટલી ઉપાધિ તેટલી અસમાધિ, ઉપાધિનો ત્યાગ થાય તેટલી સમાધિ થાય. ઉપાધિ છેડી નિવૃત્તિ લેવી એને ગમતી નથી. કંઈ કામ ન હોય, નવરાશ મળી હોય તો પણ કંઈ ને કંઈ લઈ બેસે છે. એટલે ઉપાધિનો ત્યાગ થાય તેટલું સમાધિનું કારણ થાય છે. ઉપવાસન અને પારસાને એ બેય દિવસ તપાસે તે ખબર પડે કે ઉપવાસના દિવસે કંઈ ફિકર ચિંતા નથી અને પારણાને દિવસે ઉપાધિ છે. જેને આજ્ઞા મળી છે, તેને નિવૃત્તિ બહુ સારી છે. સમજીને નિવૃત્તિ લે તે પ્રવૃત્તિમાં હોય તો પણ નિવૃત્તિનો સ્વાદ ન ભૂલે. આત્માને સ્વભાવ ઉપાધિ કરવાનું નથી. એ તે કર્મને લઈને આવી પડયું છે. સાધુને પણ મનવચનકાયાની પ્રવૃત્તિ રોકવાની કહી છે. પ્રવૃત્તિ કરવી પડે તે સમિતિપૂર્વક વર્તે અને પાછા ગુપ્તિમાં આવવાને લક્ષ રાખે.
સંયમના હેતુથી ગપ્રવર્તન, સ્વરૂપ લક્ષે જિનઆના આધીન જે;
તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે. ” મનવચનકાયાની પ્રવૃત્તિ ઘટાડી નિજ સ્વરૂપમાં લીન થાય છે. સંસારના પદાર્થોને યથાર્થ વિચાર હોય તે તે વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. સંસારને વિચારે તે ચારે ગતિમાં દુઃખ જણાય. શરીરનો વિચાર કરે તો શરીર પણ પુગલનું છે. લોહીમાંસથી ભરેલું છે. વળી તે પરવસ્તુ છે. એમ ભિન્ન ભિન્ન પ્રકારે વિચારે તે કઈ વસ્તુ પર મોહ ન થાય. વિચાર કરે તે પોતાની ન લાગે. શરીર વગેરે પરવસ્તુ છે. પરવતુમાં જીવ મુઝાય છે. સિદ્ધભગવાન પણ આ દેહને નાખી ગયા. ભેગને પણ વિચાર કરે કે “સકલ જગત તે એંઠવત.” એંઠવાડે જ બધે જીવ ભગવે છે. વિચાર નથી તેથી મેહ થઈ જાય છે. સમજાતું નથી, કારણ કે વિચાર નથી. ભૂખ લાગે તે ખાડો પૂરવા નાખવું. બધા ભેગના પદાર્થ જીવને કામના નથી, પણ ટેવ પડી ગઈ છે. ઉપરછલું જુએ તો જીવને મોહ થાય એવું છે. પર્યાયદષ્ટિ જ એવી છે. શરીર ગંદવાડો છે. તેની ઈચ્છા કરી, કલ્પના કરી કર્મ બાંધે છે. પિતાનું નહીં તેના પર મેહ કરી કર્મ બાંધે છે. ત્યાગ ટકી રહે અને વૈરાગ્ય રહે એમ કરવાનું છે.
પ્રશ્ન–વૈરાગ્ય કેમ નથી આવતું ?
ઉત્તર–વિચાર નથી. એ વિચાર આવવા સત્સંગ છે. સાંભળે ત્યારે વિચાર આવેમનુષ્યભવ દુર્લભ છે” એમ સાંભળ્યું તો વિચાર આવે કે કંઈ કરી લેવું. સત્સંગની જરૂર છે. તેમાં કંઈક સાંભળવાનું મળે, સદ્વિચાર આવે તે વિવેક થાય. તેથી ત્યાગવાગ્યને ત્યાગે અને ગ્રહવાગ્યને ગ્રહણ કરે.
છ પદમાં સમ્યગ્દર્શન રહ્યું છે. એ સમ્યગ્દર્શનના છ સ્થાનક એટલે રહેવાનાં સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org