________________
૨૩૨
બેધામૃત આપણને ઉપાધિ વધે તેમ તેમ સુખ લાગે છે અને એમને દુઃખ લાગે છે. કોઈને વાંક નથી. પિતાનો જ વાંક છે. બળતામાં દુઃખ લાગે તેમ ઉપાધિમાં એમને દુઃખ લાગે છે. જેટલું થાય એટલે છૂટવાનો પુરુષાર્થ કરે છે, છતાં એમને એ છો લાગે છે. “જે ઈચ્છો પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ.” જીવ ધારે તે કરી શકે છે.
૧૨. જનકરાજા આખું રાજ્ય કરતા તે આપણે એક દુકાન કરતાં શું છે? એવા ભાવ જ્ઞાનીને થતા નથી. શ્રી તીર્થકર જેવા, તે જ ભવે મોક્ષે જવાના છે છતાં બધું છોડીને ચાલી નીકળ્યા. એ દષ્ટાંત બળવાન છે. આપણને બળ વધે એવું દષ્ટાંત લેવું. કરીશું, કરીશું, એમ કરતાં કાળ આવી ગયો તે આખરે પસ્તાવું પડશે. તેથી કંઈ કરી લેવું. મરણ પાસે જ છે એમ ભય રાખવાનું છે. અત્યારે મોક્ષ મળતો હોય તે બધું મૂકીને જતા રહેવું એમ જ્ઞાનીને લાગે છે. વેદાંતમાં જનક અને જૈનમાં ભરત એ બેય પુરુષાર્થી વધારે હતા. ઘરમાં રહ્યા છતાં જળથી કમળ ભિન્ન રહે તેની પેઠે હતા. પણ એ દષ્ટાંત ન લેતાં તીર્થકર ભગવાન જેને જન્મથી હજાર વર્ષના સંયમી જેટલો વૈરાગ્ય હતે, દેવે પણ જેમની સેવામાં હાજ૨ હતા, છતાં સંસારથી ભય પામીને, છોડીને ચાલી નીકળ્યા. આ ભવે જ મેક્ષે જવાના હતા છતાં એટલે પુરુષાર્થ કર્યો છે. એ દષ્ટાંત બળવાન છે, પુરુષાર્થ પ્રેરે છે. શરીર તરફ લક્ષ હોય ત્યાંસુધી ઉપાધિને પાર ન આવે.
“ જબ જાએંગે આતભા, તબ લાગેંગે રંગ” (હા. નં. ૧-૧૪) આત્મા જાગે ત્યારે કામ થવાનું છે. સત્સંગ એ મોટી વસ્તુ છે, પણ પિતે વિચાર કરશે ત્યારે કામ થશે. ઉપાધિમાં બેટી થઈશું તે આ દેહ તો છૂટી જશે અને કામ અધૂરું રહેશે. માટે ચેતી લેવું.
૧૩. રાગદ્વેષ જીવને વર્તતા હોય અને માને કે હું જીવન્મુક્ત છું તે એ જીવમુક્તદશાની આશાતના કરે છે.
મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટો ન મેહ;
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ. ” રાગદ્વેષ અજ્ઞાન છે ત્યાંસુધી કમ બંધાય છે. એને ક્ષય કર્યા વગર ઝંપવા જેવું નથી. કેવળજ્ઞાન થતાં સુધી વિચારવાન જો મરણને સમીપ સમજીને વતે છે. જીવન્મુક્ત એટલે “દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત.” એવી દશા હોય તે જીવન્મુક્ત છે. એવી દશા કેવળજ્ઞાન થતાં પ્રગટે છે. “કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન.” તે કેવળજ્ઞાન છે.
૧૪. અત્યંત જ્ઞાન એટલે કેવળજ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ હોય છે. અત્યંત ત્યાગ હોય તે જ એને કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન હેય ત્યાં મેહ ન થાય. પરવતુમાં જીવને જરાક પણ રાગ હોય ત્યાંસુધી શાંતિ કે પૂર્ણ સમાધિ થાય નહીં. અત્યંત ત્યાગ હોય તે જ જ્ઞાન પ્રગટે. સંપૂર્ણ જ્ઞાન અત્યંત ત્યાગ પ્રગટ થાય છે. ત્યાગમાં શુરવીરપણું છે. શૂરવીર થાય ત્યારે કેવળજ્ઞાન થાય છે. ચાર કર્મનું માથું કાપી નાખે ત્યારે કેવળજ્ઞાન થાય છે. બાકીનાં ચાર બળી સીદરીવત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org